ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સુરક્ષામાં સર્જાઈ ચૂક, રાહુલની નજીક પહોંચ્યો યુવક


  • Published By :
  • Published Date : 2023-01-17 13:01:20

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા હાલ પંજાબ પહોંચી છે. રાહુલ ગાંધીની સુરક્ષાને લઈ અનેક વખત પ્રશ્ન ઉઠ્યા છે ત્યારે તેમની સુરક્ષામાં ચૂક થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હોશિયારપુરના દસુહામાં યાત્રા હતી તે દરમિયાન એક વ્યક્તિ રાહુલ ગાંધીની નજીક પહોંચ્યો અને તેમને ગળે મળવાની કોશિશ કરી.


રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક 

કન્યાકુમારીથી નીકળેલી ભારત જોડો યાત્રા હાલ પંજાબ પહોંચી છે. અનેક વખત રાહુલ ગાંધીની સુરક્ષાને લઈ પ્રશ્ન ઉઠ્યા છે. આ યાત્રાને ભારે જનપ્રતિસાદ મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો યાત્રામાં જોડાઈ રહ્યા છે. સુરક્ષાકર્મીઓ તેમની સુરક્ષા માટે છે પરંતુ સુરક્ષામાં ચૂક દેખાઈ છે.


યુવકે ગળે મળવાનો કર્યો પ્રયત્ન 

હોશિયારપુરના દસુહામાં આ યાત્રા પહોંચી હતી તે સમયે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક થઈ હતી. વાત એમ બની કે એક યુવકે રાહુલ ગાંધીને ગળે મળવાનો પ્રયત્ન કર્યો. યુવક રાહુલ ગાંધીની નજીક આવતા જ સુરક્ષાકર્મીઓએ અને નેતાઓએ તેને હટાવી લીધો. સૌથી મહત્વનો સવાલ એ છે કે કોઈ પણ વ્યક્તિ રાહુલ ગાંધીની આટલી નજીક કેવી રીતે પહોંચી ગયો. 


કાશ્મીરમાં યાત્રાનો થશે અંત 

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સુરક્ષા બાબતે અનેક વખત સુરક્ષા એજન્સીઓએ એલર્ટ કર્યા હતા. અનેક વખત પત્ર પણ લખ્યો હતો. કાશ્મીરમાં તેમને પગપાળા ન ચાલવાની તેમજ કારમાં યાત્રા કરવાની સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખિનય છે કે કાશ્મીરમાં આ યાત્રા 19 જાન્યુઆરીએ પહોંચવાની છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.