AAPનાં કાર્યકર્તાઓએ Bhupat Bhayaniને પકડીને સવાલ કર્યા તો.... સાંભળો શું આપ્યો જવાબ?


  • Published By :
  • Published Date : 2023-12-28 11:18:34

થોડા સમય પહેલા ભૂપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ધારાસભ્ય પદ પરથી તેમજ આમ આદમી પાર્ટી સાથેનો નાતો તેમણે છોડી દીધો હતો.એવી ચર્ચાઓ થઈ રહી હતી કે ગમે ત્યારે તે ભાજપમાં જોડાઈ શકે છે. આજે ભૂપત ભાયાણીની વાત એટલા માટે કરવી છે કારણ કે તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તેમણે આમ આદમી પાર્ટી કેમ છોડી? સવાલો સાંભળીને તમને પણ થશે કે આ વ્યક્તિએ વાત તો સાચી કહી. 

આપના કાર્યકર્તાઓએ ઘેર્યા ભૂપત ભાયાણીને

આપણે જ્યારે મત આપીએ છીએ ત્યારે આપણે આપણા પ્રતિનિધિને જોઈને, પાર્ટીને જોઈને મત આપીએ છીએ. જેને ભાજપ ગમતી હશે તે તેના ઉમેદવારને મત આપશે, જો તેમને કોંગ્રેસ ગમતી હશે તો તે કોંગ્રેસને મત આપશે અને જો તેમને આમ આદમી પાર્ટી ગમતી હશે તો તે આપને વોટ આપશે. લોકો ઉમેદવાર અને પાર્ટીને જોઈને મત આપતા હોય છે. પરંતુ જ્યારે કોઈ ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી કોઈ બીજી પાર્ટીમાં જતું રહે ત્યારે? એ ન માત્ર પાર્ટી સાથે વિશ્વાસઘાત થયો કહેવાય પરંતુ એ મતદારોનું પણ અપમાન છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.