કેજરીવાલનું ફરી થશે ગુજરાતમાં આગમન, ત્રણ દિવસમાં 6 રેલીઓ કરશે


  • Published By :
  • Published Date : 2022-10-26 16:40:35

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે આવી લોકોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા AAPના કન્વિનર કેજરીવાલના ગુજરાતના આટાફેરા જે પ્રકારે વધ્યા છે તે જોતા એવું લાગે છે કે AAP રાજ્યમાં મોટી સફળતા જોઈ રહી છે. હવે ફરી કેજરીવાલ ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, તેઓ રાજયમાં 6 જનસભાઓ ગજવશે.


રાજ્યમાં ક્યાં રેલીઓ કરશે કેજરીવાલ?


ગુજરાતમાં AAPનું પ્રચાર અભિયાન ચલાવી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 28, 29 અને 30 તારીખે ગુજરાતનો પ્રવાસ કરશે. કેજરીવાલ ગુજરાતમાં 3 દિવસમાં 6 જેટલી જનસભાઓ ગજવશે. કેજરીવાલ 28મીએ મોરવા હડફ અને કાંકરેજમાં જનસભાને સંબોધન કરશે. ત્યાર બાદ 29મીએ ચીખલી અને ડેડિયાપાડામાં જનસભાને સંબોધન કરશે. કેજરીવાલ છેલ્લી જનસભા 30મીએ ગારિયાધાર અને ધોરાજી ખાતે કરશે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તમામ સભાઓમાં તેમની સાથે હાજર રહેશે.


ભાજપ, કોગ્રેસ બાદ હવે AAP પણ શરૂ કરશે યાત્રા


રાજયમાં વિઘાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે મતદારોને રીધવવા માટે ચૂંટણી યાત્રા શરૂ કરી છે. આ બંને પાર્ટીઓને જોઈ હવે આમ આદમી પાર્ટી યાત્રા શરૂ કરશે. આવતીકાલે AAPના ઈસુદાન ગઢવી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં AAPની ‘બસ, હવે તો પરિવર્તન જોઈએ’ યાત્રા શરૂ કરાવશે. આ યાત્રામાં AAPના સ્થાનિક નેતાઓ ભાગ લેશે અને તે 70 જેટલી બેઠકોમાં ફરશે અને  AAPની ગેરન્ટી યોજનાઓ લોકો સુધી પહોંચાડશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.