પેટાચૂંટણી માટે પણ AAP-Congress વચ્ચે થઈ શકે છે ગઠબંધન, ભાજપ આ ઉમેદવારોને ઉતારી શકે છે પેટાચૂંટણી માટે.. જાણો કોના નામની થઈ રહી છે ચર્ચા?


  • Published By :
  • Published Date : 2024-02-23 16:24:20

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે એવી માહિતી સામે આવી છે કે પેટાચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરી શકે છે. પેટાચૂંટણીને લઈ ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે.

વિસાદવદર બેઠક પરથી ઈસુદાન ગઢવી લડી શકે છે પેટાચૂંટણી!

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વિજાપુરથી સી.જે.ચાવડાને ભાજપ પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી શકે છે તો ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ મળી શકે છે. વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપ ટિકિટ આપી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. તે ઉપરાંત વિસાવદરથી ભૂપત ભાયાણીને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે ચૂંટણી મેદાને તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. વિધાનસભાની પેટાચૂંટણીમાં મતોનું વિભાજન ના થાય તે માટે કોંગ્રેસ અને આપ એકસાથે ચૂંટણી લડી શકે છે. એવી માહિતી સામે આવી છે કે ઈસુદાન ગઢવીને વિસાવદરથી આપ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. વિસાવદરથી ઈસુદાન ગઢવી પેટા ચૂંટણી લડી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.  



મતદાતાઓના તૂટતા હોય છે વિશ્વાસ જ્યારે ધારાસભ્ય આપે છે પદ પરથી રાજીનામું !  

લોકો મતદાન કરીને પોતાના જનપ્રતિનિધીને ચૂંટતા હોય છે. લોકો પાર્ટી તેમજ ઉમેદવારને જોઈ મતદાન સામાન્ય રીતે કરતા હોય છે પરંતુ જ્યારે ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દે, પાર્ટીને છોડીને જતા રહે તો મતદાતાઓનો વિશ્વાસ તૂટી જતો હોય છે. છેલ્લા થોડા સમયથી આપના, કોંગ્રેસના તેમજ અપક્ષના ધારાસભ્યોના પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે તેમને ભાજપ પેટાચૂંટણી માટે મેદાનમાં ઉતારી શકે છે. 



ભાજપ કોને ઉતારી શકે છે ચૂંટણી મેદાનમાં? 

વિસાવદરના આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. તે સિવાય કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું તે સિવાય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને હવે તે ભાજપમાં જોડાઈ ગયા છે. મળતી માહિતી અનુસાર બે પૂર્વ ધારાસભ્યો  ભાજપમાં જોડાયા છે તેમને પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. વાઘોડિયાથી ભાજપ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી શકે છે તો ભાજપ ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ આપી શકે છે. ભાજપ વિજાપુરથી સી.જે.ચાવડાને ઉમેદવાર બનાવશે તેવી માહિતી સામે આવી છે. વિસાવદરથી ભૂપત ભાયાણીને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે ભાજપ ચૂંટણી મેદાનમાં એવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. 

  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે