આમ આદમી પાર્ટીએ શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારી! ચૂંટણીને લઈ ઈસુદાન ગઢવીએ આપ્યું નિવેદન કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-03-27 11:42:17

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. દરેક પક્ષે તૈયારીઓ આરંભી દીધી છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારોને લઈ મીટિંગ કરી રણનીતિ ઘડી રહ્યા છે. ત્યારે ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતે આપના કાર્યકર્તાઓની બેઠક બોલાવી હતી. લોકસભાની ચૂંટણી કેવી રીતે જીતવી તે અંગે મિટીંગ કરવામાં આવી હતી. જેમાં ચૈતર વસાવા, અર્જુન રાઠવા સહિતના અનેક પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

  

ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીએ યોજી જાહેરસભા 

આવનાર વર્ષમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટીએ આગામી સમયમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ડેડીયાપાડાના સર્કિટ હાઉસ ખાતે ઈસુદાન ગઢવીએ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. તે ઉપરાંત જાહેરસભાને પણ સંબોધી હતી. આ બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા સહિતના અનેક પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 


ભાજપ પર ઈસુદાન ગઢવીએ કર્યા પ્રહાર  

પોતાના સંબોધનમાં ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ભરૂચમાં ભાજપના કોઈ સાંસદ હોય કે ધારાસભ્ય હોય એમને આદિવાસીના પ્રશ્ને બોલવાની તાકાત નથી અને ભાજપમાં 156 અને બીજા ત્રણ ધારાસભ્યોને ભાજપ માત્ર  ચપરાસી તરીકે રાખે છે. જેમને વિધાનસભામાં કોઈ પ્રશ્ન ઉઠાવવાની છૂટ નથી અને અમે લોકસભાની ચૂંટણીમાં 26 સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા કરીશું. ઉપરાંત ચૈતર વસાવાએ પણ મનસુખ વસાવા સામે લડવાની તૈયારી બતાવી છે. જો પાર્ટી કહેશે તો ચૂંટણી લડશે તેવી વાત ચૈતર વસાવાએ કહી હતી.  





ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.