બીજા તબક્કાની ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીએ વધાર્યો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-12-02 11:25:45

બીજા તબક્કાના મતદાન પેહલા દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં સ્ટાર પ્રચારકોને લાવ્યા છે. આમ આદમી પાર્ટીનો પ્રચાર અરવિંદ કેજરીવાલ, ભગવંત માન તેમજ રાઘવ ચઢ્ઢા કરી રહ્યા છે. આ વખતે હરભજન સિંહ પણ ચૂંટણી પ્રચાર કરવા ગુજરાત આવ્યા છે. અનેક સ્થળો પર રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. 

Image

Image

આપનો પ્રચાર કરતા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 

ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ગુજરાતમાં પ્રથમ તહક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કા માટે પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અનેક વખત ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. 

Image

Image

અનેક સ્થળો પર યોજાશે રોડ-શો 

જો આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકોની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ, ભગવંત માન તેમજ રાઘવ ચઢ્ઢાનો સમાવેશ થાય છે. ચૂંટણી નજીક આવતા અનેક સ્થળો પર જનસભા તેમજ રોડ શો યોજાવાનો છે. ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી, ભગવંત માન, અલ્પેશ કથિરિયા, રાઘવ ચઢ્ઢા, ભગવંત માન પણ જનસભા યોજવાના છે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.