વધુ 12 ઉમેદવારોના નામ આમ આદમી પાર્ટીએ કર્યા જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 16:08:31

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ આમ આદમી પાર્ટી રણનીતિ સાથે આગળ વધી રહી છે. તબક્કાવાર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરી રહી છે. ત્યારે ફરી એક વખત ઉમેદવારોનું લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે જેમાં 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 

Image

ચાર તબક્કામાં ઉમેદવારોના નામો થયા છે જાહેર

આમ આદમી પાર્ટી પહેલી વખત ગુજરાતમાં ચૂંટણી લડવા જઈ રહી છે. ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદીયા, ભગવંત માન, રાઘવ ચડ્ડા સહિતના નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ હજી સુધી કુલ 29 ઉમેદવારો જાહેર કરી દીધા છે. પ્રથમ યાદીમાં 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. બીજી યાદીમાં 9 નામ જાહેર કરાયા હતા. ત્રીજી યાદીમાં 10 ઉમેદવારોના નામ ડિકલેર કરવામાં આવ્યા હતા. જ્યારે ચોથી ઉમેદવારી યાદીમાં 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.  







જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.