ભાજપે આખરે ખેલ્યું હિન્દુત્વ કાર્ડ, કેજરીવાલનો જૂનો વીડિયો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 11:30:22

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે મુખ્ય પ્રતિસ્પર્ધી મનાતા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વીડિયો વોર શરૂ થઈ ગઈ છે. ભાજપ આપ નેતાઓના એક પછી એક જૂના વીડિયો શેર કરીને આપને બેકફૃટ પર લાવવાના પ્રયાસો કરી રહી છે. ગોપાલ ઈટાલિયા બાદ ભાજપે આજે આપ કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરવાલનો વીડિયો વાયરલ કર્યો હતો. 


મુસ્લીમોના સમર્થનમાં કેજરીવાલનો વીડિયો વાયરલ


ભાજપ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો વધુ એક વીડિયો વાઈરલ કરવામાં આવ્યો છે. જેમાં કેજરીવાલ બાટલા હાઉસ એન્કાઉન્ટર ફેક હોવાનું તથા માલેગાવ બ્લાસ્ટમાં હિન્દુ સંગઠન સામેલ હોવાનું જણાવી રહ્યા છે. દિલ્હીથી ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ કેજરીવાલનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. 2 મિનિટ અને 19 સેકન્ડના આ વીડિયોમાં કેજરીવાલ બાટલા હાઉસ એન્કાઉન્ટર ફેક હોવાનું કહી રહ્યા છે આ સાથે જ તેઓ માલેગાવ બ્લાસ્ટમાં હિન્દુ સંગઠન પણ સામેલ હોવાનું કહી રહ્યા છે, જેને લઈને હવે ભાજપ તેમને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.


વિધાન સભા ચૂંટણીને કોમી રંગ આપવાનો પ્રયાસ


ગુજરાતના લોકો વિધાનસભા ચૂંટણી પહેલા મોંઘવારી, બેકારી, ગરીબી અને શિક્ષણ અને આરોગ્ય તથા માળખાગત વિકાસ સહિતના મહત્વના મુદ્દા ભૂલી જાય તે માટેના પ્રયાસો શરૂ થઈ ગયા છે. લોકોની સળગતી સમસ્યાઓ બાજુમાં મુકીને ભાજપ જુના વીડિયો વાયરલ કરીને તેના 27 વર્ષના શાસનની નિષ્ફળતાઓ પર પડદો પાડવાના પ્રયાસો કરી રહી છે. ભાજપ આપના નેતાઓના એક પછી એક વીડિયો વાયરલ કરીને ચૂંટણીનો હિંદુ-મુસ્લીમ રંગ આપવા માગે છે. ભાજપ હિન્દુત્વ કાર્ડથી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં જ AAPના દિલ્હીના મંત્રીનો એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં તેઓ શિવ, વિષ્ણુ તથા બ્રહ્માને ભગવાન ન માનવાના શપથ લેનારા લોકો સાથે જોવા મળ્યા હતા, જે બાદ ભારે ઉહાપોહ મચ્યો હતો. ગુજરાતમાં ઘણી જગ્યાએ કેજરીવાલનો આ મુદ્દે વિરોધ થયો હતો. બાદમાં વડોદરામાં કેજરીવાલે પોતે કહ્યું હતું કે, હું એક ધાર્મિક વ્યક્તિ છું અને હનુમાનજીનો કટ્ટર ભક્ત છું. જે બાદ ગઈકાલે ગોપાલ ઈટાલિયાનો જૂનો વીડિયો વાઈરલ કરાયો હતો જ્યારે આજે કેજરીવાલનો જૂનો વીડિયો વાઈરલ કરવામાં આવી રહ્યો છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.