AAPના ઉમેદવાર કલ્પેશ પટેલનો હુક્કા-દારૂ પાર્ટીની તસવીરો વાઈરલ, રાજકારણ ગરમાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 15:42:42

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માંડ ત્રણ મહિના જેટલો સમય રહ્યો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો પડકાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા મળશે. ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. આમ આદમી પાર્ટીએ તો તેના કુલ 29 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં વેજલપુરના ઉમેદવાર કલ્પેશ પટેલનો પણ સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર કલ્પેશ પટેલની દારૂ અને હુક્કા પાર્ટીનો વીડિયો અને ફોટો વાયરલ થતા ખૂબ વિવાદ થયો છે.


કલ્પેશ પટેલના વીડિયોના કારણે આપની ઈમેજ ખરડાઈ?


વેજલપુરના આપના ઉમેદવાર કલ્પેશ પટેલના દારૂ પાર્ટી અને હુક્કા પાર્ટી કરતા વીડિયો અને ફોટો વાયરલ થતાં આમ આદમી પાર્ટી બચાવની સ્થિતીમાં આવી ગઈ છે. આપના ઉમેદવારના વ્યભિચારી તસવીરો બહાર આવતા AAPના ઉમેદવાર સામે અનેક સવાલો ઊભા થયા છે. આમ આદમી પાર્ટીના આ ઉમેદવારના ફોટા અને વીડિયો વાયરલ થતા રાજકારણ ચોક્કસપણે ગરમાયું છે. 


ભાજપના 'આપ' પર આકરા પ્રહાર 


વેજલપુરના આપના ઉમેદવાર કલ્પેશ પટેલના દારૂ-હુક્કાની મહેફિલ માણતા હોય તેવા ફોટા વાયરલ થયા બાદ ભાજપે આપને નિશાન બનાવી પાર્ટીના લોકોની કરણી અને કથણીમાં ફરક હોવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના ઋત્વિજ પટેલે કલ્પેશ પટેલ પર આકરા શાબ્દિક પ્રહારો કરતા તેમના પર 300 કરોડના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યો હતો. તેમનું ચાલ અને ચરિત્ર ક્યાંક ને ક્યાંક ખરડાયેલું છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.