AAPએ ગુજરાત સરકાર પર કર્યા પ્રહાર - ટ્વિટ કરી લખ્યું 'ગુજરાતમાં છે ભ્રષ્ટાચારી ભાજપની સેટિંગની સરકાર'


  • Published By :
  • Published Date : 2023-08-02 16:40:57

ગુજરાતમાં એકબાદ એક અલગ અલગ કૌભાંડો ઉજાગર થઈ રહ્યા છે. પરીક્ષામાં પણ કૌભાંડો થતા હોવાની વાત અનેક વખત કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ જે કૌભાંડની ચર્ચા થઈ રહી છે તે ઉર્જા વિભાગની ભરતીમાં થઈ હોવાની ગેરરીતિ અંગે થઈ રહી છે. આ મામલે વધુ 9 લોકોની ધરપકડ કરાઈ છે. મહત્વનું છે કે ઉર્જા કૌભાંડમાં હજી સુધી 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હજી તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીએ સરકાર પર પ્રહાર કર્યા છે.

ઉર્જા ભરતી કૌભાંડમાં થઈ છે અનેક લોકોની ધરપકડ  

એક તરફ બેરોજગાર લોકો નોકરી માટે વલખા મારી રહ્યા છે. તો બીજી તરફ પૈસા આપી અનેક લોકો નોકરી મેળવી રહ્યા છે. અનેક કૌભાંડો સામે આવી રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ યુવરાજસિંહે કર્યો હતો. ડમી કાંડ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જેલ ગયા તે પહેલા યુવરાજસિંહ દ્વારા ઉર્જા ભરતીમાં થતા કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉર્જા ભરતીમાં થઈ રહેલી તપાસમાં 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આ મામલે સરકાર પર પ્રહાર કર્યા છે.


આપે સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ!

આમ આદમી પાર્ટીએ એક ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે પૈસા આપો, નોકરી લો... મહેનત કરવાથી હવે નહીં થાય બેડો પાર, કેમ કે ગુજરાતમાં છે ભ્રષ્ટાચારી ભાજપની સેટિંગની સરકાર. એ વાતને પણ નકારી ન શકાય કે એક તરફ નોકરી માટે યુવાનો વલખા મારી રહ્યા છે તો બીજી તરફ પૈસાના દમથી નોકરી ખરીદી અનેક યુવાનો એસોઆરામની જીંદગી જીવી રહ્યા છે. TET-TATના ઉમેદવારોની પણ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ છે. કરાર આધારીત ભરતી બંધ કરી શિક્ષકોના ભવિષ્ય સાથે ચેડા ન કરવામાં આવે તેવી તેમની સરકાર પાસેથી આશા છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.