આમ આદમી પાર્ટીએ ગરબાને બનાવ્યું પ્રચારનું માધ્યમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 17:09:38

આ વખતે ગુજરાતમાં ત્રિ-પાખીયો જંગ જામવાનો છે. તમામ પાર્ટી પોતોના પ્રચાર માટે સામ,દામ, દંડ અને ભેદની રાજનીતિ અપનાવી રહી છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતમાં ચૂંટણી લડવાની છે. પહેલી વખત ગુજરાતમાં ચૂંટણી લડતી આપ પોતાનો પ્રચાર કરવાનો એક પણ મોકો છોડતો નથી. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ એક વિડીયો શેર કર્યો છે જેમાં લોકો ઝાડુ લઈને ગરબા કરતા નજરે પડી રહ્યા છે.

ઝાડુ લઈ ગરબા કરતો વિડીયો કર્યો શેર 

નવરાત્રીનો પર્વ હાલમાં જ પત્યો છે. ગુજરાત અને ગરબા એ પર્યાય છે. અલગ અલગ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવે છે. પોતાનો પ્રચાર કરવાનો મોકો કોઈ પણ પાર્ટી છોડવા  માગતી નથી. ગાંધી જયંતીનો પણ ઉપયોગ પાર્ટીઓએ પોતાના ફાયદા માટે કર્યો હતો. ત્યારે આ વખતે આપના નેતાએ એક વિડીયો શેર  કર્યો છે. જેમાં લોકો ઝાડૂ લઈ ગરબે ઘૂમી રહ્યા છે. ઈસુદાન ગઢવીએ કેપ્શન આપ્યું કે વાહ ગુજરાત વાહ. હવે પરિવર્તન નિશ્ચિત છે. શું ખરેખર વિડીયોમાં દેખાતા લોકો, આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા હતા કે પછી પોતાની કોઈ પરંપરા અંતર્ગત હાથમાં ઝાડુ લઈ ગરબે ઘૂમ્યા હતા, તે એક પ્રશ્ન બની ગયો છે.  

     



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.