રાજ્ય સરકારે 5 અને 10 રૂપિયા વીઘાના ભાવે ગૌચર જમીનો વેચી: AAP


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 22:17:36

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજયગુરૂએ ભાજપના ભ્ર્ષ્ટાચારને ખુલ્લો પાડતા આકરા પ્રહારો કર્યા હતા. રાજયગુરૂએ ગૌશાળાઓને આર્થિક સહાયનો મુદ્દો ઉઠાવ્યો હતો આ ઉપરાત તેમણે ભાજપ સરકાર પર ગૌચરો સસ્તામાં વેચી મારવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગૌશાળાના સંચાલકોને 500 કરોડની સહાય અંગે બજેટમાં જાહેરાત કરી પણ પૈસા મળ્યા નથી.અમુક ગૌશાળાના સંચાલકોને ચેક આપી ભાજપ સરકારે નાટક કર્યું છે. રાજકોટમાં આમ આદમી પાર્ટીએ ગૌચરની જમીન મુદ્દે યોજેલી પત્રકાર પરિષદમાં ઈન્દ્રનીલ રાજયગુરૂએ આ ઘટષ્ફોટ કર્યો હતો. 


સરકારે પ્રતિ વિઘો 5 અને 10 રૂપિયે ગૌચરની જમીન વેચી


ગૌચરની જમીન મુદ્દે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ગૌચરની જમીન સરકારે વેચાણ કરી દીધી હતી. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારમાં સૌથી વધુ ગૌચરની જમીનનું વેચાણ કરવામાં આવ્યું હતુ. પોરબંદરમાં રાષ્ટ્રીય કથાકાર રમેશભાઈ ઓઝાનો આશ્રમ પણ ગૌચરની જમીન પર બન્યું હોવાનો આરોપ કર્યો હતો. ગૌચરની જમીનો રૂપિયા 5 અને 10માં પ્રતિ વિઘો વેચાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.


ગૌચરની જમીનો પર ભૂમાફિયાઓનો કબજો

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સરકાર પર  પ્રહાર કરતા કહ્યું એ ભૂમાફિયાઓએ ગૌચરની જમીનોને કબજે કરી લીધી છે. ગૌચર પર નિર્ભર લોકો સંકટનો સામનો કરી રહ્યા છે, તેઓ ગાયો સાથે ક્યાં જાય? તેઓને એવી જગ્યાએ જવાની ફરજ પાડવામાં આવે છે જ્યાં જવાનું કાયદેસર રીતે પ્રતિબંધિત છે. સરકારે આ તરફ પણ ધ્યાન આપવું જોઈએ અને ગૌચરની જમીન ખાલી કરાવી જોઈએ જેથી ગાય ત્યાં ચરવા અને ફરવા જઈ શકે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .