'હું પટેલ છું એટલે મને હેરાન કરે છે' ગુજરાતમાં રાજનીતિ ચરમ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 14:58:20

આપના નેતા ગોપાલ ઈટાલિયાનો એક જૂનો વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે. આ વિડીયોમાં ગોપાલ ઈટાલિયાએ વડાપ્રધાન મોદીને 'નીચ' કહેતા રાજકારણ ગરમાયું છે. આ વાઈરલ વીડિયો અંગે  ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે હું પાટીદાર છું અને મારો સમાજ અત્યારે ભાજપથી નારાજ છે. આ કારણોસર વિવિધ મુદ્દે મને ટાર્ગેટ કરીને હેરાન કરવાનું ષડયંત્ર ભાજપ કરી રહ્યું છે. 


આની સાથે ગોપાલ ઈટાલિયાએ કંસના સંતાનોથી લઈ બેરોજગારી, શિક્ષણ સહિતના મુદ્દે પાર્ટી પર પ્રહારો કર્યા છે. આની સાથે દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણીનો મુદ્દો ભટકાવવા માટે મથામણ કરી રહ્યા હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે.



ભાજપ મને હેરાન કરે છે- ઈટાલિયા


ગોપાલ ઈટાલિયાએ વાઈરલ વીડિયો અંગે કહ્યું કે હું પાટીદાર છે, પટેલ છું એટલે મારા પર ભાજપ સીધો ટાર્ગેટ કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી તરફ અત્યારે પાટીદાર સમાજ આકર્ષાઈ રહ્યો છે. તથા બીજી બાજુ ભાજપથી સમગ્ર સમાજ નારાજ ચાલી રહ્યો છે. આને જોતા મને હેરાન કરવા માટે જૂના, સાચ્ચા-ખોટા વીડિયો વાઈરલ કરીને ટાર્ગેટ કરાઈ રહ્યો છે. વળી આ વીડિયો સાચ્ચો છે કે ખોટો કોને ખબર.


ભાજપ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે: ઈટાલિયા


કંસના સંતાનો જેવા કામ કર્યા છે ભાજપે એમ કહીને ગોપાલ ઈટાલિયાને ભાજપને ઘેરો કર્યો છે. તેમણે કહ્યું કે અત્યારે ભાજપ રોજગારી, શિક્ષણ અને લઠ્ઠાકાંડ જેવા મુદ્દે જવાબ શોધી શકી નથી. એને જોતા હવે આના પર કોઈ કાર્યવાહી કરવાના બદલે તેઓ મુદ્દાને ભટકાવી રહ્યા છે. ચૂંટણી દરમિયાન મારો વીડિયો એક મુદ્દો બનાવી ચગાવી રહ્યા છે.


ભાજપ પાસે લઠ્ઠાકાંડ, પેપરલીક કાંડ, રોજગારી સહિતના મુદ્દે કોઈપણ જવાબ જ નથી. વળી મને ટાર્ગેટ કરવા માટે આવા જૂના વીડિયોને વાઈરલ કરીને રાજનીતિને અલગ દિશામાં લઈ જવા માગે છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે