AAPએ ગુજરાત સરકાર પર કર્યા પ્રહાર - ટ્વિટ કરી લખ્યું 'ગુજરાતમાં છે ભ્રષ્ટાચારી ભાજપની સેટિંગની સરકાર'


  • Published By :
  • Published Date : 2023-08-02 16:40:57

ગુજરાતમાં એકબાદ એક અલગ અલગ કૌભાંડો ઉજાગર થઈ રહ્યા છે. પરીક્ષામાં પણ કૌભાંડો થતા હોવાની વાત અનેક વખત કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ જે કૌભાંડની ચર્ચા થઈ રહી છે તે ઉર્જા વિભાગની ભરતીમાં થઈ હોવાની ગેરરીતિ અંગે થઈ રહી છે. આ મામલે વધુ 9 લોકોની ધરપકડ કરાઈ છે. મહત્વનું છે કે ઉર્જા કૌભાંડમાં હજી સુધી 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હજી તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીએ સરકાર પર પ્રહાર કર્યા છે.

ઉર્જા ભરતી કૌભાંડમાં થઈ છે અનેક લોકોની ધરપકડ  

એક તરફ બેરોજગાર લોકો નોકરી માટે વલખા મારી રહ્યા છે. તો બીજી તરફ પૈસા આપી અનેક લોકો નોકરી મેળવી રહ્યા છે. અનેક કૌભાંડો સામે આવી રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ યુવરાજસિંહે કર્યો હતો. ડમી કાંડ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જેલ ગયા તે પહેલા યુવરાજસિંહ દ્વારા ઉર્જા ભરતીમાં થતા કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉર્જા ભરતીમાં થઈ રહેલી તપાસમાં 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આ મામલે સરકાર પર પ્રહાર કર્યા છે.


આપે સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ!

આમ આદમી પાર્ટીએ એક ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે પૈસા આપો, નોકરી લો... મહેનત કરવાથી હવે નહીં થાય બેડો પાર, કેમ કે ગુજરાતમાં છે ભ્રષ્ટાચારી ભાજપની સેટિંગની સરકાર. એ વાતને પણ નકારી ન શકાય કે એક તરફ નોકરી માટે યુવાનો વલખા મારી રહ્યા છે તો બીજી તરફ પૈસાના દમથી નોકરી ખરીદી અનેક યુવાનો એસોઆરામની જીંદગી જીવી રહ્યા છે. TET-TATના ઉમેદવારોની પણ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ છે. કરાર આધારીત ભરતી બંધ કરી શિક્ષકોના ભવિષ્ય સાથે ચેડા ન કરવામાં આવે તેવી તેમની સરકાર પાસેથી આશા છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.