Bharat Jodo Nyay Yatraમાં જોવા મળશે AAP-Congress ગઠબંધન! Shaktisinh Gohilએ Isudan Gadhviને કર્યો ફોન અને કહ્યું કે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-05 18:07:50

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતની 26 બેઠકો માટે ગઠબંધન થયું છે. 24 બેઠકો પર કોંગ્રેસ લડશે અને બે બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડશે.7 માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે ગઠબંધન થયું છે માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર, નેતાઓ, કાર્યકરો સામેલ થશે આ યાત્રામાં ત્યારે એવી માહિતી સામે આવી છે કે આમ આદમી પાર્ટીને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થવા માટે કોંગ્રેસ તરફથી આમંત્રણ મળ્યું છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી.


રાહુલ ગાંધીની યાત્રા પહેલા કોંગ્રેસમાં સર્જાયું ભંગાણ! 

લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે. ગુજરાતમાંથી પણ આ યાત્રા પસાર થવાની છે. રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રવેશે તે પહેલા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અર્જુન ડેરે પણ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં આમ આદમી પાર્ટી પણ જોડાશે. શક્તિસિંહ ગોહિલે ઈસુદાન ગઢવી સાથે ફોન પર વાતચીત કરી હતી અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. 


આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાશે ભારત જોડો ન્યાય યાત્રામાં!

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહીત આગેવાનો 7 તારીખે યાત્રામાં જોડાશે. થોડા દિવસની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી તરફથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે અને આ અંગેની જાહેરાત કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. કોંગ્રેસ 24 લોકસભા બેઠક પર ઉમેદવાર ઉતારશે જ્યારે ભરૂચ અને ભાવનગર લોકસભા સીટ માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ભરૂચ લોકસભા સીટ પર આપે ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી દીધી છે.           



ગુજરાતની સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયું. તે બાદ સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.. તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે..

જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે જામનગર પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી. ઉપવાસ કરી રહેલી મહિલાઓને તેમણે પારણા કરાવ્યા હતા.

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...