'હું પટેલ છું એટલે મને હેરાન કરે છે' ગુજરાતમાં રાજનીતિ ચરમ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 14:58:20

આપના નેતા ગોપાલ ઈટાલિયાનો એક જૂનો વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે. આ વિડીયોમાં ગોપાલ ઈટાલિયાએ વડાપ્રધાન મોદીને 'નીચ' કહેતા રાજકારણ ગરમાયું છે. આ વાઈરલ વીડિયો અંગે  ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે હું પાટીદાર છું અને મારો સમાજ અત્યારે ભાજપથી નારાજ છે. આ કારણોસર વિવિધ મુદ્દે મને ટાર્ગેટ કરીને હેરાન કરવાનું ષડયંત્ર ભાજપ કરી રહ્યું છે. 


આની સાથે ગોપાલ ઈટાલિયાએ કંસના સંતાનોથી લઈ બેરોજગારી, શિક્ષણ સહિતના મુદ્દે પાર્ટી પર પ્રહારો કર્યા છે. આની સાથે દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણીનો મુદ્દો ભટકાવવા માટે મથામણ કરી રહ્યા હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે.



ભાજપ મને હેરાન કરે છે- ઈટાલિયા


ગોપાલ ઈટાલિયાએ વાઈરલ વીડિયો અંગે કહ્યું કે હું પાટીદાર છે, પટેલ છું એટલે મારા પર ભાજપ સીધો ટાર્ગેટ કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી તરફ અત્યારે પાટીદાર સમાજ આકર્ષાઈ રહ્યો છે. તથા બીજી બાજુ ભાજપથી સમગ્ર સમાજ નારાજ ચાલી રહ્યો છે. આને જોતા મને હેરાન કરવા માટે જૂના, સાચ્ચા-ખોટા વીડિયો વાઈરલ કરીને ટાર્ગેટ કરાઈ રહ્યો છે. વળી આ વીડિયો સાચ્ચો છે કે ખોટો કોને ખબર.


ભાજપ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે: ઈટાલિયા


કંસના સંતાનો જેવા કામ કર્યા છે ભાજપે એમ કહીને ગોપાલ ઈટાલિયાને ભાજપને ઘેરો કર્યો છે. તેમણે કહ્યું કે અત્યારે ભાજપ રોજગારી, શિક્ષણ અને લઠ્ઠાકાંડ જેવા મુદ્દે જવાબ શોધી શકી નથી. એને જોતા હવે આના પર કોઈ કાર્યવાહી કરવાના બદલે તેઓ મુદ્દાને ભટકાવી રહ્યા છે. ચૂંટણી દરમિયાન મારો વીડિયો એક મુદ્દો બનાવી ચગાવી રહ્યા છે.


ભાજપ પાસે લઠ્ઠાકાંડ, પેપરલીક કાંડ, રોજગારી સહિતના મુદ્દે કોઈપણ જવાબ જ નથી. વળી મને ટાર્ગેટ કરવા માટે આવા જૂના વીડિયોને વાઈરલ કરીને રાજનીતિને અલગ દિશામાં લઈ જવા માગે છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .