વધતી મોંઘવારીને લઈ આમ આદમી પાર્ટીએ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-25 16:43:18

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. વિધાનસભાની ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ટ્વિટર પર એક ટ્વિટ કરી છે જેમાં લખ્યું છે કે જો ઘરમાં સોનું ચાંદી ન હોય તો પણ ચેતતા રહેજો, હવે તો ગેસનો બાટલો ચોરાય એવી મોંઘવારી છે.


મોંઘવારીને લઈ આપે કર્યા પ્રહાર 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આ વખતે ચૂંટણીનો જંગ જામવાનો છે. દરેક પાર્ટી પોતાના મુદ્દાઓ પર પ્રચાર કરી રહી છે. દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં સોશિયલ મીડિયોનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ટ્વિટર પર દરેક પાર્ટી એક બીજા પર પ્રહાર કરી રહી છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. 

જીવન જરૂરિયાની ચીજ વસ્તુના વધી રહ્યા છે ભાવ  

દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. જીવન જરૂરિયાત વસ્તુઓનો ભાવ સતત વધી રહ્યો છે. દૂધ, શાકભાજી, રાંધણ ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આપે વધતી મોંઘવારીને લઈ કટાક્ષ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી લખ્યું કે ઘરમાં સોનું, ચાંદી ન હોય તો પણ ચેતતા રહેજો, હવે તો ગેસનો બાટલો ચોરાય એવી મોંઘવારી છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે