આપના નેતા ગોપાલ ઈટાલિયાની ફરી અટકાયત, સુરત ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ લઈ જવાયા


  • Published By :
  • Published Date : 2023-04-17 17:04:35

આપના નેતા ગોપાલ ઈટાલિયાની ફરી એક વખત અટકાયત કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાની અટકાયત બાદ તેમને સુરત ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ લઈ જવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર ટિપ્પણી કરવાના આરોપ હેઠળ ગોપાલ ઈટાલિયાની સુરત ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે.


ગોપાલ ઇટાલિયા પર આરોપ શું છે?


ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તરીકે સંબોધતા ફરિયાદ નોંધાઈ હતી. ઉમરા પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોપાલ ઇટાલિયા દ્વારા ભૂતકાળમાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અંગે પણ 'બૂટલેગર' 'બૂટલેગર' તરીકે સંબોધન કર્યું હતું. તેમના સંબોધનના કારણે રાજકીય રીતે માહોલ ખૂબ જ ઉગ્ર બન્યો હતો. અરિહંત જવેલર્સ વાળા ભાજપના કાર્યકર પ્રતાપ ચોડવડિયા દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. પ્રતાપ ચોડવડિયાના જણાવ્યા પ્રમાણે  સી.આર પાટીલ તેમના આદર્શ છે અને ગોપાલ ઇટાલીયાએ તેમને માજી બુટલેગર કહેતા પ્રતાપ ચોડવડિયાની લાગણી દુભાઈ ગઈ છે.


ફરિયાદ થતાં માહોલ ગરમાયો 


ગોપાલ ઈટાલિયા રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના વેચાણને મુદ્દે સતત રાજ્યની ભાજપ સરકાર પર આક્રમક પ્રહારો કરતા રહ્યા છે. તાજેતરમાં ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયામાં નિવેદન આપ્યું કે રાજ્યના ગૃહમંત્રી 'ડ્રગ્સ સંઘવી'નો ઉપયોગ કરતા હવે તેમની સામે કાયદાકીય લડત શરૂ થઈ છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.