આમ આદમી પાર્ટીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર! જાણો કેમ AAPના નેતાએ કહ્યું કે 'जब तक Modi जी जीवित हैं, वही PM बनेंगे।'


  • Published By :
  • Published Date : 2023-06-16 13:43:42

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી તેની તૈયારીઓમાં લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે. વિપક્ષને મજબૂત કરવાની કોશિશ અનેક નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે. મોદી સરકાર પર મુખ્યત્વ દરેક પાર્ટી આરોપ લગાવતી રહે છે કે ભાજપ સંવિધાનને ખતમ કરી દેશે. ત્યારે ગુરૂવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાએ નિવેદન આપતા કહ્યું કે જો મોદીજી ફરી પ્રધાનમંત્રી બનશે તો ભાજપવાળા સંવિધાનને જ ખતમ કરી દેશે અને કહેશે કે જ્યાં સુધી મોદીજી જીવિત છે ત્યાં સુધી તે જ પીએમ રહેશે.


વિપક્ષ એક થાય તે માટે અનેક નેતાઓ કરી રહ્યા છે પ્રયાસ!

ભાજપ પર અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા આરોપો લગાવવામાં હોય છે કે ભાજપ તાનાશાહી કરે છે. સંવિધાનને ખતમ કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે આ વાત ફરી એક વખત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા દ્વારા કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે આ અંગેનું નિવેદન આપ્યું હતું. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વિપક્ષ એક થઈ ચૂંટણી લડે તેવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. આ મામલે અનેક નેતાઓએ મુલાકાત પણ કરી છે. 


'ભાજપ સંવિધાન ખતમ કરી દેશે' - સૌરભ ભારદ્વાજ

ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે જો 2024ની લોકસભાની ચૂંટણી બધા વિપક્ષી દળો એક થઈ નઈ લડીએ તો, એવું પણ થઈ શકે છે કે આગળ ચૂંટણી પણ ન થાય. જો મોદીજી ફરી એક વખત પીએમ બનશે તો ભાજપ વાળા સંવિધાનને ખતમ કરી દેશે અને જ્યાં સુધી પીએમ મોદી જીવતા છે ત્યાં સુધી તે પીએમ રહેશે. લાખો લોકોની કુરબાની બાદ જે આઝાદી મળી છે તે ખતમ થઈ જશે.        
  

ભાજપના નેતાએ આપ્યો જવાબ!

આના પર ભાજપ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. દિલ્હી ભાજપના અધ્યક્ષે પલટવાર કરતા કહ્યું કે આક્ષેપો કરવાને બદલે, ભારદ્વાજે સમજવું જોઈએ કે તેમની પાર્ટી તે પક્ષો અને રાજકીય નેતાઓને પણ સ્વીકારવા માટે આટલી આતુર કેમ છે કે જેમની પર કેજરીવાલ ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા હતા. મહત્વનું છે કે ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે પરંતુ રાજનીતિ હમણાંથી ગરમાઈ રહી છે. 


અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.