પાટણઃ અંગત અદાવતમાં યુવકની છરીના ઘા મારી કરી હત્યા, 2 હત્યારા ફરાર


  • Published By :
  • Published Date : 2022-11-16 19:41:26

પાટણ જિલ્લાના હારીજ તુલાકાના સબરી શોપિંગ સેન્ટર પાસે બે શખ્સોએ યુવકની જાહેરમાં છરા મારીને હત્યા કરી દેવામાં આવી છે. હત્યાની આ લાઈવ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હત્યારાઓએ નવ સેકન્ડની યુવકને એટલા છરા માર્યા કે યુવક ત્યાં જ ઢળી પડ્યો હતો. 

9 સેકન્ડમાં હુમલો, યુવકનો ગયો જીવ

પાટણના હારીજ તાલુકાના સબરી શોપિંગ પાસે હાર્દિક દેસાઈ નામના યુવકની ત્યા કરી દેવામાં આવી છે. હાર્દીક દેસાઈ ચા પી રહ્યો હતો ત્યારે અન્ના ઠાકોર અને નાગજી દેસાઈ ચાકુ સાથે આવ્યા હતા અને જોતજોતામાં છરાના ઘા માર્યા હતા અને હાર્દિક દેસાઈને મોતને ઘાટ ઉતાર્યો હતો. 

હારીજ તાલુકા પંચાયત સામે હત્યાનો બનાવ બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતકને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પાટણ પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. અંગત અદાવતની અંદર હત્યા કરી હોય તેવું શરૂઆતમાં લાગી રહ્યું છે. અગાઉ પણ પાટણમાં આવા બનાવો બન્યા છે



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.