રાજ્ય સરકારે 5 અને 10 રૂપિયા વીઘાના ભાવે ગૌચર જમીનો વેચી: AAP


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 22:17:36

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજયગુરૂએ ભાજપના ભ્ર્ષ્ટાચારને ખુલ્લો પાડતા આકરા પ્રહારો કર્યા હતા. રાજયગુરૂએ ગૌશાળાઓને આર્થિક સહાયનો મુદ્દો ઉઠાવ્યો હતો આ ઉપરાત તેમણે ભાજપ સરકાર પર ગૌચરો સસ્તામાં વેચી મારવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગૌશાળાના સંચાલકોને 500 કરોડની સહાય અંગે બજેટમાં જાહેરાત કરી પણ પૈસા મળ્યા નથી.અમુક ગૌશાળાના સંચાલકોને ચેક આપી ભાજપ સરકારે નાટક કર્યું છે. રાજકોટમાં આમ આદમી પાર્ટીએ ગૌચરની જમીન મુદ્દે યોજેલી પત્રકાર પરિષદમાં ઈન્દ્રનીલ રાજયગુરૂએ આ ઘટષ્ફોટ કર્યો હતો. 


સરકારે પ્રતિ વિઘો 5 અને 10 રૂપિયે ગૌચરની જમીન વેચી


ગૌચરની જમીન મુદ્દે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ગૌચરની જમીન સરકારે વેચાણ કરી દીધી હતી. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારમાં સૌથી વધુ ગૌચરની જમીનનું વેચાણ કરવામાં આવ્યું હતુ. પોરબંદરમાં રાષ્ટ્રીય કથાકાર રમેશભાઈ ઓઝાનો આશ્રમ પણ ગૌચરની જમીન પર બન્યું હોવાનો આરોપ કર્યો હતો. ગૌચરની જમીનો રૂપિયા 5 અને 10માં પ્રતિ વિઘો વેચાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.


ગૌચરની જમીનો પર ભૂમાફિયાઓનો કબજો

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સરકાર પર  પ્રહાર કરતા કહ્યું એ ભૂમાફિયાઓએ ગૌચરની જમીનોને કબજે કરી લીધી છે. ગૌચર પર નિર્ભર લોકો સંકટનો સામનો કરી રહ્યા છે, તેઓ ગાયો સાથે ક્યાં જાય? તેઓને એવી જગ્યાએ જવાની ફરજ પાડવામાં આવે છે જ્યાં જવાનું કાયદેસર રીતે પ્રતિબંધિત છે. સરકારે આ તરફ પણ ધ્યાન આપવું જોઈએ અને ગૌચરની જમીન ખાલી કરાવી જોઈએ જેથી ગાય ત્યાં ચરવા અને ફરવા જઈ શકે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .