છત્તીસગઢ ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ શરૂ કરી તૈયારી


  • Published By :
  • Published Date : 2023-01-01 16:36:29

2023માં દેશના વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો હાંસલ કરી લીધો છે. દિલ્હીમાં અને પંજાબમાં તો આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યારે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીએ 5 સીટો પર જીત હાંસલ કરી છે. ત્યારે બીજા રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણી પર આમ આદમી પાર્ટી ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. છત્તીસગઢના રાજકારણમાં આપ એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યું છે.


કોંગ્રેસ સરકાર પર કર્યા આકરા પ્રહાર 

દિલ્હીમાં તેમજ પંજાબમાં જીત હાંસલ કર્યા બાદ ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી હતી. ગુજરાતમાં 5 સીટો મેળવી હતી. આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. ત્યારે છત્તીસગઢમાં પણ સંગઠન મજબૂત કરવા આપ પ્રયત્નશીલ છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંગઠનને વિસ્તૃત કરવા અંગે પાર્ટી કામ કરી રહી છે. રાયપુરની મુલાકાતે સંજીવ જા પહોંચ્યા છે. સંજીવ જાએ પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી અને પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. 


ચૂંટણી સમયે કરવામાં આવેલા વાયદા માત્ર કાગળ પર - સંજીવ 

કોંગ્રેસ પર હુમલો કરતા તેમણે કહ્યું કે છત્તીસગઢમાં કાનૂન વ્યવસ્થા બદથી બદતર થઈ ગઈ છે. મહિલાઓની સુરક્ષાની સાથે સાથે નાગરિકોની સુરક્ષા પર પણ ખતરો છે. કોંગ્રેસની સરકારમાં વિકાસ મોડલ નહીં પરંતુ ભ્રષ્ટાચાર મોડલ બની ગયું છે. મુખ્યમંત્રી ભૂપેશ બેઘલ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે જનતાને અનેક વચનો આપ્યા હતા પરંતુ બધા વચનો હોર્ડિંગ સુધી સીમિત રહી ગયા છે. દવાઓ જેવી સ્વાસ્થ્ય સુવિધા દિલ્હીમાં મફત મળે છે. ઉપરાંત મોંઘવારીને લઈને પણ સરકાર પર પ્રહાર કર્યા હતા.        




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.