Congress બાદ TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવી AAP, આગામી દિવસોમાં આપ કરશે યુવા અધિકાર યાત્રા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-10 16:31:43

જ્ઞાનસહાયકને રદ્દ કરાવા માટે ટેટ-ટાટના ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. સરકાર સુધી તેમની વાત પહોંચે તેવા પ્રયત્નો ઉમેદવારો દ્વારા કરાઈ રહ્યા છે. અનેક વખત ઉમેદવારો દ્વારા અલગ અલગ રીતે જ્ઞાન સહાયકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોઈ વખત મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવે છે તો કોઈ વખત ભગવાનને પત્ર લખી રજૂઆત કરવામાં આવે છે. ઉમેદવારોના સમર્થનમાં પહેલા કોંગ્રેસ પાર્ટી આવી હતી ત્યારે હવે ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી આવી છે. આપના નેતા યુવરાજસિંહ જાડેજા તો ઉમેદવારના સમર્થનમાં હતા જ. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા શિક્ષણ બચાવ ધરણામાં તેઓ હાજર રહ્યા હતા.


થોડા દિવસ પહેલા કોંગ્રેસે કર્યા હતા ધરણા 

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ પ્રતિદિન કથળી રહી છે. શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે, એવા વીડિયો છે જેમાં શિક્ષણની ખરી વાસ્તવિક્તા શું છે તે ઉજાગર થાય છે. ત્યારે ગુજરાતના ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા ખાનગીકરણનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. 

આમ આદમી પાર્ટી કરશે યુવા અધિકાર યાત્રા 

ત્યારે જ્ઞાન સહાયક મુદ્દે આમ આદમી પાર્ટી પણ સરકાર સમક્ષ આવી છે. ઉમેદવારના સમર્થનમાં આમ આદમી પાર્ટી યુવા અધિકાર યાત્રા કરશે. દાંડીથી સાબરમતી આશ્રમ સુધી આ યાત્રા નીકળશે. 13 ઓક્ટોબરથી આ યાત્રાનો પ્રારંભ થશે જે 20 ઓક્ટોબર સુધી ચાલશે. આમ આદમી પાર્ટી દ્વારા આનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 



ઈસુદાન ગઢવીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત 

આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ જાડેજા હાજર હતા. ઈસુદાન ગઢવીએ કીધું કે જ્ઞાનસહાયક જેવી યોજના લાવી ભાજપ યુવાનોનું ભવિષ્ય અંધકારમય બનાવી રહી છે. યુવરાજસિંહ જાડેજા તેમજ ચૈતર વસાવાની આગેવાનીમાં આ દાંડી કૂચ નીકળવાની છે તેવી જાહેરાત કરવામાં આવી છે.મહત્વનું છે કે ઘણા સમયથી ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.