આમ આદમી પાર્ટી પણ કરી રહી છે યુવરાજસિંહને દબાવવાનો પ્રયાસ? જાણો આ અંગે શું કહ્યું યુવરાજસિંહે જમાવટની ટીમને...


  • Published By :
  • Published Date : 2023-04-14 13:24:14

યુવરાજસિંહે થોડા દિવસ પહેલા એક લાઈવ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે તેમના પરિવારને ધમકાવવામાં આવી રહ્યા છે. વાતો વાતોમાં તેમણે પૂર્વમંત્રી પર નિશાન સાધ્યું હતું. એક લાઈવ તેમણે કર્યું હતું જેમાં તેઓ અનેક વખત ભાવુક થયા હતા. તેમણે પોલીસ પ્રોટેક્શનની માગ પણ કરી હતી. તેમના કહ્યા અનુસાર તેમણે ત્રણ વખત પ્રોટેક્શનની માગ કરી હતી પરંતુ પ્રોટેક્શન આપવામાં આવ્યું ન હતું. 

ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં ચાલ્યો ટ્રેન્ડ! 

થોડા દિવસ પહેલા યુવરાજસિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી એક લાઈવ કર્યું હતું. તે લાઈવ દરમિયાન યુવારાજસિંહ અનેક વખત ભાવુક થયા હતા. પોતાના લાઈવ દરમિયાન તેમણે કહ્યું કે તેમના પરિવારને હેરાન કરવામાં આવી રહ્યા છે. પોતાના લાઈવમાં તેમણે કહ્યું કે મારા સુધી રહો તો સારૂ છે પરંતુ મારા પરિવાર સુધી પહોંચશો તો હું કોઈને છોડીશ નહી. તેમણે પોલીસ પ્રોટેક્શનની માગ પણ કરી હતી. પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાંય પ્રોટેક્શન આપવામાં આવ્યું ન હતું. જે બાદ ટ્વિટર પર એક ટ્રેન્ડ શરૂ થયું. યુવરાજસિંહના સમર્થનમાં અનેક લોકો આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.

 


યુવરાજસિંહે આમ આદમી પાર્ટી અંગે કરી વાત!

પહેલાના લાઈવમાં તેમણે પૂર્વમંત્રીની વાત કરી હતી. પરંતુ આજે જ્યારે જમાવટની ટીમે યુવરાજસિંહની સાથે વાત કરી હતી તો તેમણે એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે વાતચીત દરમિયાન આમ આદમી પાર્ટીના નામનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું સામાજીક પ્રેસરની સાથે રાજકીય પ્રેશર પણ તેમના પર કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ સાથે જોડાયેલા લોકોને પણ ઉજાગર કરવાની વાત તેમણે કહી હતી.    


આ નેતા આવ્યા યુવરાજસિંહના સમર્થનમાં

યુવરાજસિંહના સમર્થનમાં અનેક નેતાઓ આવી રહ્યા છે. ગઈકાલે કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે યુવરાજસિંહના સમર્થનમાં હોવાની વાત કરી હતી. જે બાદ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી પણ તેમના સમર્થનમાં હોવાની વાત કરી હતી.              



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.