વધુ એક નેતાએ AAPને કર્યું ગુડ બાય, પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી પાર્ટીમાંથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-08-20 13:41:07

આમ આદમી પાર્ટીને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે, આપના ઉપપ્રમુખ વશરામ સાગઠિયા બાદ વધુ એક નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. હવે આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીનો પણ મોહભંગ થઈ ગયો છે. ભેમાભાઈ ચૌધરી તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ ધરી દીધું છે. ભેમાભાઈ આપમાંથી 2022માં દિયોદર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા. તેમણે પાર્ટી પ્રમુખ અને પાર્ટીના પ્રભારીને રાજીનામું મોકલી આપ્યું છે. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બનાસકાંઠા આપના કદાવર નેતા ભેમાભાઈના રાજીનામાંથી આપને રાજકીય દ્રષ્ટીએ મોટો મોટો ઝટકો લાગ્યો છે તેમ કહીં શકાય.

 

અવગણનાના કારણે રાજીનામું


જમાવટ સાથે વાત કરતા ભેમાભાઈએ આમ આદમી પાર્ટીએ તેમના રાજીનામાના કારણો આપતા કહ્યું કે પાર્ટીમાં તેમની સતત અવગણના થતી હતી. તેમણે આરોપ લગાવ્યો કે ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે શરૂ થયેલી પાર્ટી હવે મુદ્દાઓથી વિમુખ થતી જાય છે. ગુજરાતમાં 2012થી અત્યાર સુધી પાર્ટીનું ઉભી કરવામાં ભેમાભાઈનું મોટું યોગદાન રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલા જ ભેમાભાઈના રાજીનામાંની સાથે હજું પણ વધુ નેતાઓ પાર્ટી છોડે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.