AAP નેતા અલ્પેશ કથિરીયા સુરતની વરાછા અને ધાર્મિક માલવિયાએ ઓલપાડ સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું


  • Published By :
  • Published Date : 2022-11-07 12:21:03

ગુજરાત વિધાનસભાની ચૂંટણી  જાહેર થઈ ગઈ છે ત્યારે ત્યારે આમ આદમી પાર્ટી પણ તમામ મોરચે કોંગ્રેસ અને ભાજને ટક્કર આપી રહી છે. આમ આદમી પાર્ટી  આજે વધુ એક ઉમેદવાર લીસ્ટ જાહેર કર્યું હતું .આ સાથે જ આમ આદમી પાર્ટીનું 11મું ઉમેદવાર લીસ્ટ જાહેર કર્યું હતું. આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરીયા સાથે સુરતમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 139 ઉમેદવાર જાહેર કર્યા છે. 


અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ક્યાંથી ચૂંટણી લડશે ?


આપના 12 ઉમેદવારોમાં સૌથી જાણીતા ચહેરા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા છે. પાસના આ બંને પૂર્વ નેતાઓએ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તેઓ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે અંગે અટકળો ચાલતી રહેતી હતી. જો કે આજે સ્પષ્ટ થઈ ગયું કે આ બંને નેતાઓ સુરતની બે વિધાનસભાની સીટ પરથી  ચૂંટણી લડશે. અલ્પેશ કથિરીયા વરાછા જ્યારે ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડશે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.