AAP એટલે "અરવિંદ એડવર્ટાઇઝ પાર્ટી", કોંગ્રેસના મોટા નેતાએ કેજરીવાલ પર કર્યા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 20:50:51

ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે તેમ નેતાઓના ભાષણો પણ તીખા થઈ રહ્યા છે અને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ પણ શરૂ કરી દીધા છે ત્યારે વડોદરામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 3 રાજ્યના પ્રભારી ડૉ. અજય કુમારે અરવિદ કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. અજય કુમારે પત્રકાર પરિષદમાં કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ પોતે આમ આદમી હોવાનો ઢોંગ કરે છે, પરંતુ જનતા બધું જાણે છે. જનતા મૂર્ખ નથી. 


AAP ભગતસિંહના નામ પર કરી રહી છે રાજનીતિ

ડૉ. અજય કુમારે આપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની કોઈ વિચારધારા નથી. આ લોકો જયારે આંદોલન કરતા હતા ત્યારે ગાંધીજીની વાત કરતા હતા અને અત્યારે ગાંધીજીનો ફોટો પણ હટાવી દીધો. આ બેશરમ લોકો ગુજરાતમાં આવી આંબેડકર અને ભગતસિંહના ફોટો રાખી રહ્યા છે. વધુ એમણે કહ્યું કે, કેજરીવાલ સાદગીના નાટક કરે છે. તે દિલ્હીમાં પોતાના ઘરનું કરોડોમાં રીનોવેશન કરાવે છે અને ગુજરાતમાં રિક્ષામાં બેસવાના નાટક કરે છે. તે દિલ્હીમાં ક્યારેય રિક્ષામાં નથી બેસતા. 


કેજરીવાલના દિલ્લી મોડેલ પર ઉઠાવ્યા સવાલો

આમ આદમી પાર્ટીના દિલ્લી મોડેલ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, આજે 40 ટકાથી પણ વધુ વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાં છે. AAPની સરકારમાં વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલો છોડવા લાગ્યા છે. દિલ્હીમાં 500 સ્કૂલના દાવા સામે  માત્ર 63 સ્કૂલો બનાવી છે. સૌથી વધારે બેરોજગારી દિલ્હીમાં છે. આઠ વર્ષમાં એક પણ રોડ અને ફ્લાય ઑવર નથી બનાવ્યો. કેજરીવાલે સરકારી ખજાનાને નુકસાન કરવાનું કામ કર્યું છે. કેજરીવાલે દારૂ પર કંપનીના ટેક્સ ઓછો કરી કંપનીને ફાયદો કરાવી કમાણી કરી છે. 


પ્રધાનમંત્રીની માતા એ આપણી માતાઃ કોંગ્રેસ 

ડૉ. અજય કુમારે ગોપાલ ઈટાલિયા દ્વારા પ્રધાનમંત્રીના માતા વિશે કરેલા અપમાનનો  વિરોધ કરતા જણાવ્યું હતું કે, અમેં પણ નરેન્દ્ર મોદીના વિરોધી છીએ પરંતુ પ્રધાનમંત્રીની માતા એ આપણી માતા છે અને માતાનું અપમાન કરનારે દેશની માફી માગવી જોઈએ. ફક્ત ગોપાલ ઈટાલિયાએ નહીં પરંતુ અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદિયાએ પણ સાર્વજનિક રીતે દેશની માફી માગવી જોઈએ.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.