ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી સક્રિય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 17:08:55

ગુજરાતમાં પ્રચાર કરવામાં આમ આદમી પાર્ટી પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, રાઘવ ચઢ્ઢા તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલ ગુજરાતના પ્રવાસે છે. વિવિધ સ્થળો પર આપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 

આપનો ચૂંટણી પ્રચાર

ગુજરાતમાં પ્રચાર કરવા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. અને અલગ-અલગ શહેરોમાં જઈ ચૂંટણી લક્ષી પ્રચાર કરી રહ્યા છે.  રાજકોટ અને સુરેન્દ્રનગર ખાતે આપે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ત્યારે ઈસુદાન ગઢવીએ પોતાના સંબોધન દરમિયાન ભાજપ પર પ્રહાર કર્યા હતા. ઉપરાંત ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવું પણ કહ્યું હતું.   'આપ'ના સૈનિકા આ વખતે ગુજરાતમાં આપની સરકાર બનાવશે.


ઈસુદાને કહ્યું કે ગુજરાતમાં આપની સરકાર બનવા જઈ રહી છે

 પોતાના સંબોધનમાં ફરી એક વખત ઈસુદાને અમિત શાહ પર નિશાન સાધ્યું છે. ઉપરાંત ગઢવીએ કહ્યું કે આ વખતે ગુજરાતમાં આપની સરકાર બનવાની છે.


ટેકાના ભાવ નક્કી કરવાની છૂટ ખેડૂતોને આપી 

ખેડૂતોને લગતો મુદ્દો ઉપાડી ઈસુદાને ભાજપ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે આ ચોમાસુ ભાજપનું છે એટલે આપણે કઈ કરી શકીએ નહીં, પરંતુ આવતા ચોમાસે આમ આદમીની સરકાર બનતા તમારા કપાસ, મગફળીના ભાવ તમારે નક્કી કરવાના. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે