આમ આદમી પાર્ટી પણ કરી રહી છે યુવરાજસિંહને દબાવવાનો પ્રયાસ? જાણો આ અંગે શું કહ્યું યુવરાજસિંહે જમાવટની ટીમને...


  • Published By :
  • Published Date : 2023-04-14 13:24:14

યુવરાજસિંહે થોડા દિવસ પહેલા એક લાઈવ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે તેમના પરિવારને ધમકાવવામાં આવી રહ્યા છે. વાતો વાતોમાં તેમણે પૂર્વમંત્રી પર નિશાન સાધ્યું હતું. એક લાઈવ તેમણે કર્યું હતું જેમાં તેઓ અનેક વખત ભાવુક થયા હતા. તેમણે પોલીસ પ્રોટેક્શનની માગ પણ કરી હતી. તેમના કહ્યા અનુસાર તેમણે ત્રણ વખત પ્રોટેક્શનની માગ કરી હતી પરંતુ પ્રોટેક્શન આપવામાં આવ્યું ન હતું. 

ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં ચાલ્યો ટ્રેન્ડ! 

થોડા દિવસ પહેલા યુવરાજસિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી એક લાઈવ કર્યું હતું. તે લાઈવ દરમિયાન યુવારાજસિંહ અનેક વખત ભાવુક થયા હતા. પોતાના લાઈવ દરમિયાન તેમણે કહ્યું કે તેમના પરિવારને હેરાન કરવામાં આવી રહ્યા છે. પોતાના લાઈવમાં તેમણે કહ્યું કે મારા સુધી રહો તો સારૂ છે પરંતુ મારા પરિવાર સુધી પહોંચશો તો હું કોઈને છોડીશ નહી. તેમણે પોલીસ પ્રોટેક્શનની માગ પણ કરી હતી. પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાંય પ્રોટેક્શન આપવામાં આવ્યું ન હતું. જે બાદ ટ્વિટર પર એક ટ્રેન્ડ શરૂ થયું. યુવરાજસિંહના સમર્થનમાં અનેક લોકો આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.

 


યુવરાજસિંહે આમ આદમી પાર્ટી અંગે કરી વાત!

પહેલાના લાઈવમાં તેમણે પૂર્વમંત્રીની વાત કરી હતી. પરંતુ આજે જ્યારે જમાવટની ટીમે યુવરાજસિંહની સાથે વાત કરી હતી તો તેમણે એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે વાતચીત દરમિયાન આમ આદમી પાર્ટીના નામનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું સામાજીક પ્રેસરની સાથે રાજકીય પ્રેશર પણ તેમના પર કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ સાથે જોડાયેલા લોકોને પણ ઉજાગર કરવાની વાત તેમણે કહી હતી.    


આ નેતા આવ્યા યુવરાજસિંહના સમર્થનમાં

યુવરાજસિંહના સમર્થનમાં અનેક નેતાઓ આવી રહ્યા છે. ગઈકાલે કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે યુવરાજસિંહના સમર્થનમાં હોવાની વાત કરી હતી. જે બાદ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી પણ તેમના સમર્થનમાં હોવાની વાત કરી હતી.              



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે