ચાલતા આંદોલનો વચ્ચે આપે ભાજપ પ્રહાર કર્યા છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 16:10:11

2022 વિધાનસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. આ વખતે ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ સિવાય પહેલી વખત ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. ભાજપ અને આપ વચ્ચે સતત આક્ષેપ પ્રતિઆક્ષેપ ચાલી રહ્યો છે. ત્યારે ફરી એક વખત ગોપાલ ઈટાલીયાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે.

આંદોલનનો લાભ ઉઠાવતી રાજકીય પાર્ટી

ચૂંટણી નજીક આવતા સરકાર પ્રેશરમાં આવી રહી છે. પડતર માગણીઓ સરકાર સુધી પહોંચાડવાનો આ સુવર્ણ સમય લોકો સમજી રહ્યા છે. માગણીઓને લઈ અનેક લોકો વિરોધ પ્રદર્શન કરી સરકારનો ઘેરાવ કરી રહ્યા છે. આરોગ્ય કર્મચારી, ખેડૂત, ભૂતપૂર્વ સૈનિકો પોતાની માગણીને લઈ સરકાર વિરૂદ્ધ બાયો ચડાવી દીધી છે. પોલીસ ગ્રેડ પેનો મુદ્દો માંડ શાંત પડ્યો છે ત્યારે આરોગ્ય કર્મચારીઓ, ખેડૂતો તેમજ માજી સૈનિકો ધરણા કરી રહ્યા છે. આંદોલન વધતા આનો લાભ રાજકીય પાર્ટી લઈ રહી છે.

આપે આપી પ્રતીક્રિયા

વધતા આંદોલનો વચ્ચે પોતાની મતબેંકને બનાવા આપ પ્રયાસ કરી રહી છે. ધરણા કરી રહેલા લોકોની સાથે આપ પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી પોતાની રાજનીતિ કરી રહી છે. ચાલતા આંદોલનો વચ્ચે ગોપાલ ઈટાલીઆએ નિવેદન આપ્યું છે કે જનતાને સુવિધા આપવાની વાત આવે, પોલીસ ગ્રેડપેની વાત આવે, સૈન્યના ભૂતપૂર્વ જવાનોને એમના અધિકાર આપવાની વાત આવે ત્યારે સરકાર એમ કહે છે કે અમારી પાસે રૂપિયા નથી, ત્યારે બીજી બાજૂ ધારાસભ્યોના ખરીદ-વેચાણ વખતે એમની પાસે કરોડો રૂપિયા આવી જાય છે.

ગુજરાતમાં બદલાઈ શકે છે રાજકીય સમીકરણ

ચૂંટણી નજીક આવતા ભાજપની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. એક બાદ એક આંદોલનો ચાલી રહ્યા છે. અનેક પ્રદર્શનકારી સરકાર વિરૂદ્ધ આંદોલનો ચલાવી, ભાજપ સરકારની ચિંતામાં વધારી રહ્યા છે. ત્યારે ભાજપને આ વખતે સરકાર બનાવામાં મુશ્કેલી પડશે કે સફળ થશે તે પરિણામ જ બતાવશે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.