રાજ્ય સરકારે 5 અને 10 રૂપિયા વીઘાના ભાવે ગૌચર જમીનો વેચી: AAP


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 22:17:36

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજયગુરૂએ ભાજપના ભ્ર્ષ્ટાચારને ખુલ્લો પાડતા આકરા પ્રહારો કર્યા હતા. રાજયગુરૂએ ગૌશાળાઓને આર્થિક સહાયનો મુદ્દો ઉઠાવ્યો હતો આ ઉપરાત તેમણે ભાજપ સરકાર પર ગૌચરો સસ્તામાં વેચી મારવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગૌશાળાના સંચાલકોને 500 કરોડની સહાય અંગે બજેટમાં જાહેરાત કરી પણ પૈસા મળ્યા નથી.અમુક ગૌશાળાના સંચાલકોને ચેક આપી ભાજપ સરકારે નાટક કર્યું છે. રાજકોટમાં આમ આદમી પાર્ટીએ ગૌચરની જમીન મુદ્દે યોજેલી પત્રકાર પરિષદમાં ઈન્દ્રનીલ રાજયગુરૂએ આ ઘટષ્ફોટ કર્યો હતો. 


સરકારે પ્રતિ વિઘો 5 અને 10 રૂપિયે ગૌચરની જમીન વેચી


ગૌચરની જમીન મુદ્દે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ગૌચરની જમીન સરકારે વેચાણ કરી દીધી હતી. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારમાં સૌથી વધુ ગૌચરની જમીનનું વેચાણ કરવામાં આવ્યું હતુ. પોરબંદરમાં રાષ્ટ્રીય કથાકાર રમેશભાઈ ઓઝાનો આશ્રમ પણ ગૌચરની જમીન પર બન્યું હોવાનો આરોપ કર્યો હતો. ગૌચરની જમીનો રૂપિયા 5 અને 10માં પ્રતિ વિઘો વેચાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.


ગૌચરની જમીનો પર ભૂમાફિયાઓનો કબજો

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સરકાર પર  પ્રહાર કરતા કહ્યું એ ભૂમાફિયાઓએ ગૌચરની જમીનોને કબજે કરી લીધી છે. ગૌચર પર નિર્ભર લોકો સંકટનો સામનો કરી રહ્યા છે, તેઓ ગાયો સાથે ક્યાં જાય? તેઓને એવી જગ્યાએ જવાની ફરજ પાડવામાં આવે છે જ્યાં જવાનું કાયદેસર રીતે પ્રતિબંધિત છે. સરકારે આ તરફ પણ ધ્યાન આપવું જોઈએ અને ગૌચરની જમીન ખાલી કરાવી જોઈએ જેથી ગાય ત્યાં ચરવા અને ફરવા જઈ શકે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.