આમ આદમી પાર્ટીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર! જાણો કેમ AAPના નેતાએ કહ્યું કે 'जब तक Modi जी जीवित हैं, वही PM बनेंगे।'


  • Published By :
  • Published Date : 2023-06-16 13:43:42

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી તેની તૈયારીઓમાં લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે. વિપક્ષને મજબૂત કરવાની કોશિશ અનેક નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે. મોદી સરકાર પર મુખ્યત્વ દરેક પાર્ટી આરોપ લગાવતી રહે છે કે ભાજપ સંવિધાનને ખતમ કરી દેશે. ત્યારે ગુરૂવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાએ નિવેદન આપતા કહ્યું કે જો મોદીજી ફરી પ્રધાનમંત્રી બનશે તો ભાજપવાળા સંવિધાનને જ ખતમ કરી દેશે અને કહેશે કે જ્યાં સુધી મોદીજી જીવિત છે ત્યાં સુધી તે જ પીએમ રહેશે.


વિપક્ષ એક થાય તે માટે અનેક નેતાઓ કરી રહ્યા છે પ્રયાસ!

ભાજપ પર અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા આરોપો લગાવવામાં હોય છે કે ભાજપ તાનાશાહી કરે છે. સંવિધાનને ખતમ કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે આ વાત ફરી એક વખત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા દ્વારા કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે આ અંગેનું નિવેદન આપ્યું હતું. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વિપક્ષ એક થઈ ચૂંટણી લડે તેવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. આ મામલે અનેક નેતાઓએ મુલાકાત પણ કરી છે. 


'ભાજપ સંવિધાન ખતમ કરી દેશે' - સૌરભ ભારદ્વાજ

ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે જો 2024ની લોકસભાની ચૂંટણી બધા વિપક્ષી દળો એક થઈ નઈ લડીએ તો, એવું પણ થઈ શકે છે કે આગળ ચૂંટણી પણ ન થાય. જો મોદીજી ફરી એક વખત પીએમ બનશે તો ભાજપ વાળા સંવિધાનને ખતમ કરી દેશે અને જ્યાં સુધી પીએમ મોદી જીવતા છે ત્યાં સુધી તે પીએમ રહેશે. લાખો લોકોની કુરબાની બાદ જે આઝાદી મળી છે તે ખતમ થઈ જશે.        
  

ભાજપના નેતાએ આપ્યો જવાબ!

આના પર ભાજપ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. દિલ્હી ભાજપના અધ્યક્ષે પલટવાર કરતા કહ્યું કે આક્ષેપો કરવાને બદલે, ભારદ્વાજે સમજવું જોઈએ કે તેમની પાર્ટી તે પક્ષો અને રાજકીય નેતાઓને પણ સ્વીકારવા માટે આટલી આતુર કેમ છે કે જેમની પર કેજરીવાલ ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા હતા. મહત્વનું છે કે ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે પરંતુ રાજનીતિ હમણાંથી ગરમાઈ રહી છે. 


અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.