AAP એટલે "અરવિંદ એડવર્ટાઇઝ પાર્ટી", કોંગ્રેસના મોટા નેતાએ કેજરીવાલ પર કર્યા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 20:50:51

ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે તેમ નેતાઓના ભાષણો પણ તીખા થઈ રહ્યા છે અને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ પણ શરૂ કરી દીધા છે ત્યારે વડોદરામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 3 રાજ્યના પ્રભારી ડૉ. અજય કુમારે અરવિદ કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. અજય કુમારે પત્રકાર પરિષદમાં કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ પોતે આમ આદમી હોવાનો ઢોંગ કરે છે, પરંતુ જનતા બધું જાણે છે. જનતા મૂર્ખ નથી. 


AAP ભગતસિંહના નામ પર કરી રહી છે રાજનીતિ

ડૉ. અજય કુમારે આપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની કોઈ વિચારધારા નથી. આ લોકો જયારે આંદોલન કરતા હતા ત્યારે ગાંધીજીની વાત કરતા હતા અને અત્યારે ગાંધીજીનો ફોટો પણ હટાવી દીધો. આ બેશરમ લોકો ગુજરાતમાં આવી આંબેડકર અને ભગતસિંહના ફોટો રાખી રહ્યા છે. વધુ એમણે કહ્યું કે, કેજરીવાલ સાદગીના નાટક કરે છે. તે દિલ્હીમાં પોતાના ઘરનું કરોડોમાં રીનોવેશન કરાવે છે અને ગુજરાતમાં રિક્ષામાં બેસવાના નાટક કરે છે. તે દિલ્હીમાં ક્યારેય રિક્ષામાં નથી બેસતા. 


કેજરીવાલના દિલ્લી મોડેલ પર ઉઠાવ્યા સવાલો

આમ આદમી પાર્ટીના દિલ્લી મોડેલ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, આજે 40 ટકાથી પણ વધુ વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાં છે. AAPની સરકારમાં વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલો છોડવા લાગ્યા છે. દિલ્હીમાં 500 સ્કૂલના દાવા સામે  માત્ર 63 સ્કૂલો બનાવી છે. સૌથી વધારે બેરોજગારી દિલ્હીમાં છે. આઠ વર્ષમાં એક પણ રોડ અને ફ્લાય ઑવર નથી બનાવ્યો. કેજરીવાલે સરકારી ખજાનાને નુકસાન કરવાનું કામ કર્યું છે. કેજરીવાલે દારૂ પર કંપનીના ટેક્સ ઓછો કરી કંપનીને ફાયદો કરાવી કમાણી કરી છે. 


પ્રધાનમંત્રીની માતા એ આપણી માતાઃ કોંગ્રેસ 

ડૉ. અજય કુમારે ગોપાલ ઈટાલિયા દ્વારા પ્રધાનમંત્રીના માતા વિશે કરેલા અપમાનનો  વિરોધ કરતા જણાવ્યું હતું કે, અમેં પણ નરેન્દ્ર મોદીના વિરોધી છીએ પરંતુ પ્રધાનમંત્રીની માતા એ આપણી માતા છે અને માતાનું અપમાન કરનારે દેશની માફી માગવી જોઈએ. ફક્ત ગોપાલ ઈટાલિયાએ નહીં પરંતુ અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદિયાએ પણ સાર્વજનિક રીતે દેશની માફી માગવી જોઈએ.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે