મહારાષ્ટ્રમાં લિવ ઈન રિલેશનસીપમાં રહેતી મહિલાને પાર્ટનરે આપી 70 ટુકડા કરી દેવાની ધમકી


  • Published By :
  • Published Date : 2022-12-03 09:49:34

આજ કાલ અનેક લોકો લીવ ઈન રીલેશનશીપમાં રહે છે. શ્રદ્ધા મર્ડર કેસમાંથી શિખ લેવાને બદલે અનેક લોકો આ કેસમાંથી પ્રેરણા લઈ રહ્યા છે. આફતાબે શ્રદ્ધાના જેમ 35 ટુકડા કર્યા હતા તેનાથી વધારે ટુકડા કરવાની ધમકી મહારાષ્ટ્રમાં રહેતી એક મહિલાને મળી છે. લીવ ઈન રિલેશનમાં રહેતી આ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી જે મુજબ આરોપીએ તેને 35ના બદલે 70 ટુડકા કરી દેશે તેવી ધમકી આપી હતી. 

How We Treat Depression In Men And Women - The Foundation For  Gender-Specific Medicine

હિંદુ બતાવી મુસ્લિમ યુવકે મહિલાને ફસાવી   

શ્રદ્ધા મર્ડર કેસને સોલ્વ કરવા પોલીસ લાગી ગઈ છે. આફતાબની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે આ કેસમાં બનેલી ઘટનાનો દુરૂપયોગ કરી રહ્યા છે. લિવ ઈન રિલેશનમાં રહેતી મહિલાઓને ધમકી આપવામાં આવી રહી છે. આવી જ એક ફરિયાદ મહારાષ્ટ્રમાં રહેતી એક મહિલાએ લખાવી છે. ફરિયાદમાં મહિલાએ કહ્યું કે તે પોતાના લીવ ઈન પાર્ટનર અરશદ સલીમના ત્રાસથી કંટાળી ગઈ છે. ઉપરાંત સલીમે મહિલાને ધમકી આપી હતી કે જો તે અરશદના કહેવા પ્રમાણે નહીં કરે તો તેના પણ 35 ટુકડાની નહીં પરંતુ 70 ટુકડા કરી દઈશ. મહિલાએ એવું પણ જણાવ્યું કે પોતાનું નામ હર્ષલ માલી બતાવનાર વ્યક્તિ અસલમાં અરશદ સલીમ મલીક હતો.

Shraddha Walker's chilling murder details reminds of Anupama Gulati case |  Latest News India - Hindustan Times

જબરદસ્તી કરાવ્યું ધર્માંતરણ

પોતાના પતિના અવસાન બાદ પીડિત મહિલા આ વ્યક્તિના સંપર્કમાં આવી. સંપર્ક વધતા મલીક તેમને જંગલમાં લઈ ગયો અને પીડિત સાથે દુષ્કર્મ આચર્યો હતો. આનો વીડિયો પણ બનાવ્યો હતો. જેને લઈ વારંવાર મલીક પીડિતાને બ્લેકમેલ કરતો અને મલીકના કહેવા પ્રમાણે વર્તન કરવાનું કહેતો હતો. 2021માં બંને ગણા લિવ ઈન રિલેશનસીપમાં રહેવા લાગ્યા. પીડિતાને હર્ષદ માલીનું વાસ્તિવક નામ ત્યારે ખબર પડી જ્યારે લિવ ઈન રિલેશનસીપના કાગળ લઈને આવ્યો. મહિલાએ એવું પણ જણાવ્યું કે તેનું જબરદસ્તી પૂર્ણ ધર્માતરણ કરાવ્યું. આવી ફરિયાદ મળતા પોલીસે અરશદ વિરૂદ્ધ કેસ દાખલ કરી દીધો છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે