આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની, ચૂંટણી પંચે સત્તાવાર જાહેરાત કરી


  • Published By :
  • Published Date : 2023-04-10 21:29:01

આમ આદમી પાર્ટી હવે રાષ્ટ્રિય પાર્ટી બની ગઈ છે, ચૂંટણી પંચે આ અંગે આજે સત્તાવાર જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે કહ્યું છે કે AAPએ રાષ્ટ્રીય પાર્ટી હોવાની તમામ શરતો પૂરી કરી છે. આમ આદમી પાર્ટીને તેના ચૂંટણી પ્રતિક ઝાડું સાથે રાષ્ટ્રીય પાર્ટી તરીકે માન્યતા આપવામાં આવી છે.


માત્ર 10 વર્ષમાં રાષ્ટ્રીય પાર્ટી બની


અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં પાર્ટીએ દિલ્હી, પંજાબ સહિતના રાજ્યોમાં સારી પ્રગતિ કરી છે. દિલ્હી અને પંજાબમાં તો આમ આદમી પાર્ટીની સરકાર છે. આ જ વર્ષે, આમ આદમી પાર્ટીએ દિલ્હી MCDમાં પહેલીવાર મેયર પદ કબજે કરીને ઈતિહાસ રચ્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બર 2022માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ AAPએ સારું પ્રદર્શન કર્યું હતું. ગુજરાતમાં પાર્ટીને લગભગ 12 ટકા વોટ મળ્યા હતા. આમ આદમી પાર્ટી માત્ર 10 વર્ષમાં દેશની કેટલીક રાષ્ટ્રીય પાર્ટીઓમાં સામેલ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીનો જન્મ 26 નવેમ્બર 2012ના રોજ થયો હતો. 10 એપ્રિલ 2023ના રોજ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી જાહેર કરવામાં આવી હતી. હવે સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીનું ચૂંટણી પ્રતીક ઝાડુ માત્ર AAP માટે જ અનામત છે.


3 પાર્ટીઓનો દરજ્જો પાછો ખેંચાયો


ચૂંટણી પંચે ત્રણ રાષ્ટ્રીય પક્ષો અને બે પ્રાદેશિક પક્ષો પાસેથી દરજ્જો પાછો ખેંચી લીધો છે. આ સાથે જ આપને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP),તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI)નો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પાછો ખેંચી લીધો છે. જો કે આમ આદમી પાર્ટીને હવે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી ગયો છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.