ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી સક્રિય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 17:08:55

ગુજરાતમાં પ્રચાર કરવામાં આમ આદમી પાર્ટી પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, રાઘવ ચઢ્ઢા તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલ ગુજરાતના પ્રવાસે છે. વિવિધ સ્થળો પર આપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 

આપનો ચૂંટણી પ્રચાર

ગુજરાતમાં પ્રચાર કરવા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. અને અલગ-અલગ શહેરોમાં જઈ ચૂંટણી લક્ષી પ્રચાર કરી રહ્યા છે.  રાજકોટ અને સુરેન્દ્રનગર ખાતે આપે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ત્યારે ઈસુદાન ગઢવીએ પોતાના સંબોધન દરમિયાન ભાજપ પર પ્રહાર કર્યા હતા. ઉપરાંત ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવું પણ કહ્યું હતું.   'આપ'ના સૈનિકા આ વખતે ગુજરાતમાં આપની સરકાર બનાવશે.


ઈસુદાને કહ્યું કે ગુજરાતમાં આપની સરકાર બનવા જઈ રહી છે

 પોતાના સંબોધનમાં ફરી એક વખત ઈસુદાને અમિત શાહ પર નિશાન સાધ્યું છે. ઉપરાંત ગઢવીએ કહ્યું કે આ વખતે ગુજરાતમાં આપની સરકાર બનવાની છે.


ટેકાના ભાવ નક્કી કરવાની છૂટ ખેડૂતોને આપી 

ખેડૂતોને લગતો મુદ્દો ઉપાડી ઈસુદાને ભાજપ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે આ ચોમાસુ ભાજપનું છે એટલે આપણે કઈ કરી શકીએ નહીં, પરંતુ આવતા ચોમાસે આમ આદમીની સરકાર બનતા તમારા કપાસ, મગફળીના ભાવ તમારે નક્કી કરવાના. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.