બીજા તબક્કાની ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીએ વધાર્યો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-12-02 11:25:45

બીજા તબક્કાના મતદાન પેહલા દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં સ્ટાર પ્રચારકોને લાવ્યા છે. આમ આદમી પાર્ટીનો પ્રચાર અરવિંદ કેજરીવાલ, ભગવંત માન તેમજ રાઘવ ચઢ્ઢા કરી રહ્યા છે. આ વખતે હરભજન સિંહ પણ ચૂંટણી પ્રચાર કરવા ગુજરાત આવ્યા છે. અનેક સ્થળો પર રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. 

Image

Image

આપનો પ્રચાર કરતા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 

ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ગુજરાતમાં પ્રથમ તહક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કા માટે પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અનેક વખત ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. 

Image

Image

અનેક સ્થળો પર યોજાશે રોડ-શો 

જો આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકોની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ, ભગવંત માન તેમજ રાઘવ ચઢ્ઢાનો સમાવેશ થાય છે. ચૂંટણી નજીક આવતા અનેક સ્થળો પર જનસભા તેમજ રોડ શો યોજાવાનો છે. ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી, ભગવંત માન, અલ્પેશ કથિરિયા, રાઘવ ચઢ્ઢા, ભગવંત માન પણ જનસભા યોજવાના છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.