પાટણઃ અંગત અદાવતમાં યુવકની છરીના ઘા મારી કરી હત્યા, 2 હત્યારા ફરાર


  • Published By :
  • Published Date : 2022-11-16 19:41:26

પાટણ જિલ્લાના હારીજ તુલાકાના સબરી શોપિંગ સેન્ટર પાસે બે શખ્સોએ યુવકની જાહેરમાં છરા મારીને હત્યા કરી દેવામાં આવી છે. હત્યાની આ લાઈવ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હત્યારાઓએ નવ સેકન્ડની યુવકને એટલા છરા માર્યા કે યુવક ત્યાં જ ઢળી પડ્યો હતો. 

9 સેકન્ડમાં હુમલો, યુવકનો ગયો જીવ

પાટણના હારીજ તાલુકાના સબરી શોપિંગ પાસે હાર્દિક દેસાઈ નામના યુવકની ત્યા કરી દેવામાં આવી છે. હાર્દીક દેસાઈ ચા પી રહ્યો હતો ત્યારે અન્ના ઠાકોર અને નાગજી દેસાઈ ચાકુ સાથે આવ્યા હતા અને જોતજોતામાં છરાના ઘા માર્યા હતા અને હાર્દિક દેસાઈને મોતને ઘાટ ઉતાર્યો હતો. 

હારીજ તાલુકા પંચાયત સામે હત્યાનો બનાવ બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતકને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પાટણ પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. અંગત અદાવતની અંદર હત્યા કરી હોય તેવું શરૂઆતમાં લાગી રહ્યું છે. અગાઉ પણ પાટણમાં આવા બનાવો બન્યા છે



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.