આમ આદમી પાર્ટીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર! જાણો કેમ AAPના નેતાએ કહ્યું કે 'जब तक Modi जी जीवित हैं, वही PM बनेंगे।'


  • Published By :
  • Published Date : 2023-06-16 13:43:42

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી તેની તૈયારીઓમાં લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે. વિપક્ષને મજબૂત કરવાની કોશિશ અનેક નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે. મોદી સરકાર પર મુખ્યત્વ દરેક પાર્ટી આરોપ લગાવતી રહે છે કે ભાજપ સંવિધાનને ખતમ કરી દેશે. ત્યારે ગુરૂવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાએ નિવેદન આપતા કહ્યું કે જો મોદીજી ફરી પ્રધાનમંત્રી બનશે તો ભાજપવાળા સંવિધાનને જ ખતમ કરી દેશે અને કહેશે કે જ્યાં સુધી મોદીજી જીવિત છે ત્યાં સુધી તે જ પીએમ રહેશે.


વિપક્ષ એક થાય તે માટે અનેક નેતાઓ કરી રહ્યા છે પ્રયાસ!

ભાજપ પર અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા આરોપો લગાવવામાં હોય છે કે ભાજપ તાનાશાહી કરે છે. સંવિધાનને ખતમ કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે આ વાત ફરી એક વખત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા દ્વારા કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે આ અંગેનું નિવેદન આપ્યું હતું. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વિપક્ષ એક થઈ ચૂંટણી લડે તેવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. આ મામલે અનેક નેતાઓએ મુલાકાત પણ કરી છે. 


'ભાજપ સંવિધાન ખતમ કરી દેશે' - સૌરભ ભારદ્વાજ

ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે જો 2024ની લોકસભાની ચૂંટણી બધા વિપક્ષી દળો એક થઈ નઈ લડીએ તો, એવું પણ થઈ શકે છે કે આગળ ચૂંટણી પણ ન થાય. જો મોદીજી ફરી એક વખત પીએમ બનશે તો ભાજપ વાળા સંવિધાનને ખતમ કરી દેશે અને જ્યાં સુધી પીએમ મોદી જીવતા છે ત્યાં સુધી તે પીએમ રહેશે. લાખો લોકોની કુરબાની બાદ જે આઝાદી મળી છે તે ખતમ થઈ જશે.        
  

ભાજપના નેતાએ આપ્યો જવાબ!

આના પર ભાજપ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. દિલ્હી ભાજપના અધ્યક્ષે પલટવાર કરતા કહ્યું કે આક્ષેપો કરવાને બદલે, ભારદ્વાજે સમજવું જોઈએ કે તેમની પાર્ટી તે પક્ષો અને રાજકીય નેતાઓને પણ સ્વીકારવા માટે આટલી આતુર કેમ છે કે જેમની પર કેજરીવાલ ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા હતા. મહત્વનું છે કે ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે પરંતુ રાજનીતિ હમણાંથી ગરમાઈ રહી છે. 


Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.