ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી, ગુજરાતમાં સીટો મળતા કેજરીવાલે ખુશી વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2022-12-08 19:06:54

ગુજરાત વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ આવ્યા છે. ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં એન્ટ્રી થઈ છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 182 બેઠકમાંથી 5 બેઠકો મેળવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજન અરવિંદ કેજરીવાલે આ વાતને એકદમ સકારાત્મ રીતે લીધી છે.

 

ભાજપનો મજબુત કિલ્લો ભેદી કાઢ્યો છે - કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે પોતાના વીડિયો બનાવી ગુજરાતના આપના કાર્યકર્તાઓનો તેમજ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. પોતાના મેસેજમાં તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો મજબૂત કિલ્લો ભેદી કાઢ્યો છે. અને આગામી ચૂંટણીમાં જીતવામાં સફળ રહીશું. તેમણે કહ્યું કે તેમની પાર્ટીને 39 લાખથી વધુ મત મળ્યા છે. માત્ર 10 વર્ષના સમયમાં આમ આદમી પાર્ટી રાજકીય પાર્ટી તરીકે સંસ્થાપિત થઈ ગઈ છે. 


રાષ્ટ્રીય પાર્ટીમાં આપનો પણ સમાવેશ - કેજરીવાલ

વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશવાસીઓનો ખુબ-ખુબ આભાર. ગુજરાત વિધાનસભાની પરિણામ આવી ગયા છે અને ઘણી સીટો આવી છે. જેટલા મતો આપને ગુજરાતથી મળ્યા છે તે પ્રમાણે કાયદેસર રીતે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. દેશમાં માત્ર ગણતરીની પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે જેમાં હવે આમ આદમી પાર્ટીનો પણ સમાવેશ થશે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.