મહારાષ્ટ્રમાં લિવ ઈન રિલેશનસીપમાં રહેતી મહિલાને પાર્ટનરે આપી 70 ટુકડા કરી દેવાની ધમકી


  • Published By :
  • Published Date : 2022-12-03 09:49:34

આજ કાલ અનેક લોકો લીવ ઈન રીલેશનશીપમાં રહે છે. શ્રદ્ધા મર્ડર કેસમાંથી શિખ લેવાને બદલે અનેક લોકો આ કેસમાંથી પ્રેરણા લઈ રહ્યા છે. આફતાબે શ્રદ્ધાના જેમ 35 ટુકડા કર્યા હતા તેનાથી વધારે ટુકડા કરવાની ધમકી મહારાષ્ટ્રમાં રહેતી એક મહિલાને મળી છે. લીવ ઈન રિલેશનમાં રહેતી આ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી જે મુજબ આરોપીએ તેને 35ના બદલે 70 ટુડકા કરી દેશે તેવી ધમકી આપી હતી. 

How We Treat Depression In Men And Women - The Foundation For  Gender-Specific Medicine

હિંદુ બતાવી મુસ્લિમ યુવકે મહિલાને ફસાવી   

શ્રદ્ધા મર્ડર કેસને સોલ્વ કરવા પોલીસ લાગી ગઈ છે. આફતાબની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે આ કેસમાં બનેલી ઘટનાનો દુરૂપયોગ કરી રહ્યા છે. લિવ ઈન રિલેશનમાં રહેતી મહિલાઓને ધમકી આપવામાં આવી રહી છે. આવી જ એક ફરિયાદ મહારાષ્ટ્રમાં રહેતી એક મહિલાએ લખાવી છે. ફરિયાદમાં મહિલાએ કહ્યું કે તે પોતાના લીવ ઈન પાર્ટનર અરશદ સલીમના ત્રાસથી કંટાળી ગઈ છે. ઉપરાંત સલીમે મહિલાને ધમકી આપી હતી કે જો તે અરશદના કહેવા પ્રમાણે નહીં કરે તો તેના પણ 35 ટુકડાની નહીં પરંતુ 70 ટુકડા કરી દઈશ. મહિલાએ એવું પણ જણાવ્યું કે પોતાનું નામ હર્ષલ માલી બતાવનાર વ્યક્તિ અસલમાં અરશદ સલીમ મલીક હતો.

Shraddha Walker's chilling murder details reminds of Anupama Gulati case |  Latest News India - Hindustan Times

જબરદસ્તી કરાવ્યું ધર્માંતરણ

પોતાના પતિના અવસાન બાદ પીડિત મહિલા આ વ્યક્તિના સંપર્કમાં આવી. સંપર્ક વધતા મલીક તેમને જંગલમાં લઈ ગયો અને પીડિત સાથે દુષ્કર્મ આચર્યો હતો. આનો વીડિયો પણ બનાવ્યો હતો. જેને લઈ વારંવાર મલીક પીડિતાને બ્લેકમેલ કરતો અને મલીકના કહેવા પ્રમાણે વર્તન કરવાનું કહેતો હતો. 2021માં બંને ગણા લિવ ઈન રિલેશનસીપમાં રહેવા લાગ્યા. પીડિતાને હર્ષદ માલીનું વાસ્તિવક નામ ત્યારે ખબર પડી જ્યારે લિવ ઈન રિલેશનસીપના કાગળ લઈને આવ્યો. મહિલાએ એવું પણ જણાવ્યું કે તેનું જબરદસ્તી પૂર્ણ ધર્માતરણ કરાવ્યું. આવી ફરિયાદ મળતા પોલીસે અરશદ વિરૂદ્ધ કેસ દાખલ કરી દીધો છે.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.