ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી સક્રિય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 17:08:55

ગુજરાતમાં પ્રચાર કરવામાં આમ આદમી પાર્ટી પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, રાઘવ ચઢ્ઢા તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલ ગુજરાતના પ્રવાસે છે. વિવિધ સ્થળો પર આપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 

આપનો ચૂંટણી પ્રચાર

ગુજરાતમાં પ્રચાર કરવા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. અને અલગ-અલગ શહેરોમાં જઈ ચૂંટણી લક્ષી પ્રચાર કરી રહ્યા છે.  રાજકોટ અને સુરેન્દ્રનગર ખાતે આપે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ત્યારે ઈસુદાન ગઢવીએ પોતાના સંબોધન દરમિયાન ભાજપ પર પ્રહાર કર્યા હતા. ઉપરાંત ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવું પણ કહ્યું હતું.   'આપ'ના સૈનિકા આ વખતે ગુજરાતમાં આપની સરકાર બનાવશે.


ઈસુદાને કહ્યું કે ગુજરાતમાં આપની સરકાર બનવા જઈ રહી છે

 પોતાના સંબોધનમાં ફરી એક વખત ઈસુદાને અમિત શાહ પર નિશાન સાધ્યું છે. ઉપરાંત ગઢવીએ કહ્યું કે આ વખતે ગુજરાતમાં આપની સરકાર બનવાની છે.


ટેકાના ભાવ નક્કી કરવાની છૂટ ખેડૂતોને આપી 

ખેડૂતોને લગતો મુદ્દો ઉપાડી ઈસુદાને ભાજપ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે આ ચોમાસુ ભાજપનું છે એટલે આપણે કઈ કરી શકીએ નહીં, પરંતુ આવતા ચોમાસે આમ આદમીની સરકાર બનતા તમારા કપાસ, મગફળીના ભાવ તમારે નક્કી કરવાના. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .