હિમાચલ પ્રદેશમાં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ સંકલ્પ પત્ર પર આમ આદમી પાર્ટીએ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-08 14:11:15

ગુજરાતની રાજનીતિમાં જ્યારથી આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે ત્યારથી અનેક સુવિધાઓ ફ્રીમાં આપવાની વાત કરી છે. ફી શબ્દને લઈ અનેક વખત આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારે આ વખતે ભાજપ પર આપે નિશાન સાધ્યું છે. ત્યારે હિમાચલ પ્રદેશ માટે ભાજપે જે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે તેના પર કેજરીવાલે નિશાન સાધ્યું છે. આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી પ્રહાર કરતા કહ્યું કે હિમાચલ પ્રદેશમાં મફત વીજળી અને મફત સ્કુટી આપે છે તો ગુજરાતીઓને ટેક્સના રૂપિયે મફત સુવિધાઓ આપવાનો વિરોધ શા માટે કરે છે?

 

ભાજપના હિમાચલ માટે કરવામાં આવેલા સંકલ્પ પત્ર પર આપના પ્રહાર  

આમ આદમી પાર્ટી દ્વારા અનેક વચનો આપવામાં આવ્યા છે જેમાં બેરોજગારોને ભથ્થુ આપવાની વાત કરી છે, મહિલાઓને પણ પૈસા આપવાની વાત કરી છે ઉપરાંત મફત વીજળી આપવાની વાત પણ કરી છે. આ વાતને લઈ ભાજપે અનેક વખત આમ આદમી પાર્ટીને નિશાના પર લીધી છે. ત્યારે આ વખતે આપે હિમાચલ પ્રદેશ માટે જાહેર કરવામાં આવેલા સંકલ્પ પત્રને લઈ પ્રહાર કર્યા છે. ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં અનેક સુવિધાઓ મફતમાં આપવાની વાત કરી છે ત્યારે આમ આદમી પાર્ટીએ કહ્યું કે ગુજરાતીઓને ટેક્સના રૂપિયે મફત સુવિધા આપવાનો વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.