આમ આદમી પાર્ટીએ ગરબાને બનાવ્યું પ્રચારનું માધ્યમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 17:09:38

આ વખતે ગુજરાતમાં ત્રિ-પાખીયો જંગ જામવાનો છે. તમામ પાર્ટી પોતોના પ્રચાર માટે સામ,દામ, દંડ અને ભેદની રાજનીતિ અપનાવી રહી છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતમાં ચૂંટણી લડવાની છે. પહેલી વખત ગુજરાતમાં ચૂંટણી લડતી આપ પોતાનો પ્રચાર કરવાનો એક પણ મોકો છોડતો નથી. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ એક વિડીયો શેર કર્યો છે જેમાં લોકો ઝાડુ લઈને ગરબા કરતા નજરે પડી રહ્યા છે.

ઝાડુ લઈ ગરબા કરતો વિડીયો કર્યો શેર 

નવરાત્રીનો પર્વ હાલમાં જ પત્યો છે. ગુજરાત અને ગરબા એ પર્યાય છે. અલગ અલગ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવે છે. પોતાનો પ્રચાર કરવાનો મોકો કોઈ પણ પાર્ટી છોડવા  માગતી નથી. ગાંધી જયંતીનો પણ ઉપયોગ પાર્ટીઓએ પોતાના ફાયદા માટે કર્યો હતો. ત્યારે આ વખતે આપના નેતાએ એક વિડીયો શેર  કર્યો છે. જેમાં લોકો ઝાડૂ લઈ ગરબે ઘૂમી રહ્યા છે. ઈસુદાન ગઢવીએ કેપ્શન આપ્યું કે વાહ ગુજરાત વાહ. હવે પરિવર્તન નિશ્ચિત છે. શું ખરેખર વિડીયોમાં દેખાતા લોકો, આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા હતા કે પછી પોતાની કોઈ પરંપરા અંતર્ગત હાથમાં ઝાડુ લઈ ગરબે ઘૂમ્યા હતા, તે એક પ્રશ્ન બની ગયો છે.  

     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.