'હું પટેલ છું એટલે મને હેરાન કરે છે' ગુજરાતમાં રાજનીતિ ચરમ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 14:58:20

આપના નેતા ગોપાલ ઈટાલિયાનો એક જૂનો વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે. આ વિડીયોમાં ગોપાલ ઈટાલિયાએ વડાપ્રધાન મોદીને 'નીચ' કહેતા રાજકારણ ગરમાયું છે. આ વાઈરલ વીડિયો અંગે  ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે હું પાટીદાર છું અને મારો સમાજ અત્યારે ભાજપથી નારાજ છે. આ કારણોસર વિવિધ મુદ્દે મને ટાર્ગેટ કરીને હેરાન કરવાનું ષડયંત્ર ભાજપ કરી રહ્યું છે. 


આની સાથે ગોપાલ ઈટાલિયાએ કંસના સંતાનોથી લઈ બેરોજગારી, શિક્ષણ સહિતના મુદ્દે પાર્ટી પર પ્રહારો કર્યા છે. આની સાથે દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણીનો મુદ્દો ભટકાવવા માટે મથામણ કરી રહ્યા હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે.



ભાજપ મને હેરાન કરે છે- ઈટાલિયા


ગોપાલ ઈટાલિયાએ વાઈરલ વીડિયો અંગે કહ્યું કે હું પાટીદાર છે, પટેલ છું એટલે મારા પર ભાજપ સીધો ટાર્ગેટ કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી તરફ અત્યારે પાટીદાર સમાજ આકર્ષાઈ રહ્યો છે. તથા બીજી બાજુ ભાજપથી સમગ્ર સમાજ નારાજ ચાલી રહ્યો છે. આને જોતા મને હેરાન કરવા માટે જૂના, સાચ્ચા-ખોટા વીડિયો વાઈરલ કરીને ટાર્ગેટ કરાઈ રહ્યો છે. વળી આ વીડિયો સાચ્ચો છે કે ખોટો કોને ખબર.


ભાજપ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે: ઈટાલિયા


કંસના સંતાનો જેવા કામ કર્યા છે ભાજપે એમ કહીને ગોપાલ ઈટાલિયાને ભાજપને ઘેરો કર્યો છે. તેમણે કહ્યું કે અત્યારે ભાજપ રોજગારી, શિક્ષણ અને લઠ્ઠાકાંડ જેવા મુદ્દે જવાબ શોધી શકી નથી. એને જોતા હવે આના પર કોઈ કાર્યવાહી કરવાના બદલે તેઓ મુદ્દાને ભટકાવી રહ્યા છે. ચૂંટણી દરમિયાન મારો વીડિયો એક મુદ્દો બનાવી ચગાવી રહ્યા છે.


ભાજપ પાસે લઠ્ઠાકાંડ, પેપરલીક કાંડ, રોજગારી સહિતના મુદ્દે કોઈપણ જવાબ જ નથી. વળી મને ટાર્ગેટ કરવા માટે આવા જૂના વીડિયોને વાઈરલ કરીને રાજનીતિને અલગ દિશામાં લઈ જવા માગે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.