AAP ફરી CBIના સકંજામાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 14:37:18

દિલ્હીમાં કથિત લિકર પોલીસી કોભાંડમાં ગઈ કાલેજ સાંજે વિજય નાયરની ધડપકડ કરવામાં આવી હતી.. વિજય નાયર મનીષ સિસોદિયાના નિકટના માનવામાં આવે છે અને તેઓ એક એન્ટરટેઇનમેન્ટ અને ઈવેન્ટ મીડિયા કંપનીના પૂર્વ સીઈઓ હતા.

 
કેજરીવાલના આક્ષેપ

CBI દ્વારા વિજય નાયરની ધડપકડ બાદ અરવિંદ કેજરીવાલએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે . તેમણે ટ્વીટ કરીને કહ્યું ગઈકાલે આમણે AAPના એક નાના કાર્યકર્તા વિજય નાયરની ધરપકડ કરી લીધી છે. જેઓ પંજાબ બાદ ગુજરાતનું કોમ્યુનિકેશન જોઈ રહ્યા હતા. તેના પર ખોટી રીતે મનીષ સિસોદિયાનું નામ લેવા પ્રેશર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં AAPના ઝડપથી વધતા ગ્રાફને જોઈને લોકો ગાંડા થઈ ગયા છે.



પંજાબ જીતામાં મોટો હતો હાથ

કલ ધડપકડ બાદ આપ પ્રવરક્તાએ કહ્યું વિજય નાયરનો મોટો હાથ હતો પંજાબ જીતાડવામાં અને તેમણે અત્યારે ગુજરાત ચૂંટણીમાં કોમ્યુનિકેશન સ્ટ્રેટર્જી બનાવી રહ્યા હતા. એવા સમય પર તેમની લિકર પોલિસીના નામ પર ધરપકડ બતાવે છે કે ભાજપ દરેક રીતે AAPને કચડવાનો પ્રયાસ કરી રહી છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .