હિમાચલ પ્રદેશમાં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ સંકલ્પ પત્ર પર આમ આદમી પાર્ટીએ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-08 14:11:15

ગુજરાતની રાજનીતિમાં જ્યારથી આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે ત્યારથી અનેક સુવિધાઓ ફ્રીમાં આપવાની વાત કરી છે. ફી શબ્દને લઈ અનેક વખત આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારે આ વખતે ભાજપ પર આપે નિશાન સાધ્યું છે. ત્યારે હિમાચલ પ્રદેશ માટે ભાજપે જે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે તેના પર કેજરીવાલે નિશાન સાધ્યું છે. આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી પ્રહાર કરતા કહ્યું કે હિમાચલ પ્રદેશમાં મફત વીજળી અને મફત સ્કુટી આપે છે તો ગુજરાતીઓને ટેક્સના રૂપિયે મફત સુવિધાઓ આપવાનો વિરોધ શા માટે કરે છે?

 

ભાજપના હિમાચલ માટે કરવામાં આવેલા સંકલ્પ પત્ર પર આપના પ્રહાર  

આમ આદમી પાર્ટી દ્વારા અનેક વચનો આપવામાં આવ્યા છે જેમાં બેરોજગારોને ભથ્થુ આપવાની વાત કરી છે, મહિલાઓને પણ પૈસા આપવાની વાત કરી છે ઉપરાંત મફત વીજળી આપવાની વાત પણ કરી છે. આ વાતને લઈ ભાજપે અનેક વખત આમ આદમી પાર્ટીને નિશાના પર લીધી છે. ત્યારે આ વખતે આપે હિમાચલ પ્રદેશ માટે જાહેર કરવામાં આવેલા સંકલ્પ પત્રને લઈ પ્રહાર કર્યા છે. ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં અનેક સુવિધાઓ મફતમાં આપવાની વાત કરી છે ત્યારે આમ આદમી પાર્ટીએ કહ્યું કે ગુજરાતીઓને ટેક્સના રૂપિયે મફત સુવિધા આપવાનો વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે