પાટણઃ અંગત અદાવતમાં યુવકની છરીના ઘા મારી કરી હત્યા, 2 હત્યારા ફરાર


  • Published By :
  • Published Date : 2022-11-16 19:41:26

પાટણ જિલ્લાના હારીજ તુલાકાના સબરી શોપિંગ સેન્ટર પાસે બે શખ્સોએ યુવકની જાહેરમાં છરા મારીને હત્યા કરી દેવામાં આવી છે. હત્યાની આ લાઈવ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હત્યારાઓએ નવ સેકન્ડની યુવકને એટલા છરા માર્યા કે યુવક ત્યાં જ ઢળી પડ્યો હતો. 

9 સેકન્ડમાં હુમલો, યુવકનો ગયો જીવ

પાટણના હારીજ તાલુકાના સબરી શોપિંગ પાસે હાર્દિક દેસાઈ નામના યુવકની ત્યા કરી દેવામાં આવી છે. હાર્દીક દેસાઈ ચા પી રહ્યો હતો ત્યારે અન્ના ઠાકોર અને નાગજી દેસાઈ ચાકુ સાથે આવ્યા હતા અને જોતજોતામાં છરાના ઘા માર્યા હતા અને હાર્દિક દેસાઈને મોતને ઘાટ ઉતાર્યો હતો. 

હારીજ તાલુકા પંચાયત સામે હત્યાનો બનાવ બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતકને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પાટણ પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. અંગત અદાવતની અંદર હત્યા કરી હોય તેવું શરૂઆતમાં લાગી રહ્યું છે. અગાઉ પણ પાટણમાં આવા બનાવો બન્યા છે



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.