ભાજપે આખરે ખેલ્યું હિન્દુત્વ કાર્ડ, કેજરીવાલનો જૂનો વીડિયો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 11:30:22

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે મુખ્ય પ્રતિસ્પર્ધી મનાતા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વીડિયો વોર શરૂ થઈ ગઈ છે. ભાજપ આપ નેતાઓના એક પછી એક જૂના વીડિયો શેર કરીને આપને બેકફૃટ પર લાવવાના પ્રયાસો કરી રહી છે. ગોપાલ ઈટાલિયા બાદ ભાજપે આજે આપ કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરવાલનો વીડિયો વાયરલ કર્યો હતો. 


મુસ્લીમોના સમર્થનમાં કેજરીવાલનો વીડિયો વાયરલ


ભાજપ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો વધુ એક વીડિયો વાઈરલ કરવામાં આવ્યો છે. જેમાં કેજરીવાલ બાટલા હાઉસ એન્કાઉન્ટર ફેક હોવાનું તથા માલેગાવ બ્લાસ્ટમાં હિન્દુ સંગઠન સામેલ હોવાનું જણાવી રહ્યા છે. દિલ્હીથી ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ કેજરીવાલનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. 2 મિનિટ અને 19 સેકન્ડના આ વીડિયોમાં કેજરીવાલ બાટલા હાઉસ એન્કાઉન્ટર ફેક હોવાનું કહી રહ્યા છે આ સાથે જ તેઓ માલેગાવ બ્લાસ્ટમાં હિન્દુ સંગઠન પણ સામેલ હોવાનું કહી રહ્યા છે, જેને લઈને હવે ભાજપ તેમને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.


વિધાન સભા ચૂંટણીને કોમી રંગ આપવાનો પ્રયાસ


ગુજરાતના લોકો વિધાનસભા ચૂંટણી પહેલા મોંઘવારી, બેકારી, ગરીબી અને શિક્ષણ અને આરોગ્ય તથા માળખાગત વિકાસ સહિતના મહત્વના મુદ્દા ભૂલી જાય તે માટેના પ્રયાસો શરૂ થઈ ગયા છે. લોકોની સળગતી સમસ્યાઓ બાજુમાં મુકીને ભાજપ જુના વીડિયો વાયરલ કરીને તેના 27 વર્ષના શાસનની નિષ્ફળતાઓ પર પડદો પાડવાના પ્રયાસો કરી રહી છે. ભાજપ આપના નેતાઓના એક પછી એક વીડિયો વાયરલ કરીને ચૂંટણીનો હિંદુ-મુસ્લીમ રંગ આપવા માગે છે. ભાજપ હિન્દુત્વ કાર્ડથી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં જ AAPના દિલ્હીના મંત્રીનો એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં તેઓ શિવ, વિષ્ણુ તથા બ્રહ્માને ભગવાન ન માનવાના શપથ લેનારા લોકો સાથે જોવા મળ્યા હતા, જે બાદ ભારે ઉહાપોહ મચ્યો હતો. ગુજરાતમાં ઘણી જગ્યાએ કેજરીવાલનો આ મુદ્દે વિરોધ થયો હતો. બાદમાં વડોદરામાં કેજરીવાલે પોતે કહ્યું હતું કે, હું એક ધાર્મિક વ્યક્તિ છું અને હનુમાનજીનો કટ્ટર ભક્ત છું. જે બાદ ગઈકાલે ગોપાલ ઈટાલિયાનો જૂનો વીડિયો વાઈરલ કરાયો હતો જ્યારે આજે કેજરીવાલનો જૂનો વીડિયો વાઈરલ કરવામાં આવી રહ્યો છે.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે