છત્તીસગઢ ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ શરૂ કરી તૈયારી


  • Published By :
  • Published Date : 2023-01-01 16:36:29

2023માં દેશના વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો હાંસલ કરી લીધો છે. દિલ્હીમાં અને પંજાબમાં તો આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યારે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીએ 5 સીટો પર જીત હાંસલ કરી છે. ત્યારે બીજા રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણી પર આમ આદમી પાર્ટી ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. છત્તીસગઢના રાજકારણમાં આપ એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યું છે.


કોંગ્રેસ સરકાર પર કર્યા આકરા પ્રહાર 

દિલ્હીમાં તેમજ પંજાબમાં જીત હાંસલ કર્યા બાદ ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી હતી. ગુજરાતમાં 5 સીટો મેળવી હતી. આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. ત્યારે છત્તીસગઢમાં પણ સંગઠન મજબૂત કરવા આપ પ્રયત્નશીલ છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંગઠનને વિસ્તૃત કરવા અંગે પાર્ટી કામ કરી રહી છે. રાયપુરની મુલાકાતે સંજીવ જા પહોંચ્યા છે. સંજીવ જાએ પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી અને પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. 


ચૂંટણી સમયે કરવામાં આવેલા વાયદા માત્ર કાગળ પર - સંજીવ 

કોંગ્રેસ પર હુમલો કરતા તેમણે કહ્યું કે છત્તીસગઢમાં કાનૂન વ્યવસ્થા બદથી બદતર થઈ ગઈ છે. મહિલાઓની સુરક્ષાની સાથે સાથે નાગરિકોની સુરક્ષા પર પણ ખતરો છે. કોંગ્રેસની સરકારમાં વિકાસ મોડલ નહીં પરંતુ ભ્રષ્ટાચાર મોડલ બની ગયું છે. મુખ્યમંત્રી ભૂપેશ બેઘલ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે જનતાને અનેક વચનો આપ્યા હતા પરંતુ બધા વચનો હોર્ડિંગ સુધી સીમિત રહી ગયા છે. દવાઓ જેવી સ્વાસ્થ્ય સુવિધા દિલ્હીમાં મફત મળે છે. ઉપરાંત મોંઘવારીને લઈને પણ સરકાર પર પ્રહાર કર્યા હતા.        




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.