આમ આદમી પાર્ટીએ ગરબાને બનાવ્યું પ્રચારનું માધ્યમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 17:09:38

આ વખતે ગુજરાતમાં ત્રિ-પાખીયો જંગ જામવાનો છે. તમામ પાર્ટી પોતોના પ્રચાર માટે સામ,દામ, દંડ અને ભેદની રાજનીતિ અપનાવી રહી છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતમાં ચૂંટણી લડવાની છે. પહેલી વખત ગુજરાતમાં ચૂંટણી લડતી આપ પોતાનો પ્રચાર કરવાનો એક પણ મોકો છોડતો નથી. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ એક વિડીયો શેર કર્યો છે જેમાં લોકો ઝાડુ લઈને ગરબા કરતા નજરે પડી રહ્યા છે.

ઝાડુ લઈ ગરબા કરતો વિડીયો કર્યો શેર 

નવરાત્રીનો પર્વ હાલમાં જ પત્યો છે. ગુજરાત અને ગરબા એ પર્યાય છે. અલગ અલગ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવે છે. પોતાનો પ્રચાર કરવાનો મોકો કોઈ પણ પાર્ટી છોડવા  માગતી નથી. ગાંધી જયંતીનો પણ ઉપયોગ પાર્ટીઓએ પોતાના ફાયદા માટે કર્યો હતો. ત્યારે આ વખતે આપના નેતાએ એક વિડીયો શેર  કર્યો છે. જેમાં લોકો ઝાડૂ લઈ ગરબે ઘૂમી રહ્યા છે. ઈસુદાન ગઢવીએ કેપ્શન આપ્યું કે વાહ ગુજરાત વાહ. હવે પરિવર્તન નિશ્ચિત છે. શું ખરેખર વિડીયોમાં દેખાતા લોકો, આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા હતા કે પછી પોતાની કોઈ પરંપરા અંતર્ગત હાથમાં ઝાડુ લઈ ગરબે ઘૂમ્યા હતા, તે એક પ્રશ્ન બની ગયો છે.  

     



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .