આપ નેતા મનોજ સોરઠીયા પર હુમલો, રાજનીતિ ગરમાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 12:24:36

રાજ્યમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓ પર હુમલા પણ વધી રહ્યા છે. સુરતમાં આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો થયો હતો. મનોજ સોરઠિયા સુરતના સરથાણા સ્થિત સિમાડાનાકા ખાતે ગણેશ પંડાલનું આયોજન જોવા ગયા હતા. આ સમયે કેટલાક તોફાની તત્વો મનોજ સોરઠિયા પર ધસી આવ્યા હતા અને માથા પર લાકડીથી ફટકા માર્યા હતા. મનોજ સોરઠિયાને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 


હુમલા પાછળ કોનો હાથ?


આમ આદમી પાર્ટીએ આ હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કડક પગલા લેવા અપીલ કરી છે. આમ આદમી પાર્ટીના નેતા કૈલાશભાઈએ ભાજપ પર નિશાન સાધી ગૃહમંત્રીના રાજીનામાંની માગ કરી છે.


પ્રભારી સંદીપ પાઠક અને સાંસદ રાઘવ ચઢ્ઢા આજે પહોંચશે સુરત 


આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ડો. સંદીપ પાઠક અને આપ સાંસદ રાઘવ ચઢ્ઢા આજે બપોરે સુરત પહોંચશે. આપનાં આ અગ્રણી નેતા મનોજ સોરઠીયાના ખબરઅંતર પુછવા સુરતની સ્લીમેર હોસ્પિટલમાં તેમની સાથે મુલાકાત કરશે.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .