AAPનાં કાર્યકર્તાઓએ Bhupat Bhayaniને પકડીને સવાલ કર્યા તો.... સાંભળો શું આપ્યો જવાબ?


  • Published By :
  • Published Date : 2023-12-28 11:18:34

થોડા સમય પહેલા ભૂપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ધારાસભ્ય પદ પરથી તેમજ આમ આદમી પાર્ટી સાથેનો નાતો તેમણે છોડી દીધો હતો.એવી ચર્ચાઓ થઈ રહી હતી કે ગમે ત્યારે તે ભાજપમાં જોડાઈ શકે છે. આજે ભૂપત ભાયાણીની વાત એટલા માટે કરવી છે કારણ કે તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તેમણે આમ આદમી પાર્ટી કેમ છોડી? સવાલો સાંભળીને તમને પણ થશે કે આ વ્યક્તિએ વાત તો સાચી કહી. 

આપના કાર્યકર્તાઓએ ઘેર્યા ભૂપત ભાયાણીને

આપણે જ્યારે મત આપીએ છીએ ત્યારે આપણે આપણા પ્રતિનિધિને જોઈને, પાર્ટીને જોઈને મત આપીએ છીએ. જેને ભાજપ ગમતી હશે તે તેના ઉમેદવારને મત આપશે, જો તેમને કોંગ્રેસ ગમતી હશે તો તે કોંગ્રેસને મત આપશે અને જો તેમને આમ આદમી પાર્ટી ગમતી હશે તો તે આપને વોટ આપશે. લોકો ઉમેદવાર અને પાર્ટીને જોઈને મત આપતા હોય છે. પરંતુ જ્યારે કોઈ ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી કોઈ બીજી પાર્ટીમાં જતું રહે ત્યારે? એ ન માત્ર પાર્ટી સાથે વિશ્વાસઘાત થયો કહેવાય પરંતુ એ મતદારોનું પણ અપમાન છે. 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.