વધુ 12 ઉમેદવારોના નામ આમ આદમી પાર્ટીએ કર્યા જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 16:08:31

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ આમ આદમી પાર્ટી રણનીતિ સાથે આગળ વધી રહી છે. તબક્કાવાર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરી રહી છે. ત્યારે ફરી એક વખત ઉમેદવારોનું લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે જેમાં 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 

Image

ચાર તબક્કામાં ઉમેદવારોના નામો થયા છે જાહેર

આમ આદમી પાર્ટી પહેલી વખત ગુજરાતમાં ચૂંટણી લડવા જઈ રહી છે. ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદીયા, ભગવંત માન, રાઘવ ચડ્ડા સહિતના નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ હજી સુધી કુલ 29 ઉમેદવારો જાહેર કરી દીધા છે. પ્રથમ યાદીમાં 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. બીજી યાદીમાં 9 નામ જાહેર કરાયા હતા. ત્રીજી યાદીમાં 10 ઉમેદવારોના નામ ડિકલેર કરવામાં આવ્યા હતા. જ્યારે ચોથી ઉમેદવારી યાદીમાં 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.  







સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"