આમ આદમી પાર્ટી પણ કરી રહી છે યુવરાજસિંહને દબાવવાનો પ્રયાસ? જાણો આ અંગે શું કહ્યું યુવરાજસિંહે જમાવટની ટીમને...


  • Published By :
  • Published Date : 2023-04-14 13:24:14

યુવરાજસિંહે થોડા દિવસ પહેલા એક લાઈવ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે તેમના પરિવારને ધમકાવવામાં આવી રહ્યા છે. વાતો વાતોમાં તેમણે પૂર્વમંત્રી પર નિશાન સાધ્યું હતું. એક લાઈવ તેમણે કર્યું હતું જેમાં તેઓ અનેક વખત ભાવુક થયા હતા. તેમણે પોલીસ પ્રોટેક્શનની માગ પણ કરી હતી. તેમના કહ્યા અનુસાર તેમણે ત્રણ વખત પ્રોટેક્શનની માગ કરી હતી પરંતુ પ્રોટેક્શન આપવામાં આવ્યું ન હતું. 

ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં ચાલ્યો ટ્રેન્ડ! 

થોડા દિવસ પહેલા યુવરાજસિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી એક લાઈવ કર્યું હતું. તે લાઈવ દરમિયાન યુવારાજસિંહ અનેક વખત ભાવુક થયા હતા. પોતાના લાઈવ દરમિયાન તેમણે કહ્યું કે તેમના પરિવારને હેરાન કરવામાં આવી રહ્યા છે. પોતાના લાઈવમાં તેમણે કહ્યું કે મારા સુધી રહો તો સારૂ છે પરંતુ મારા પરિવાર સુધી પહોંચશો તો હું કોઈને છોડીશ નહી. તેમણે પોલીસ પ્રોટેક્શનની માગ પણ કરી હતી. પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાંય પ્રોટેક્શન આપવામાં આવ્યું ન હતું. જે બાદ ટ્વિટર પર એક ટ્રેન્ડ શરૂ થયું. યુવરાજસિંહના સમર્થનમાં અનેક લોકો આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.

 


યુવરાજસિંહે આમ આદમી પાર્ટી અંગે કરી વાત!

પહેલાના લાઈવમાં તેમણે પૂર્વમંત્રીની વાત કરી હતી. પરંતુ આજે જ્યારે જમાવટની ટીમે યુવરાજસિંહની સાથે વાત કરી હતી તો તેમણે એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે વાતચીત દરમિયાન આમ આદમી પાર્ટીના નામનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું સામાજીક પ્રેસરની સાથે રાજકીય પ્રેશર પણ તેમના પર કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ સાથે જોડાયેલા લોકોને પણ ઉજાગર કરવાની વાત તેમણે કહી હતી.    


આ નેતા આવ્યા યુવરાજસિંહના સમર્થનમાં

યુવરાજસિંહના સમર્થનમાં અનેક નેતાઓ આવી રહ્યા છે. ગઈકાલે કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે યુવરાજસિંહના સમર્થનમાં હોવાની વાત કરી હતી. જે બાદ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી પણ તેમના સમર્થનમાં હોવાની વાત કરી હતી.              



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.