AAP એટલે "અરવિંદ એડવર્ટાઇઝ પાર્ટી", કોંગ્રેસના મોટા નેતાએ કેજરીવાલ પર કર્યા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 20:50:51

ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે તેમ નેતાઓના ભાષણો પણ તીખા થઈ રહ્યા છે અને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ પણ શરૂ કરી દીધા છે ત્યારે વડોદરામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 3 રાજ્યના પ્રભારી ડૉ. અજય કુમારે અરવિદ કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. અજય કુમારે પત્રકાર પરિષદમાં કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ પોતે આમ આદમી હોવાનો ઢોંગ કરે છે, પરંતુ જનતા બધું જાણે છે. જનતા મૂર્ખ નથી. 


AAP ભગતસિંહના નામ પર કરી રહી છે રાજનીતિ

ડૉ. અજય કુમારે આપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની કોઈ વિચારધારા નથી. આ લોકો જયારે આંદોલન કરતા હતા ત્યારે ગાંધીજીની વાત કરતા હતા અને અત્યારે ગાંધીજીનો ફોટો પણ હટાવી દીધો. આ બેશરમ લોકો ગુજરાતમાં આવી આંબેડકર અને ભગતસિંહના ફોટો રાખી રહ્યા છે. વધુ એમણે કહ્યું કે, કેજરીવાલ સાદગીના નાટક કરે છે. તે દિલ્હીમાં પોતાના ઘરનું કરોડોમાં રીનોવેશન કરાવે છે અને ગુજરાતમાં રિક્ષામાં બેસવાના નાટક કરે છે. તે દિલ્હીમાં ક્યારેય રિક્ષામાં નથી બેસતા. 


કેજરીવાલના દિલ્લી મોડેલ પર ઉઠાવ્યા સવાલો

આમ આદમી પાર્ટીના દિલ્લી મોડેલ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, આજે 40 ટકાથી પણ વધુ વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાં છે. AAPની સરકારમાં વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલો છોડવા લાગ્યા છે. દિલ્હીમાં 500 સ્કૂલના દાવા સામે  માત્ર 63 સ્કૂલો બનાવી છે. સૌથી વધારે બેરોજગારી દિલ્હીમાં છે. આઠ વર્ષમાં એક પણ રોડ અને ફ્લાય ઑવર નથી બનાવ્યો. કેજરીવાલે સરકારી ખજાનાને નુકસાન કરવાનું કામ કર્યું છે. કેજરીવાલે દારૂ પર કંપનીના ટેક્સ ઓછો કરી કંપનીને ફાયદો કરાવી કમાણી કરી છે. 


પ્રધાનમંત્રીની માતા એ આપણી માતાઃ કોંગ્રેસ 

ડૉ. અજય કુમારે ગોપાલ ઈટાલિયા દ્વારા પ્રધાનમંત્રીના માતા વિશે કરેલા અપમાનનો  વિરોધ કરતા જણાવ્યું હતું કે, અમેં પણ નરેન્દ્ર મોદીના વિરોધી છીએ પરંતુ પ્રધાનમંત્રીની માતા એ આપણી માતા છે અને માતાનું અપમાન કરનારે દેશની માફી માગવી જોઈએ. ફક્ત ગોપાલ ઈટાલિયાએ નહીં પરંતુ અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદિયાએ પણ સાર્વજનિક રીતે દેશની માફી માગવી જોઈએ.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .