AAPનો ઝાંઝવતી પ્રચાર શરૂ ,કેજરીવાલ અને ભગવંત માન સહિતના નેતાઓ પાંચ દિવસ ગુજરાતમાં !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-20 16:19:51

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હવે ઝંઝાવતી પ્રચાર શરૂ થયો છે. રાજકીય પક્ષોના નેતાઓ હવે ગુજરાતમાં રોડ શો અને જાહેરસભાઓ સંબોધી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આજથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાજ્યસભા સાંસદ સંજયસિંહ અને રાઘવ ચઢ્ઢા આજથી 25 નવેમ્બર સુધી અલગ અલગ જગ્યાએ જાહેરસભા અને રોડ શો યોજશે.


આજે અલગ અલગ જગ્યાએ રોડ શો 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 20, 21, 22 નવેમ્બર સુધી ગુજરાતમાં પ્રચાર કરશે. આજે 20 નવેમ્બરના રોજ હાલોલ ખાતે સાંજે 4 વાગ્યે રોડ શો કરશે. 21મી નવેમ્બરે સાંજે 5 વાગ્યે અમરેલી ખાતે રોડ શો કરશે. 22 નવેમ્બરે બપોરે 2 વાગ્યે ખંભાળિયા ખાતે જાહેર સભાને સંબોધશે અને સાંજે 5વાગ્યે સુરતમાં રોડ શોમાં ભાગ લેશે ત્યારબાદ રાત્રે 9 વાગ્યે સુરતમાં જાહેરસભાને સંબોધશે.


ભગવંત માન કેજરીવાલ કરતાં વધુ ગુજરાતમાં પ્રચાર કરશે !

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલથી 5 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 21, 22, 23, 24 ,25 નવેમ્બર સુધી તેઓ પ્રચાર કરશે. 21 નવેમ્બર સવારે 11 વાગ્યે ઉમરગામમાં રોડ શો કરશે. બપોરે 3 વાગ્યે કપરડા ખાતે રોડ શો કરશે. સાંજે 5 વાગ્યે ધરમપુરમાં રોડ શો કરશે અને સાંજે 6:00 વાગ્યે વાંસદામાં રોડ શો કરશે. 22 નવેમ્બરના રોજ બપોરે 1 વાગ્યે ડાંગમાં રોડ શો કરશે. સાંજે 4:30 વાગ્યે નવસારી રોડ, સાંજે 6 વાગ્યે ઉધના રોડ ખાતે રોડ શો કરશે. 23 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે નિઝર રોડ, બપોરે 1:00 વાગ્યે વ્યારામાં, બપોરે 3:00 વાગ્યે માંડવી રોડ, સાંજે 5 વાગ્યે ઝઘડિયા રોડ રોડ શો કરશે. 24 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે કરજણ રોડ, બપોરે 2 વાગ્યે નાંદોદ રોડ, બપોરે 3:30 સંખેડા રોડ, સાંજે 5:30 જેતપુર છોટા ઉદેપુરમાં રોડ શો કરશે. 25 નવેમ્બર સવારે 11 વાગ્યે માંગરોળ બારડોલીમાં, બપોરે 3 વાગ્યે બારડોલીમાં અને સાંજે 6 વાગ્યે ઓલપાડમાં રોડ શો કરશે.


રાઘવ ચઢ્ઢાએ પણ પ્રચાર કમાન હાથમાં લીધી 

રાજ્યસભા સાંસદ રાધવ ચઢ્ઢા પણ 21, 22, 23, 24 નવેમ્બરના રોજ 5 રોડ શો અને 3 જનસભાને સંબોધિત કરશે. 21 નવેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે ધાંગધ્રામાં રોડ શો કરશે. રાત્રે 7 વાગ્યે ચોટીલામાં જનસભાને સંબોધિત કરશે. 22 નવેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે કાંકરેજમાં જનસભાને સંબોધિત કરશે. રાત્રે 8 વાગ્યે પાટણમાં જનસભાને સંબોધિત કરશે. 23 નવેમ્બરના રોજ બપોરે 1 વાગ્યે મોડાસામાં રોડ શો કરશે. સાંજે 5 વાગ્યે પ્રાંતિજ રોડ શો કરશે. 24 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે બાલાસિનોરમાં, સાંજે 5 વાગ્યે ઠાસરામાં રોડ શો કરશે.






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.