ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સુરક્ષામાં સર્જાઈ ચૂક, રાહુલની નજીક પહોંચ્યો યુવક


  • Published By :
  • Published Date : 2023-01-17 13:01:20

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા હાલ પંજાબ પહોંચી છે. રાહુલ ગાંધીની સુરક્ષાને લઈ અનેક વખત પ્રશ્ન ઉઠ્યા છે ત્યારે તેમની સુરક્ષામાં ચૂક થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હોશિયારપુરના દસુહામાં યાત્રા હતી તે દરમિયાન એક વ્યક્તિ રાહુલ ગાંધીની નજીક પહોંચ્યો અને તેમને ગળે મળવાની કોશિશ કરી.


રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક 

કન્યાકુમારીથી નીકળેલી ભારત જોડો યાત્રા હાલ પંજાબ પહોંચી છે. અનેક વખત રાહુલ ગાંધીની સુરક્ષાને લઈ પ્રશ્ન ઉઠ્યા છે. આ યાત્રાને ભારે જનપ્રતિસાદ મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો યાત્રામાં જોડાઈ રહ્યા છે. સુરક્ષાકર્મીઓ તેમની સુરક્ષા માટે છે પરંતુ સુરક્ષામાં ચૂક દેખાઈ છે.


યુવકે ગળે મળવાનો કર્યો પ્રયત્ન 

હોશિયારપુરના દસુહામાં આ યાત્રા પહોંચી હતી તે સમયે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક થઈ હતી. વાત એમ બની કે એક યુવકે રાહુલ ગાંધીને ગળે મળવાનો પ્રયત્ન કર્યો. યુવક રાહુલ ગાંધીની નજીક આવતા જ સુરક્ષાકર્મીઓએ અને નેતાઓએ તેને હટાવી લીધો. સૌથી મહત્વનો સવાલ એ છે કે કોઈ પણ વ્યક્તિ રાહુલ ગાંધીની આટલી નજીક કેવી રીતે પહોંચી ગયો. 


કાશ્મીરમાં યાત્રાનો થશે અંત 

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સુરક્ષા બાબતે અનેક વખત સુરક્ષા એજન્સીઓએ એલર્ટ કર્યા હતા. અનેક વખત પત્ર પણ લખ્યો હતો. કાશ્મીરમાં તેમને પગપાળા ન ચાલવાની તેમજ કારમાં યાત્રા કરવાની સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખિનય છે કે કાશ્મીરમાં આ યાત્રા 19 જાન્યુઆરીએ પહોંચવાની છે. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.