બીજા તબક્કાની ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીએ વધાર્યો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-12-02 11:25:45

બીજા તબક્કાના મતદાન પેહલા દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં સ્ટાર પ્રચારકોને લાવ્યા છે. આમ આદમી પાર્ટીનો પ્રચાર અરવિંદ કેજરીવાલ, ભગવંત માન તેમજ રાઘવ ચઢ્ઢા કરી રહ્યા છે. આ વખતે હરભજન સિંહ પણ ચૂંટણી પ્રચાર કરવા ગુજરાત આવ્યા છે. અનેક સ્થળો પર રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. 

Image

Image

આપનો પ્રચાર કરતા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 

ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ગુજરાતમાં પ્રથમ તહક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કા માટે પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અનેક વખત ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. 

Image

Image

અનેક સ્થળો પર યોજાશે રોડ-શો 

જો આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકોની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ, ભગવંત માન તેમજ રાઘવ ચઢ્ઢાનો સમાવેશ થાય છે. ચૂંટણી નજીક આવતા અનેક સ્થળો પર જનસભા તેમજ રોડ શો યોજાવાનો છે. ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી, ભગવંત માન, અલ્પેશ કથિરિયા, રાઘવ ચઢ્ઢા, ભગવંત માન પણ જનસભા યોજવાના છે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.