હાર્ટ એટેકને કારણે હળવદના યુવકનું થયું મોત, ક્રિકેટ રમતા-રમતા યુવક મોતને ભેટ્યો!


  • Published By :
  • Published Date : 2023-03-24 12:05:04

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. ત્યારે મોરબીમાં રહેતો યુવાન ક્રિકેટ રમતા રમતા મોતને ભેટ્યો છે. મળતી માહિતી અનુસાર હળવદના ગ્રામસેવકને ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવતા મોત થયું છે. યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આગામી દિવસોમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવાનું હતું. જેને લઈ પ્રેક્ટિસ મેચ ચાલી રહી હતી. આ દરમિયાન યુવા ક્રિકેટરને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું છે.

 

ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવતા થયું યુવકનું મોત 

છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકને કારણે યુવાનોના જીવ જઈ રહ્યા છે. નાની ઉંમરે હાર્ટ એટેક આવવાને કારણે યુવાનો મોતને ભેટી રહ્યા છે. ત્યારે ફરી એક વખત હાર્ટ એટેકનો ભોગ હળવદનો યુવક બન્યો છે. હળવદનાં માટાપુર ગામમાં રહેતા અશોક કંઝારીયાનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. ગુજરાત સરકારના પંચાયત ગૃહ ગામ નિર્માણ ગ્રામ વિકાસ દ્વારા આગામી 26થી 31 માર્ચ દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે પ્રેક્ટિસ ચાલી રહી હતી.  તે દરમિયાન છાતીમાં દુખાવો થયો હતો. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તેમનું મોત થઈ ગયું હતું.


હાર્ટ એટેકથી થયા છે અનેક લોકોના મોત

કોરોના કાળ બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે દમણથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં વાત કરતા કરતા યુવક ઢળી પડ્યો હતો. તે સિવાય અનેક એવી ઘટનાઓ સામે આવી છે જેમાં યોગ કરતા કરતા વ્યક્તિ મોતને ભેટે છે તો કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટે છે. તે સિવાય સ્પોર્ટસ દરમિયાન પણ અનેક વ્યક્તિ હાર્ટ એટેક આવવાને કારણે કાળનો કોળિયો બની જાય છે. આવનારી મિનિટની અંદર આપણી સાથે શું થશે તે જાણવું મુશ્કેલ બન્યું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.