કેજરીવાલનું ફરી થશે ગુજરાતમાં આગમન, ત્રણ દિવસમાં 6 રેલીઓ કરશે


  • Published By :
  • Published Date : 2022-10-26 16:40:35

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે આવી લોકોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા AAPના કન્વિનર કેજરીવાલના ગુજરાતના આટાફેરા જે પ્રકારે વધ્યા છે તે જોતા એવું લાગે છે કે AAP રાજ્યમાં મોટી સફળતા જોઈ રહી છે. હવે ફરી કેજરીવાલ ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, તેઓ રાજયમાં 6 જનસભાઓ ગજવશે.


રાજ્યમાં ક્યાં રેલીઓ કરશે કેજરીવાલ?


ગુજરાતમાં AAPનું પ્રચાર અભિયાન ચલાવી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 28, 29 અને 30 તારીખે ગુજરાતનો પ્રવાસ કરશે. કેજરીવાલ ગુજરાતમાં 3 દિવસમાં 6 જેટલી જનસભાઓ ગજવશે. કેજરીવાલ 28મીએ મોરવા હડફ અને કાંકરેજમાં જનસભાને સંબોધન કરશે. ત્યાર બાદ 29મીએ ચીખલી અને ડેડિયાપાડામાં જનસભાને સંબોધન કરશે. કેજરીવાલ છેલ્લી જનસભા 30મીએ ગારિયાધાર અને ધોરાજી ખાતે કરશે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તમામ સભાઓમાં તેમની સાથે હાજર રહેશે.


ભાજપ, કોગ્રેસ બાદ હવે AAP પણ શરૂ કરશે યાત્રા


રાજયમાં વિઘાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે મતદારોને રીધવવા માટે ચૂંટણી યાત્રા શરૂ કરી છે. આ બંને પાર્ટીઓને જોઈ હવે આમ આદમી પાર્ટી યાત્રા શરૂ કરશે. આવતીકાલે AAPના ઈસુદાન ગઢવી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં AAPની ‘બસ, હવે તો પરિવર્તન જોઈએ’ યાત્રા શરૂ કરાવશે. આ યાત્રામાં AAPના સ્થાનિક નેતાઓ ભાગ લેશે અને તે 70 જેટલી બેઠકોમાં ફરશે અને  AAPની ગેરન્ટી યોજનાઓ લોકો સુધી પહોંચાડશે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"