ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સુરક્ષામાં સર્જાઈ ચૂક, રાહુલની નજીક પહોંચ્યો યુવક


  • Published By :
  • Published Date : 2023-01-17 13:01:20

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા હાલ પંજાબ પહોંચી છે. રાહુલ ગાંધીની સુરક્ષાને લઈ અનેક વખત પ્રશ્ન ઉઠ્યા છે ત્યારે તેમની સુરક્ષામાં ચૂક થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હોશિયારપુરના દસુહામાં યાત્રા હતી તે દરમિયાન એક વ્યક્તિ રાહુલ ગાંધીની નજીક પહોંચ્યો અને તેમને ગળે મળવાની કોશિશ કરી.


રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક 

કન્યાકુમારીથી નીકળેલી ભારત જોડો યાત્રા હાલ પંજાબ પહોંચી છે. અનેક વખત રાહુલ ગાંધીની સુરક્ષાને લઈ પ્રશ્ન ઉઠ્યા છે. આ યાત્રાને ભારે જનપ્રતિસાદ મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો યાત્રામાં જોડાઈ રહ્યા છે. સુરક્ષાકર્મીઓ તેમની સુરક્ષા માટે છે પરંતુ સુરક્ષામાં ચૂક દેખાઈ છે.


યુવકે ગળે મળવાનો કર્યો પ્રયત્ન 

હોશિયારપુરના દસુહામાં આ યાત્રા પહોંચી હતી તે સમયે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક થઈ હતી. વાત એમ બની કે એક યુવકે રાહુલ ગાંધીને ગળે મળવાનો પ્રયત્ન કર્યો. યુવક રાહુલ ગાંધીની નજીક આવતા જ સુરક્ષાકર્મીઓએ અને નેતાઓએ તેને હટાવી લીધો. સૌથી મહત્વનો સવાલ એ છે કે કોઈ પણ વ્યક્તિ રાહુલ ગાંધીની આટલી નજીક કેવી રીતે પહોંચી ગયો. 


કાશ્મીરમાં યાત્રાનો થશે અંત 

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સુરક્ષા બાબતે અનેક વખત સુરક્ષા એજન્સીઓએ એલર્ટ કર્યા હતા. અનેક વખત પત્ર પણ લખ્યો હતો. કાશ્મીરમાં તેમને પગપાળા ન ચાલવાની તેમજ કારમાં યાત્રા કરવાની સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખિનય છે કે કાશ્મીરમાં આ યાત્રા 19 જાન્યુઆરીએ પહોંચવાની છે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.