Bharat Jodo Nyay Yatraમાં જોવા મળશે AAP-Congress ગઠબંધન! Shaktisinh Gohilએ Isudan Gadhviને કર્યો ફોન અને કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-03-05 18:07:50

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતની 26 બેઠકો માટે ગઠબંધન થયું છે. 24 બેઠકો પર કોંગ્રેસ લડશે અને બે બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડશે.7 માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે ગઠબંધન થયું છે માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર, નેતાઓ, કાર્યકરો સામેલ થશે આ યાત્રામાં ત્યારે એવી માહિતી સામે આવી છે કે આમ આદમી પાર્ટીને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થવા માટે કોંગ્રેસ તરફથી આમંત્રણ મળ્યું છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી.


રાહુલ ગાંધીની યાત્રા પહેલા કોંગ્રેસમાં સર્જાયું ભંગાણ! 

લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે. ગુજરાતમાંથી પણ આ યાત્રા પસાર થવાની છે. રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રવેશે તે પહેલા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અર્જુન ડેરે પણ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં આમ આદમી પાર્ટી પણ જોડાશે. શક્તિસિંહ ગોહિલે ઈસુદાન ગઢવી સાથે ફોન પર વાતચીત કરી હતી અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. 


આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાશે ભારત જોડો ન્યાય યાત્રામાં!

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહીત આગેવાનો 7 તારીખે યાત્રામાં જોડાશે. થોડા દિવસની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી તરફથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે અને આ અંગેની જાહેરાત કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. કોંગ્રેસ 24 લોકસભા બેઠક પર ઉમેદવાર ઉતારશે જ્યારે ભરૂચ અને ભાવનગર લોકસભા સીટ માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ભરૂચ લોકસભા સીટ પર આપે ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી દીધી છે.           



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.