છત્તીસગઢ ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ શરૂ કરી તૈયારી


  • Published By :
  • Published Date : 2023-01-01 16:36:29

2023માં દેશના વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો હાંસલ કરી લીધો છે. દિલ્હીમાં અને પંજાબમાં તો આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યારે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીએ 5 સીટો પર જીત હાંસલ કરી છે. ત્યારે બીજા રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણી પર આમ આદમી પાર્ટી ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. છત્તીસગઢના રાજકારણમાં આપ એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યું છે.


કોંગ્રેસ સરકાર પર કર્યા આકરા પ્રહાર 

દિલ્હીમાં તેમજ પંજાબમાં જીત હાંસલ કર્યા બાદ ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી હતી. ગુજરાતમાં 5 સીટો મેળવી હતી. આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. ત્યારે છત્તીસગઢમાં પણ સંગઠન મજબૂત કરવા આપ પ્રયત્નશીલ છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંગઠનને વિસ્તૃત કરવા અંગે પાર્ટી કામ કરી રહી છે. રાયપુરની મુલાકાતે સંજીવ જા પહોંચ્યા છે. સંજીવ જાએ પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી અને પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. 


ચૂંટણી સમયે કરવામાં આવેલા વાયદા માત્ર કાગળ પર - સંજીવ 

કોંગ્રેસ પર હુમલો કરતા તેમણે કહ્યું કે છત્તીસગઢમાં કાનૂન વ્યવસ્થા બદથી બદતર થઈ ગઈ છે. મહિલાઓની સુરક્ષાની સાથે સાથે નાગરિકોની સુરક્ષા પર પણ ખતરો છે. કોંગ્રેસની સરકારમાં વિકાસ મોડલ નહીં પરંતુ ભ્રષ્ટાચાર મોડલ બની ગયું છે. મુખ્યમંત્રી ભૂપેશ બેઘલ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે જનતાને અનેક વચનો આપ્યા હતા પરંતુ બધા વચનો હોર્ડિંગ સુધી સીમિત રહી ગયા છે. દવાઓ જેવી સ્વાસ્થ્ય સુવિધા દિલ્હીમાં મફત મળે છે. ઉપરાંત મોંઘવારીને લઈને પણ સરકાર પર પ્રહાર કર્યા હતા.        




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.