ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું છઠ્ઠું લિસ્ટ જાહેર કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 14:53:39

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે.  ત્યારે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીને લઈ એકદમ ગંભીર બની છે. તબક્કાવાર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. ત્યારે આજે આપે ઉમેદવારોનું છઠ્ઠું લિસ્ટ જાહેર કર્યું છે. 

 

ભાજપે તેમજ કોંગ્રેસે નથી કર્યા ઉમેદવારોના નામ જાહેર

ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ચૂંટણી પંચની ટીમ પણ ગુજરાતની મુલાકાતે આવી હતી અને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ હવે થોડા સમયમાં જ ચૂંટણીની તારીખ જાહેર થઈ જશે. ભાજપ તેમજ કોંગ્રેસમાંથી કોઈએ પણ ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા ત્યારે આમ આદમી પાર્ટીએ હજી સુધી 73 ઉમેદવારોનું નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આજે છઠ્ઠું લિસ્ટ આપે જાહેર કર્યું છે. ભૂજથી આપે રાજેશ પંડોરિયાને મેદાનમાં ઉતાર્યા છે. ઈડરથી જયંતીભાઈ પ્રણામી, અમદાવાદની નિકોલ સીટ પરથી અશોક ગજેરાને મેદાનમાં ઉતાર્યા છે. કોડિનારથી વાલજીભાઈ મકવાણા ચૂંટણી લડવાના છે. મહુધા બેઠક પરથી રવજીભાઈ વોઘેલા,  બાલાસિનોરથી ઉદયસિંહ ચૌહાણ ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.