AAP ફરી CBIના સકંજામાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 14:37:18

દિલ્હીમાં કથિત લિકર પોલીસી કોભાંડમાં ગઈ કાલેજ સાંજે વિજય નાયરની ધડપકડ કરવામાં આવી હતી.. વિજય નાયર મનીષ સિસોદિયાના નિકટના માનવામાં આવે છે અને તેઓ એક એન્ટરટેઇનમેન્ટ અને ઈવેન્ટ મીડિયા કંપનીના પૂર્વ સીઈઓ હતા.

 
કેજરીવાલના આક્ષેપ

CBI દ્વારા વિજય નાયરની ધડપકડ બાદ અરવિંદ કેજરીવાલએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે . તેમણે ટ્વીટ કરીને કહ્યું ગઈકાલે આમણે AAPના એક નાના કાર્યકર્તા વિજય નાયરની ધરપકડ કરી લીધી છે. જેઓ પંજાબ બાદ ગુજરાતનું કોમ્યુનિકેશન જોઈ રહ્યા હતા. તેના પર ખોટી રીતે મનીષ સિસોદિયાનું નામ લેવા પ્રેશર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં AAPના ઝડપથી વધતા ગ્રાફને જોઈને લોકો ગાંડા થઈ ગયા છે.



પંજાબ જીતામાં મોટો હતો હાથ

કલ ધડપકડ બાદ આપ પ્રવરક્તાએ કહ્યું વિજય નાયરનો મોટો હાથ હતો પંજાબ જીતાડવામાં અને તેમણે અત્યારે ગુજરાત ચૂંટણીમાં કોમ્યુનિકેશન સ્ટ્રેટર્જી બનાવી રહ્યા હતા. એવા સમય પર તેમની લિકર પોલિસીના નામ પર ધરપકડ બતાવે છે કે ભાજપ દરેક રીતે AAPને કચડવાનો પ્રયાસ કરી રહી છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"