ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી, ગુજરાતમાં સીટો મળતા કેજરીવાલે ખુશી વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2022-12-08 19:06:54

ગુજરાત વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ આવ્યા છે. ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં એન્ટ્રી થઈ છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 182 બેઠકમાંથી 5 બેઠકો મેળવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજન અરવિંદ કેજરીવાલે આ વાતને એકદમ સકારાત્મ રીતે લીધી છે.

 

ભાજપનો મજબુત કિલ્લો ભેદી કાઢ્યો છે - કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે પોતાના વીડિયો બનાવી ગુજરાતના આપના કાર્યકર્તાઓનો તેમજ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. પોતાના મેસેજમાં તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો મજબૂત કિલ્લો ભેદી કાઢ્યો છે. અને આગામી ચૂંટણીમાં જીતવામાં સફળ રહીશું. તેમણે કહ્યું કે તેમની પાર્ટીને 39 લાખથી વધુ મત મળ્યા છે. માત્ર 10 વર્ષના સમયમાં આમ આદમી પાર્ટી રાજકીય પાર્ટી તરીકે સંસ્થાપિત થઈ ગઈ છે. 


રાષ્ટ્રીય પાર્ટીમાં આપનો પણ સમાવેશ - કેજરીવાલ

વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશવાસીઓનો ખુબ-ખુબ આભાર. ગુજરાત વિધાનસભાની પરિણામ આવી ગયા છે અને ઘણી સીટો આવી છે. જેટલા મતો આપને ગુજરાતથી મળ્યા છે તે પ્રમાણે કાયદેસર રીતે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. દેશમાં માત્ર ગણતરીની પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે જેમાં હવે આમ આદમી પાર્ટીનો પણ સમાવેશ થશે.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.