ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સુરક્ષામાં સર્જાઈ ચૂક, રાહુલની નજીક પહોંચ્યો યુવક


  • Published By :
  • Published Date : 2023-01-17 13:01:20

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા હાલ પંજાબ પહોંચી છે. રાહુલ ગાંધીની સુરક્ષાને લઈ અનેક વખત પ્રશ્ન ઉઠ્યા છે ત્યારે તેમની સુરક્ષામાં ચૂક થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હોશિયારપુરના દસુહામાં યાત્રા હતી તે દરમિયાન એક વ્યક્તિ રાહુલ ગાંધીની નજીક પહોંચ્યો અને તેમને ગળે મળવાની કોશિશ કરી.


રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક 

કન્યાકુમારીથી નીકળેલી ભારત જોડો યાત્રા હાલ પંજાબ પહોંચી છે. અનેક વખત રાહુલ ગાંધીની સુરક્ષાને લઈ પ્રશ્ન ઉઠ્યા છે. આ યાત્રાને ભારે જનપ્રતિસાદ મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો યાત્રામાં જોડાઈ રહ્યા છે. સુરક્ષાકર્મીઓ તેમની સુરક્ષા માટે છે પરંતુ સુરક્ષામાં ચૂક દેખાઈ છે.


યુવકે ગળે મળવાનો કર્યો પ્રયત્ન 

હોશિયારપુરના દસુહામાં આ યાત્રા પહોંચી હતી તે સમયે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક થઈ હતી. વાત એમ બની કે એક યુવકે રાહુલ ગાંધીને ગળે મળવાનો પ્રયત્ન કર્યો. યુવક રાહુલ ગાંધીની નજીક આવતા જ સુરક્ષાકર્મીઓએ અને નેતાઓએ તેને હટાવી લીધો. સૌથી મહત્વનો સવાલ એ છે કે કોઈ પણ વ્યક્તિ રાહુલ ગાંધીની આટલી નજીક કેવી રીતે પહોંચી ગયો. 


કાશ્મીરમાં યાત્રાનો થશે અંત 

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સુરક્ષા બાબતે અનેક વખત સુરક્ષા એજન્સીઓએ એલર્ટ કર્યા હતા. અનેક વખત પત્ર પણ લખ્યો હતો. કાશ્મીરમાં તેમને પગપાળા ન ચાલવાની તેમજ કારમાં યાત્રા કરવાની સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખિનય છે કે કાશ્મીરમાં આ યાત્રા 19 જાન્યુઆરીએ પહોંચવાની છે. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.