વધતી મોંઘવારીને લઈ આમ આદમી પાર્ટીએ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-25 16:43:18

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. વિધાનસભાની ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ટ્વિટર પર એક ટ્વિટ કરી છે જેમાં લખ્યું છે કે જો ઘરમાં સોનું ચાંદી ન હોય તો પણ ચેતતા રહેજો, હવે તો ગેસનો બાટલો ચોરાય એવી મોંઘવારી છે.


મોંઘવારીને લઈ આપે કર્યા પ્રહાર 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આ વખતે ચૂંટણીનો જંગ જામવાનો છે. દરેક પાર્ટી પોતાના મુદ્દાઓ પર પ્રચાર કરી રહી છે. દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં સોશિયલ મીડિયોનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ટ્વિટર પર દરેક પાર્ટી એક બીજા પર પ્રહાર કરી રહી છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. 

જીવન જરૂરિયાની ચીજ વસ્તુના વધી રહ્યા છે ભાવ  

દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. જીવન જરૂરિયાત વસ્તુઓનો ભાવ સતત વધી રહ્યો છે. દૂધ, શાકભાજી, રાંધણ ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આપે વધતી મોંઘવારીને લઈ કટાક્ષ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી લખ્યું કે ઘરમાં સોનું, ચાંદી ન હોય તો પણ ચેતતા રહેજો, હવે તો ગેસનો બાટલો ચોરાય એવી મોંઘવારી છે.   




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી