આમ આદમી પાર્ટીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર! જાણો કેમ AAPના નેતાએ કહ્યું કે 'जब तक Modi जी जीवित हैं, वही PM बनेंगे।'


  • Published By :
  • Published Date : 2023-06-16 13:43:42

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી તેની તૈયારીઓમાં લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે. વિપક્ષને મજબૂત કરવાની કોશિશ અનેક નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે. મોદી સરકાર પર મુખ્યત્વ દરેક પાર્ટી આરોપ લગાવતી રહે છે કે ભાજપ સંવિધાનને ખતમ કરી દેશે. ત્યારે ગુરૂવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાએ નિવેદન આપતા કહ્યું કે જો મોદીજી ફરી પ્રધાનમંત્રી બનશે તો ભાજપવાળા સંવિધાનને જ ખતમ કરી દેશે અને કહેશે કે જ્યાં સુધી મોદીજી જીવિત છે ત્યાં સુધી તે જ પીએમ રહેશે.


વિપક્ષ એક થાય તે માટે અનેક નેતાઓ કરી રહ્યા છે પ્રયાસ!

ભાજપ પર અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા આરોપો લગાવવામાં હોય છે કે ભાજપ તાનાશાહી કરે છે. સંવિધાનને ખતમ કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે આ વાત ફરી એક વખત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા દ્વારા કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે આ અંગેનું નિવેદન આપ્યું હતું. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વિપક્ષ એક થઈ ચૂંટણી લડે તેવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. આ મામલે અનેક નેતાઓએ મુલાકાત પણ કરી છે. 


'ભાજપ સંવિધાન ખતમ કરી દેશે' - સૌરભ ભારદ્વાજ

ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે જો 2024ની લોકસભાની ચૂંટણી બધા વિપક્ષી દળો એક થઈ નઈ લડીએ તો, એવું પણ થઈ શકે છે કે આગળ ચૂંટણી પણ ન થાય. જો મોદીજી ફરી એક વખત પીએમ બનશે તો ભાજપ વાળા સંવિધાનને ખતમ કરી દેશે અને જ્યાં સુધી પીએમ મોદી જીવતા છે ત્યાં સુધી તે પીએમ રહેશે. લાખો લોકોની કુરબાની બાદ જે આઝાદી મળી છે તે ખતમ થઈ જશે.        
  

ભાજપના નેતાએ આપ્યો જવાબ!

આના પર ભાજપ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. દિલ્હી ભાજપના અધ્યક્ષે પલટવાર કરતા કહ્યું કે આક્ષેપો કરવાને બદલે, ભારદ્વાજે સમજવું જોઈએ કે તેમની પાર્ટી તે પક્ષો અને રાજકીય નેતાઓને પણ સ્વીકારવા માટે આટલી આતુર કેમ છે કે જેમની પર કેજરીવાલ ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા હતા. મહત્વનું છે કે ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે પરંતુ રાજનીતિ હમણાંથી ગરમાઈ રહી છે. 


પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.