આમ આદમી પાર્ટીએ શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારી! ચૂંટણીને લઈ ઈસુદાન ગઢવીએ આપ્યું નિવેદન કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-03-27 11:42:17

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. દરેક પક્ષે તૈયારીઓ આરંભી દીધી છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારોને લઈ મીટિંગ કરી રણનીતિ ઘડી રહ્યા છે. ત્યારે ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતે આપના કાર્યકર્તાઓની બેઠક બોલાવી હતી. લોકસભાની ચૂંટણી કેવી રીતે જીતવી તે અંગે મિટીંગ કરવામાં આવી હતી. જેમાં ચૈતર વસાવા, અર્જુન રાઠવા સહિતના અનેક પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

  

ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીએ યોજી જાહેરસભા 

આવનાર વર્ષમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટીએ આગામી સમયમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ડેડીયાપાડાના સર્કિટ હાઉસ ખાતે ઈસુદાન ગઢવીએ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. તે ઉપરાંત જાહેરસભાને પણ સંબોધી હતી. આ બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા સહિતના અનેક પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 


ભાજપ પર ઈસુદાન ગઢવીએ કર્યા પ્રહાર  

પોતાના સંબોધનમાં ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ભરૂચમાં ભાજપના કોઈ સાંસદ હોય કે ધારાસભ્ય હોય એમને આદિવાસીના પ્રશ્ને બોલવાની તાકાત નથી અને ભાજપમાં 156 અને બીજા ત્રણ ધારાસભ્યોને ભાજપ માત્ર  ચપરાસી તરીકે રાખે છે. જેમને વિધાનસભામાં કોઈ પ્રશ્ન ઉઠાવવાની છૂટ નથી અને અમે લોકસભાની ચૂંટણીમાં 26 સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા કરીશું. ઉપરાંત ચૈતર વસાવાએ પણ મનસુખ વસાવા સામે લડવાની તૈયારી બતાવી છે. જો પાર્ટી કહેશે તો ચૂંટણી લડશે તેવી વાત ચૈતર વસાવાએ કહી હતી.  





પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.