AAPનો ઝાંઝવતી પ્રચાર શરૂ ,કેજરીવાલ અને ભગવંત માન સહિતના નેતાઓ પાંચ દિવસ ગુજરાતમાં !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-20 16:19:51

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હવે ઝંઝાવતી પ્રચાર શરૂ થયો છે. રાજકીય પક્ષોના નેતાઓ હવે ગુજરાતમાં રોડ શો અને જાહેરસભાઓ સંબોધી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આજથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાજ્યસભા સાંસદ સંજયસિંહ અને રાઘવ ચઢ્ઢા આજથી 25 નવેમ્બર સુધી અલગ અલગ જગ્યાએ જાહેરસભા અને રોડ શો યોજશે.


આજે અલગ અલગ જગ્યાએ રોડ શો 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 20, 21, 22 નવેમ્બર સુધી ગુજરાતમાં પ્રચાર કરશે. આજે 20 નવેમ્બરના રોજ હાલોલ ખાતે સાંજે 4 વાગ્યે રોડ શો કરશે. 21મી નવેમ્બરે સાંજે 5 વાગ્યે અમરેલી ખાતે રોડ શો કરશે. 22 નવેમ્બરે બપોરે 2 વાગ્યે ખંભાળિયા ખાતે જાહેર સભાને સંબોધશે અને સાંજે 5વાગ્યે સુરતમાં રોડ શોમાં ભાગ લેશે ત્યારબાદ રાત્રે 9 વાગ્યે સુરતમાં જાહેરસભાને સંબોધશે.


ભગવંત માન કેજરીવાલ કરતાં વધુ ગુજરાતમાં પ્રચાર કરશે !

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલથી 5 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 21, 22, 23, 24 ,25 નવેમ્બર સુધી તેઓ પ્રચાર કરશે. 21 નવેમ્બર સવારે 11 વાગ્યે ઉમરગામમાં રોડ શો કરશે. બપોરે 3 વાગ્યે કપરડા ખાતે રોડ શો કરશે. સાંજે 5 વાગ્યે ધરમપુરમાં રોડ શો કરશે અને સાંજે 6:00 વાગ્યે વાંસદામાં રોડ શો કરશે. 22 નવેમ્બરના રોજ બપોરે 1 વાગ્યે ડાંગમાં રોડ શો કરશે. સાંજે 4:30 વાગ્યે નવસારી રોડ, સાંજે 6 વાગ્યે ઉધના રોડ ખાતે રોડ શો કરશે. 23 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે નિઝર રોડ, બપોરે 1:00 વાગ્યે વ્યારામાં, બપોરે 3:00 વાગ્યે માંડવી રોડ, સાંજે 5 વાગ્યે ઝઘડિયા રોડ રોડ શો કરશે. 24 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે કરજણ રોડ, બપોરે 2 વાગ્યે નાંદોદ રોડ, બપોરે 3:30 સંખેડા રોડ, સાંજે 5:30 જેતપુર છોટા ઉદેપુરમાં રોડ શો કરશે. 25 નવેમ્બર સવારે 11 વાગ્યે માંગરોળ બારડોલીમાં, બપોરે 3 વાગ્યે બારડોલીમાં અને સાંજે 6 વાગ્યે ઓલપાડમાં રોડ શો કરશે.


રાઘવ ચઢ્ઢાએ પણ પ્રચાર કમાન હાથમાં લીધી 

રાજ્યસભા સાંસદ રાધવ ચઢ્ઢા પણ 21, 22, 23, 24 નવેમ્બરના રોજ 5 રોડ શો અને 3 જનસભાને સંબોધિત કરશે. 21 નવેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે ધાંગધ્રામાં રોડ શો કરશે. રાત્રે 7 વાગ્યે ચોટીલામાં જનસભાને સંબોધિત કરશે. 22 નવેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે કાંકરેજમાં જનસભાને સંબોધિત કરશે. રાત્રે 8 વાગ્યે પાટણમાં જનસભાને સંબોધિત કરશે. 23 નવેમ્બરના રોજ બપોરે 1 વાગ્યે મોડાસામાં રોડ શો કરશે. સાંજે 5 વાગ્યે પ્રાંતિજ રોડ શો કરશે. 24 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે બાલાસિનોરમાં, સાંજે 5 વાગ્યે ઠાસરામાં રોડ શો કરશે.






પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.