આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની, ચૂંટણી પંચે સત્તાવાર જાહેરાત કરી


  • Published By :
  • Published Date : 2023-04-10 21:29:01

આમ આદમી પાર્ટી હવે રાષ્ટ્રિય પાર્ટી બની ગઈ છે, ચૂંટણી પંચે આ અંગે આજે સત્તાવાર જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે કહ્યું છે કે AAPએ રાષ્ટ્રીય પાર્ટી હોવાની તમામ શરતો પૂરી કરી છે. આમ આદમી પાર્ટીને તેના ચૂંટણી પ્રતિક ઝાડું સાથે રાષ્ટ્રીય પાર્ટી તરીકે માન્યતા આપવામાં આવી છે.


માત્ર 10 વર્ષમાં રાષ્ટ્રીય પાર્ટી બની


અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં પાર્ટીએ દિલ્હી, પંજાબ સહિતના રાજ્યોમાં સારી પ્રગતિ કરી છે. દિલ્હી અને પંજાબમાં તો આમ આદમી પાર્ટીની સરકાર છે. આ જ વર્ષે, આમ આદમી પાર્ટીએ દિલ્હી MCDમાં પહેલીવાર મેયર પદ કબજે કરીને ઈતિહાસ રચ્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બર 2022માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ AAPએ સારું પ્રદર્શન કર્યું હતું. ગુજરાતમાં પાર્ટીને લગભગ 12 ટકા વોટ મળ્યા હતા. આમ આદમી પાર્ટી માત્ર 10 વર્ષમાં દેશની કેટલીક રાષ્ટ્રીય પાર્ટીઓમાં સામેલ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીનો જન્મ 26 નવેમ્બર 2012ના રોજ થયો હતો. 10 એપ્રિલ 2023ના રોજ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી જાહેર કરવામાં આવી હતી. હવે સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીનું ચૂંટણી પ્રતીક ઝાડુ માત્ર AAP માટે જ અનામત છે.


3 પાર્ટીઓનો દરજ્જો પાછો ખેંચાયો


ચૂંટણી પંચે ત્રણ રાષ્ટ્રીય પક્ષો અને બે પ્રાદેશિક પક્ષો પાસેથી દરજ્જો પાછો ખેંચી લીધો છે. આ સાથે જ આપને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP),તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI)નો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પાછો ખેંચી લીધો છે. જો કે આમ આદમી પાર્ટીને હવે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી ગયો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.