Congress બાદ TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવી AAP, આગામી દિવસોમાં આપ કરશે યુવા અધિકાર યાત્રા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-10 16:31:43

જ્ઞાનસહાયકને રદ્દ કરાવા માટે ટેટ-ટાટના ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. સરકાર સુધી તેમની વાત પહોંચે તેવા પ્રયત્નો ઉમેદવારો દ્વારા કરાઈ રહ્યા છે. અનેક વખત ઉમેદવારો દ્વારા અલગ અલગ રીતે જ્ઞાન સહાયકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોઈ વખત મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવે છે તો કોઈ વખત ભગવાનને પત્ર લખી રજૂઆત કરવામાં આવે છે. ઉમેદવારોના સમર્થનમાં પહેલા કોંગ્રેસ પાર્ટી આવી હતી ત્યારે હવે ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી આવી છે. આપના નેતા યુવરાજસિંહ જાડેજા તો ઉમેદવારના સમર્થનમાં હતા જ. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા શિક્ષણ બચાવ ધરણામાં તેઓ હાજર રહ્યા હતા.


થોડા દિવસ પહેલા કોંગ્રેસે કર્યા હતા ધરણા 

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ પ્રતિદિન કથળી રહી છે. શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે, એવા વીડિયો છે જેમાં શિક્ષણની ખરી વાસ્તવિક્તા શું છે તે ઉજાગર થાય છે. ત્યારે ગુજરાતના ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા ખાનગીકરણનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. 

આમ આદમી પાર્ટી કરશે યુવા અધિકાર યાત્રા 

ત્યારે જ્ઞાન સહાયક મુદ્દે આમ આદમી પાર્ટી પણ સરકાર સમક્ષ આવી છે. ઉમેદવારના સમર્થનમાં આમ આદમી પાર્ટી યુવા અધિકાર યાત્રા કરશે. દાંડીથી સાબરમતી આશ્રમ સુધી આ યાત્રા નીકળશે. 13 ઓક્ટોબરથી આ યાત્રાનો પ્રારંભ થશે જે 20 ઓક્ટોબર સુધી ચાલશે. આમ આદમી પાર્ટી દ્વારા આનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 



ઈસુદાન ગઢવીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત 

આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ જાડેજા હાજર હતા. ઈસુદાન ગઢવીએ કીધું કે જ્ઞાનસહાયક જેવી યોજના લાવી ભાજપ યુવાનોનું ભવિષ્ય અંધકારમય બનાવી રહી છે. યુવરાજસિંહ જાડેજા તેમજ ચૈતર વસાવાની આગેવાનીમાં આ દાંડી કૂચ નીકળવાની છે તેવી જાહેરાત કરવામાં આવી છે.મહત્વનું છે કે ઘણા સમયથી ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.