દિલ્હી MCDમાં BJP અને AAPના કાઉન્સિલરો ફરી બાખડ્યા, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-02-24 21:34:23

દિલ્હી  MCDમાં 15 વર્ષ બાદથી એકહથ્થું શાસન કરતા ભાજપે સત્તા ગુમાવ્યા બાદ ભાજપને આ પરાજય પચતો નથી. આમ આદમી પાર્ટીએ ભાજપના હાથમાંથી સત્તા આંચકી લેતા ભાજપ અને આપના કાઉન્સિલરો વચ્ચે સતત તંગદીલી સર્જાતી રહે છે. આજે ફરી બંને પાર્ટીના કાઉન્સિલરો બાખડી પડ્યા હતા.


BJP અને AAP કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી


દેશની રાજધાની MCD હાઉસમાં 36 કલાક પણ પસાર થયા ન હતા કે ફરી એકવાર તે જ દ્રશ્ય જોવા મળ્યું. MCDમાં સ્થાયી સમિતિની ચૂંટણી દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP)ના કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. કાઉન્સિલરો ગૃહની અંદર એકબીજાને મારતા જોવા મળે છે. શુક્રવારના દિવસે કાઉન્સિલરો બુધવારે રાત્રે જે જોવા મળ્યા હતા તેના કરતા એક ડગલું આગળ વધી ગયા હતા. 


શા માટે કાઉન્સિલરો બાખડ્યા?



દિલ્હી MCDની સ્ટેન્ડિગ કમિટી માટે ચૂંટણી પંચના અધિકારીઓએ સ્થાયી સમિતિમાં બંને પક્ષોમાંથી ત્રણ-ત્રણ સભ્યોની પસંદગી કરી હતી, પરંતુ મેયર શૈલી ઓબેરોયે ભાજપના કાઉન્સિલરના વોટને અમાન્ય જાહેર કર્યા બાદ MCD હાઉસમાં હંગામો શરૂ થયો હતો. ભાજપનું કહેવું છે કે જ્યારે ચૂંટણી પંચના અધિકારીઓએ કહ્યું છે કે મત માન્ય છે અને ફરીથી મત ગણતરીની જરૂર નથી. તેમ છતાં મેયરે તે મતને અનવેલિડ જાહેર કર્યો હતો. ભાજપના કાઉન્સિલરોએ AAP પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો હતો. સાથે જ આમ આદમી પાર્ટી તરફથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમના કાઉન્સિલરો દ્વારા ગુંડાગીરી કરવામાં આવી રહી છે. AAPનું કહેવું છે કે મેયર પર પણ હુમલો કરવાનો પ્રયાસ થયો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.