આપના નેતા ગોપાલ ઈટાલિયાની ફરી અટકાયત, સુરત ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ લઈ જવાયા


  • Published By :
  • Published Date : 2023-04-17 17:04:35

આપના નેતા ગોપાલ ઈટાલિયાની ફરી એક વખત અટકાયત કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાની અટકાયત બાદ તેમને સુરત ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ લઈ જવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર ટિપ્પણી કરવાના આરોપ હેઠળ ગોપાલ ઈટાલિયાની સુરત ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે.


ગોપાલ ઇટાલિયા પર આરોપ શું છે?


ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તરીકે સંબોધતા ફરિયાદ નોંધાઈ હતી. ઉમરા પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોપાલ ઇટાલિયા દ્વારા ભૂતકાળમાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અંગે પણ 'બૂટલેગર' 'બૂટલેગર' તરીકે સંબોધન કર્યું હતું. તેમના સંબોધનના કારણે રાજકીય રીતે માહોલ ખૂબ જ ઉગ્ર બન્યો હતો. અરિહંત જવેલર્સ વાળા ભાજપના કાર્યકર પ્રતાપ ચોડવડિયા દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. પ્રતાપ ચોડવડિયાના જણાવ્યા પ્રમાણે  સી.આર પાટીલ તેમના આદર્શ છે અને ગોપાલ ઇટાલીયાએ તેમને માજી બુટલેગર કહેતા પ્રતાપ ચોડવડિયાની લાગણી દુભાઈ ગઈ છે.


ફરિયાદ થતાં માહોલ ગરમાયો 


ગોપાલ ઈટાલિયા રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના વેચાણને મુદ્દે સતત રાજ્યની ભાજપ સરકાર પર આક્રમક પ્રહારો કરતા રહ્યા છે. તાજેતરમાં ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયામાં નિવેદન આપ્યું કે રાજ્યના ગૃહમંત્રી 'ડ્રગ્સ સંઘવી'નો ઉપયોગ કરતા હવે તેમની સામે કાયદાકીય લડત શરૂ થઈ છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.