હાર્ટ એટેકને કારણે હળવદના યુવકનું થયું મોત, ક્રિકેટ રમતા-રમતા યુવક મોતને ભેટ્યો!


  • Published By :
  • Published Date : 2023-03-24 12:05:04

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. ત્યારે મોરબીમાં રહેતો યુવાન ક્રિકેટ રમતા રમતા મોતને ભેટ્યો છે. મળતી માહિતી અનુસાર હળવદના ગ્રામસેવકને ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવતા મોત થયું છે. યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આગામી દિવસોમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવાનું હતું. જેને લઈ પ્રેક્ટિસ મેચ ચાલી રહી હતી. આ દરમિયાન યુવા ક્રિકેટરને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું છે.

 

ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવતા થયું યુવકનું મોત 

છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકને કારણે યુવાનોના જીવ જઈ રહ્યા છે. નાની ઉંમરે હાર્ટ એટેક આવવાને કારણે યુવાનો મોતને ભેટી રહ્યા છે. ત્યારે ફરી એક વખત હાર્ટ એટેકનો ભોગ હળવદનો યુવક બન્યો છે. હળવદનાં માટાપુર ગામમાં રહેતા અશોક કંઝારીયાનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. ગુજરાત સરકારના પંચાયત ગૃહ ગામ નિર્માણ ગ્રામ વિકાસ દ્વારા આગામી 26થી 31 માર્ચ દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે પ્રેક્ટિસ ચાલી રહી હતી.  તે દરમિયાન છાતીમાં દુખાવો થયો હતો. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તેમનું મોત થઈ ગયું હતું.


હાર્ટ એટેકથી થયા છે અનેક લોકોના મોત

કોરોના કાળ બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે દમણથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં વાત કરતા કરતા યુવક ઢળી પડ્યો હતો. તે સિવાય અનેક એવી ઘટનાઓ સામે આવી છે જેમાં યોગ કરતા કરતા વ્યક્તિ મોતને ભેટે છે તો કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટે છે. તે સિવાય સ્પોર્ટસ દરમિયાન પણ અનેક વ્યક્તિ હાર્ટ એટેક આવવાને કારણે કાળનો કોળિયો બની જાય છે. આવનારી મિનિટની અંદર આપણી સાથે શું થશે તે જાણવું મુશ્કેલ બન્યું છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.