ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી, ગુજરાતમાં સીટો મળતા કેજરીવાલે ખુશી વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2022-12-08 19:06:54

ગુજરાત વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ આવ્યા છે. ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં એન્ટ્રી થઈ છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 182 બેઠકમાંથી 5 બેઠકો મેળવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજન અરવિંદ કેજરીવાલે આ વાતને એકદમ સકારાત્મ રીતે લીધી છે.

 

ભાજપનો મજબુત કિલ્લો ભેદી કાઢ્યો છે - કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે પોતાના વીડિયો બનાવી ગુજરાતના આપના કાર્યકર્તાઓનો તેમજ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. પોતાના મેસેજમાં તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો મજબૂત કિલ્લો ભેદી કાઢ્યો છે. અને આગામી ચૂંટણીમાં જીતવામાં સફળ રહીશું. તેમણે કહ્યું કે તેમની પાર્ટીને 39 લાખથી વધુ મત મળ્યા છે. માત્ર 10 વર્ષના સમયમાં આમ આદમી પાર્ટી રાજકીય પાર્ટી તરીકે સંસ્થાપિત થઈ ગઈ છે. 


રાષ્ટ્રીય પાર્ટીમાં આપનો પણ સમાવેશ - કેજરીવાલ

વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશવાસીઓનો ખુબ-ખુબ આભાર. ગુજરાત વિધાનસભાની પરિણામ આવી ગયા છે અને ઘણી સીટો આવી છે. જેટલા મતો આપને ગુજરાતથી મળ્યા છે તે પ્રમાણે કાયદેસર રીતે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. દેશમાં માત્ર ગણતરીની પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે જેમાં હવે આમ આદમી પાર્ટીનો પણ સમાવેશ થશે.  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી