ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી સક્રિય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 17:08:55

ગુજરાતમાં પ્રચાર કરવામાં આમ આદમી પાર્ટી પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, રાઘવ ચઢ્ઢા તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલ ગુજરાતના પ્રવાસે છે. વિવિધ સ્થળો પર આપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 

આપનો ચૂંટણી પ્રચાર

ગુજરાતમાં પ્રચાર કરવા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. અને અલગ-અલગ શહેરોમાં જઈ ચૂંટણી લક્ષી પ્રચાર કરી રહ્યા છે.  રાજકોટ અને સુરેન્દ્રનગર ખાતે આપે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ત્યારે ઈસુદાન ગઢવીએ પોતાના સંબોધન દરમિયાન ભાજપ પર પ્રહાર કર્યા હતા. ઉપરાંત ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવું પણ કહ્યું હતું.   'આપ'ના સૈનિકા આ વખતે ગુજરાતમાં આપની સરકાર બનાવશે.


ઈસુદાને કહ્યું કે ગુજરાતમાં આપની સરકાર બનવા જઈ રહી છે

 પોતાના સંબોધનમાં ફરી એક વખત ઈસુદાને અમિત શાહ પર નિશાન સાધ્યું છે. ઉપરાંત ગઢવીએ કહ્યું કે આ વખતે ગુજરાતમાં આપની સરકાર બનવાની છે.


ટેકાના ભાવ નક્કી કરવાની છૂટ ખેડૂતોને આપી 

ખેડૂતોને લગતો મુદ્દો ઉપાડી ઈસુદાને ભાજપ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે આ ચોમાસુ ભાજપનું છે એટલે આપણે કઈ કરી શકીએ નહીં, પરંતુ આવતા ચોમાસે આમ આદમીની સરકાર બનતા તમારા કપાસ, મગફળીના ભાવ તમારે નક્કી કરવાના. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.