આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની, ચૂંટણી પંચે સત્તાવાર જાહેરાત કરી


  • Published By :
  • Published Date : 2023-04-10 21:29:01

આમ આદમી પાર્ટી હવે રાષ્ટ્રિય પાર્ટી બની ગઈ છે, ચૂંટણી પંચે આ અંગે આજે સત્તાવાર જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે કહ્યું છે કે AAPએ રાષ્ટ્રીય પાર્ટી હોવાની તમામ શરતો પૂરી કરી છે. આમ આદમી પાર્ટીને તેના ચૂંટણી પ્રતિક ઝાડું સાથે રાષ્ટ્રીય પાર્ટી તરીકે માન્યતા આપવામાં આવી છે.


માત્ર 10 વર્ષમાં રાષ્ટ્રીય પાર્ટી બની


અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં પાર્ટીએ દિલ્હી, પંજાબ સહિતના રાજ્યોમાં સારી પ્રગતિ કરી છે. દિલ્હી અને પંજાબમાં તો આમ આદમી પાર્ટીની સરકાર છે. આ જ વર્ષે, આમ આદમી પાર્ટીએ દિલ્હી MCDમાં પહેલીવાર મેયર પદ કબજે કરીને ઈતિહાસ રચ્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બર 2022માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ AAPએ સારું પ્રદર્શન કર્યું હતું. ગુજરાતમાં પાર્ટીને લગભગ 12 ટકા વોટ મળ્યા હતા. આમ આદમી પાર્ટી માત્ર 10 વર્ષમાં દેશની કેટલીક રાષ્ટ્રીય પાર્ટીઓમાં સામેલ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીનો જન્મ 26 નવેમ્બર 2012ના રોજ થયો હતો. 10 એપ્રિલ 2023ના રોજ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી જાહેર કરવામાં આવી હતી. હવે સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીનું ચૂંટણી પ્રતીક ઝાડુ માત્ર AAP માટે જ અનામત છે.


3 પાર્ટીઓનો દરજ્જો પાછો ખેંચાયો


ચૂંટણી પંચે ત્રણ રાષ્ટ્રીય પક્ષો અને બે પ્રાદેશિક પક્ષો પાસેથી દરજ્જો પાછો ખેંચી લીધો છે. આ સાથે જ આપને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP),તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI)નો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પાછો ખેંચી લીધો છે. જો કે આમ આદમી પાર્ટીને હવે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી ગયો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.