અબડાસાના AAPના ઉમેદવાર વસંત ખેલાણીએ ભાજપને ટેકો આપવાની જાહેરાત કરી


  • Published By :
  • Published Date : 2022-11-28 09:52:49

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ માહોલ ગરમાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા સુરત આપના ઉમેદવાર કંચન જરીવાલા એકાએક ગાયબ થઈ ગયા હતા અને બીજા દિવસે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી ત્યારે હવે કચ્છમાં અબડાસા વિધાનસભા બેઠકના ઉમેદવાર વસંત ખેલાણીએ વીડિયો બહાર પાડી ભાજપને ટેકો જાહેર કર્યો છે.

વીડિયો બનાવી ભાજપના ઉમેદવારને આપ્યું સમર્થન

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના વીડિયો સામે આવી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટીએ દરેક બેઠક પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે થોડા દિવસો પૂર્વે સુરત આપના ઉમેદવાર કંચન જરીવાલા એકાએક ગાયબ થઈ ગયા હતા અને બીજા દિવસે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ત્યારે કાર્યકર્તાઓ અનુસાર કચ્છમાં આપના નેતા અને અબડાસા બેઠકના આપના ઉમેદવાર ગાયબ થઈ ગયા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. પરંતુ થોડા સમય બાદ તેમણે વીડિયો બનાવી ભાજપને સમર્થન જાહેર કર્યું હતું.





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.