આમ આદમી પાર્ટીએ શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારી! ચૂંટણીને લઈ ઈસુદાન ગઢવીએ આપ્યું નિવેદન કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-03-27 11:42:17

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. દરેક પક્ષે તૈયારીઓ આરંભી દીધી છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારોને લઈ મીટિંગ કરી રણનીતિ ઘડી રહ્યા છે. ત્યારે ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતે આપના કાર્યકર્તાઓની બેઠક બોલાવી હતી. લોકસભાની ચૂંટણી કેવી રીતે જીતવી તે અંગે મિટીંગ કરવામાં આવી હતી. જેમાં ચૈતર વસાવા, અર્જુન રાઠવા સહિતના અનેક પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

  

ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીએ યોજી જાહેરસભા 

આવનાર વર્ષમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટીએ આગામી સમયમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ડેડીયાપાડાના સર્કિટ હાઉસ ખાતે ઈસુદાન ગઢવીએ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. તે ઉપરાંત જાહેરસભાને પણ સંબોધી હતી. આ બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા સહિતના અનેક પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 


ભાજપ પર ઈસુદાન ગઢવીએ કર્યા પ્રહાર  

પોતાના સંબોધનમાં ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ભરૂચમાં ભાજપના કોઈ સાંસદ હોય કે ધારાસભ્ય હોય એમને આદિવાસીના પ્રશ્ને બોલવાની તાકાત નથી અને ભાજપમાં 156 અને બીજા ત્રણ ધારાસભ્યોને ભાજપ માત્ર  ચપરાસી તરીકે રાખે છે. જેમને વિધાનસભામાં કોઈ પ્રશ્ન ઉઠાવવાની છૂટ નથી અને અમે લોકસભાની ચૂંટણીમાં 26 સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા કરીશું. ઉપરાંત ચૈતર વસાવાએ પણ મનસુખ વસાવા સામે લડવાની તૈયારી બતાવી છે. જો પાર્ટી કહેશે તો ચૂંટણી લડશે તેવી વાત ચૈતર વસાવાએ કહી હતી.  





ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે