Congress બાદ TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવી AAP, આગામી દિવસોમાં આપ કરશે યુવા અધિકાર યાત્રા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-10 16:31:43

જ્ઞાનસહાયકને રદ્દ કરાવા માટે ટેટ-ટાટના ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. સરકાર સુધી તેમની વાત પહોંચે તેવા પ્રયત્નો ઉમેદવારો દ્વારા કરાઈ રહ્યા છે. અનેક વખત ઉમેદવારો દ્વારા અલગ અલગ રીતે જ્ઞાન સહાયકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોઈ વખત મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવે છે તો કોઈ વખત ભગવાનને પત્ર લખી રજૂઆત કરવામાં આવે છે. ઉમેદવારોના સમર્થનમાં પહેલા કોંગ્રેસ પાર્ટી આવી હતી ત્યારે હવે ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી આવી છે. આપના નેતા યુવરાજસિંહ જાડેજા તો ઉમેદવારના સમર્થનમાં હતા જ. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા શિક્ષણ બચાવ ધરણામાં તેઓ હાજર રહ્યા હતા.


થોડા દિવસ પહેલા કોંગ્રેસે કર્યા હતા ધરણા 

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ પ્રતિદિન કથળી રહી છે. શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે, એવા વીડિયો છે જેમાં શિક્ષણની ખરી વાસ્તવિક્તા શું છે તે ઉજાગર થાય છે. ત્યારે ગુજરાતના ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા ખાનગીકરણનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. 

આમ આદમી પાર્ટી કરશે યુવા અધિકાર યાત્રા 

ત્યારે જ્ઞાન સહાયક મુદ્દે આમ આદમી પાર્ટી પણ સરકાર સમક્ષ આવી છે. ઉમેદવારના સમર્થનમાં આમ આદમી પાર્ટી યુવા અધિકાર યાત્રા કરશે. દાંડીથી સાબરમતી આશ્રમ સુધી આ યાત્રા નીકળશે. 13 ઓક્ટોબરથી આ યાત્રાનો પ્રારંભ થશે જે 20 ઓક્ટોબર સુધી ચાલશે. આમ આદમી પાર્ટી દ્વારા આનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 



ઈસુદાન ગઢવીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત 

આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ જાડેજા હાજર હતા. ઈસુદાન ગઢવીએ કીધું કે જ્ઞાનસહાયક જેવી યોજના લાવી ભાજપ યુવાનોનું ભવિષ્ય અંધકારમય બનાવી રહી છે. યુવરાજસિંહ જાડેજા તેમજ ચૈતર વસાવાની આગેવાનીમાં આ દાંડી કૂચ નીકળવાની છે તેવી જાહેરાત કરવામાં આવી છે.મહત્વનું છે કે ઘણા સમયથી ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.