આપના નેતા ગોપાલ ઈટાલિયાની ફરી અટકાયત, સુરત ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ લઈ જવાયા


  • Published By :
  • Published Date : 2023-04-17 17:04:35

આપના નેતા ગોપાલ ઈટાલિયાની ફરી એક વખત અટકાયત કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાની અટકાયત બાદ તેમને સુરત ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ લઈ જવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર ટિપ્પણી કરવાના આરોપ હેઠળ ગોપાલ ઈટાલિયાની સુરત ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે.


ગોપાલ ઇટાલિયા પર આરોપ શું છે?


ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તરીકે સંબોધતા ફરિયાદ નોંધાઈ હતી. ઉમરા પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોપાલ ઇટાલિયા દ્વારા ભૂતકાળમાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અંગે પણ 'બૂટલેગર' 'બૂટલેગર' તરીકે સંબોધન કર્યું હતું. તેમના સંબોધનના કારણે રાજકીય રીતે માહોલ ખૂબ જ ઉગ્ર બન્યો હતો. અરિહંત જવેલર્સ વાળા ભાજપના કાર્યકર પ્રતાપ ચોડવડિયા દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. પ્રતાપ ચોડવડિયાના જણાવ્યા પ્રમાણે  સી.આર પાટીલ તેમના આદર્શ છે અને ગોપાલ ઇટાલીયાએ તેમને માજી બુટલેગર કહેતા પ્રતાપ ચોડવડિયાની લાગણી દુભાઈ ગઈ છે.


ફરિયાદ થતાં માહોલ ગરમાયો 


ગોપાલ ઈટાલિયા રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના વેચાણને મુદ્દે સતત રાજ્યની ભાજપ સરકાર પર આક્રમક પ્રહારો કરતા રહ્યા છે. તાજેતરમાં ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયામાં નિવેદન આપ્યું કે રાજ્યના ગૃહમંત્રી 'ડ્રગ્સ સંઘવી'નો ઉપયોગ કરતા હવે તેમની સામે કાયદાકીય લડત શરૂ થઈ છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.