હિમાચલ પ્રદેશમાં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ સંકલ્પ પત્ર પર આમ આદમી પાર્ટીએ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-08 14:11:15

ગુજરાતની રાજનીતિમાં જ્યારથી આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે ત્યારથી અનેક સુવિધાઓ ફ્રીમાં આપવાની વાત કરી છે. ફી શબ્દને લઈ અનેક વખત આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારે આ વખતે ભાજપ પર આપે નિશાન સાધ્યું છે. ત્યારે હિમાચલ પ્રદેશ માટે ભાજપે જે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે તેના પર કેજરીવાલે નિશાન સાધ્યું છે. આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી પ્રહાર કરતા કહ્યું કે હિમાચલ પ્રદેશમાં મફત વીજળી અને મફત સ્કુટી આપે છે તો ગુજરાતીઓને ટેક્સના રૂપિયે મફત સુવિધાઓ આપવાનો વિરોધ શા માટે કરે છે?

 

ભાજપના હિમાચલ માટે કરવામાં આવેલા સંકલ્પ પત્ર પર આપના પ્રહાર  

આમ આદમી પાર્ટી દ્વારા અનેક વચનો આપવામાં આવ્યા છે જેમાં બેરોજગારોને ભથ્થુ આપવાની વાત કરી છે, મહિલાઓને પણ પૈસા આપવાની વાત કરી છે ઉપરાંત મફત વીજળી આપવાની વાત પણ કરી છે. આ વાતને લઈ ભાજપે અનેક વખત આમ આદમી પાર્ટીને નિશાના પર લીધી છે. ત્યારે આ વખતે આપે હિમાચલ પ્રદેશ માટે જાહેર કરવામાં આવેલા સંકલ્પ પત્રને લઈ પ્રહાર કર્યા છે. ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં અનેક સુવિધાઓ મફતમાં આપવાની વાત કરી છે ત્યારે આમ આદમી પાર્ટીએ કહ્યું કે ગુજરાતીઓને ટેક્સના રૂપિયે મફત સુવિધા આપવાનો વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.