આમ આદમી પાર્ટીએ સંગઠનમાં કર્યા મોટા ફેરફાર, ગુજરાતમાં ઝોન મુજબ નેતાઓને સોંપાઈ જવાબદારીઓ


  • Published By :
  • Published Date : 2023-01-04 15:15:55

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. તે મુજબ ઈસુદાન ગઢવીને ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી પ્રમુખ બનાવાયા છે. ઉપરાંત ગોપાલ ઈટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રભારી બનાવાયા છે. અલ્પેશ કથિયીયાને સુરતના કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. ચૈતર વસાવાને દક્ષિણ ગુજરાતના કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. ઉપરાંત ડો. રમેશ પટેલને પણ જવાબદારી સોંપાઈ છે. સૌરાષ્ટ્રની જવાબદારી જગમલ વાળાને સોંપાઈ હતી. જેવલ વસરાને પણ જવાબદારી સોંપાઈ છે. ઉપરાંત કૈલાશ ગઢવીને પણ જવાબદારી અપાઈ છે. 

Image


ગોપાલ ઈટાલિયા પાસેથી છીનવાયું પ્રદેશ અધ્યક્ષ પદ

ગુજરાતમાં ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીએ ઘણી મહેનત કરી હતી. ગુજરાતમાં જોર-શોરથી પ્રચાર કર્યો હતો. ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 182માંથી 5 સીટો પર વિજય મેળવ્યો હતો. ત્યારે ચૂંટણી પૂર્ણ થયા પછી આમ આદમી પાર્ટીએ મંથન કર્યું છે. સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. જે જવાબદારી પહેલા ગોપાલ ઈટાલિયા સંભાળતા હતા તે જવાબદારી હવે ઈસુદાન ગઢવી સંભાળશે. ચૂંટણી પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. ગઈકાલે તેમની મીટિંગ મળી હતી જેમાં આ નિર્ણય લેવાયો હોઈ શકે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.