AAP ફરી CBIના સકંજામાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 14:37:18

દિલ્હીમાં કથિત લિકર પોલીસી કોભાંડમાં ગઈ કાલેજ સાંજે વિજય નાયરની ધડપકડ કરવામાં આવી હતી.. વિજય નાયર મનીષ સિસોદિયાના નિકટના માનવામાં આવે છે અને તેઓ એક એન્ટરટેઇનમેન્ટ અને ઈવેન્ટ મીડિયા કંપનીના પૂર્વ સીઈઓ હતા.

 
કેજરીવાલના આક્ષેપ

CBI દ્વારા વિજય નાયરની ધડપકડ બાદ અરવિંદ કેજરીવાલએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે . તેમણે ટ્વીટ કરીને કહ્યું ગઈકાલે આમણે AAPના એક નાના કાર્યકર્તા વિજય નાયરની ધરપકડ કરી લીધી છે. જેઓ પંજાબ બાદ ગુજરાતનું કોમ્યુનિકેશન જોઈ રહ્યા હતા. તેના પર ખોટી રીતે મનીષ સિસોદિયાનું નામ લેવા પ્રેશર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં AAPના ઝડપથી વધતા ગ્રાફને જોઈને લોકો ગાંડા થઈ ગયા છે.



પંજાબ જીતામાં મોટો હતો હાથ

કલ ધડપકડ બાદ આપ પ્રવરક્તાએ કહ્યું વિજય નાયરનો મોટો હાથ હતો પંજાબ જીતાડવામાં અને તેમણે અત્યારે ગુજરાત ચૂંટણીમાં કોમ્યુનિકેશન સ્ટ્રેટર્જી બનાવી રહ્યા હતા. એવા સમય પર તેમની લિકર પોલિસીના નામ પર ધરપકડ બતાવે છે કે ભાજપ દરેક રીતે AAPને કચડવાનો પ્રયાસ કરી રહી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.