પાટણઃ અંગત અદાવતમાં યુવકની છરીના ઘા મારી કરી હત્યા, 2 હત્યારા ફરાર


  • Published By :
  • Published Date : 2022-11-16 19:41:26

પાટણ જિલ્લાના હારીજ તુલાકાના સબરી શોપિંગ સેન્ટર પાસે બે શખ્સોએ યુવકની જાહેરમાં છરા મારીને હત્યા કરી દેવામાં આવી છે. હત્યાની આ લાઈવ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હત્યારાઓએ નવ સેકન્ડની યુવકને એટલા છરા માર્યા કે યુવક ત્યાં જ ઢળી પડ્યો હતો. 

9 સેકન્ડમાં હુમલો, યુવકનો ગયો જીવ

પાટણના હારીજ તાલુકાના સબરી શોપિંગ પાસે હાર્દિક દેસાઈ નામના યુવકની ત્યા કરી દેવામાં આવી છે. હાર્દીક દેસાઈ ચા પી રહ્યો હતો ત્યારે અન્ના ઠાકોર અને નાગજી દેસાઈ ચાકુ સાથે આવ્યા હતા અને જોતજોતામાં છરાના ઘા માર્યા હતા અને હાર્દિક દેસાઈને મોતને ઘાટ ઉતાર્યો હતો. 

હારીજ તાલુકા પંચાયત સામે હત્યાનો બનાવ બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતકને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પાટણ પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. અંગત અદાવતની અંદર હત્યા કરી હોય તેવું શરૂઆતમાં લાગી રહ્યું છે. અગાઉ પણ પાટણમાં આવા બનાવો બન્યા છે



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .