વધતી મોંઘવારીને લઈ આમ આદમી પાર્ટીએ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-25 16:43:18

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. વિધાનસભાની ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ટ્વિટર પર એક ટ્વિટ કરી છે જેમાં લખ્યું છે કે જો ઘરમાં સોનું ચાંદી ન હોય તો પણ ચેતતા રહેજો, હવે તો ગેસનો બાટલો ચોરાય એવી મોંઘવારી છે.


મોંઘવારીને લઈ આપે કર્યા પ્રહાર 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આ વખતે ચૂંટણીનો જંગ જામવાનો છે. દરેક પાર્ટી પોતાના મુદ્દાઓ પર પ્રચાર કરી રહી છે. દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં સોશિયલ મીડિયોનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ટ્વિટર પર દરેક પાર્ટી એક બીજા પર પ્રહાર કરી રહી છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. 

જીવન જરૂરિયાની ચીજ વસ્તુના વધી રહ્યા છે ભાવ  

દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. જીવન જરૂરિયાત વસ્તુઓનો ભાવ સતત વધી રહ્યો છે. દૂધ, શાકભાજી, રાંધણ ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આપે વધતી મોંઘવારીને લઈ કટાક્ષ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી લખ્યું કે ઘરમાં સોનું, ચાંદી ન હોય તો પણ ચેતતા રહેજો, હવે તો ગેસનો બાટલો ચોરાય એવી મોંઘવારી છે.   




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.