આપના નેતાએ વિક્રમ દંતાણીવાળા મુદ્દા પર પ્રતિક્રિયા આપી !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:51:56

શું કહ્યું આપના નેતાએ ?

થોડા દિવસ પહેલા અરવિંદ કેજરીવાલ જે રિક્ષાચાલકના ઘરે જમવા ગયા હતા તે આજે ભાજપની સભામાં ભાજપનો ખેસ અને ટોપી પહેરી જોવા મળ્યો. અને તે મુદ્દે આપના નેતા મનોજ સોરઠિયાએ પ્રતિક્રિયા આપી અને કહ્યું, ઓટો ચાલક ભાજપની સભામાં જોવા મળતા વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે અમારા પર જે આરોપો લગાવાઈ રહ્યા હતા ખોટા હતા. તે દિવસે આને પ્લાનિંગ આધારિત ડિનર તરીકે અટકળો લગાવાઈ રહી હતી ખોટી હતી સાબિત થઈ ગયું છે. અરવિંદ કેજરીવાલે સંબોધન દરમિયાન ભાવુક થઈને ઓટો ચાલકના આમંત્રણને સ્વીકાર્યું હતું અને પછી તેમના ઘરે ભોજન લેવાનો નિર્ણય કર્યો હતો.”

 

ભાજપ પર પ્રહાર !!!!

મનોજ સોરઠિયાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું ભાજપ અત્યારે છબી બગાડવાનો પ્રયાસ કરી રહી છે. આની સાથે તેમણે કેજરીવાલે આપેલી ગેરન્ટીનો મુદ્દો ઉઠાવ્યો હતો. મનોજ સોરઠિયાના મત મુજબ જનતાને પણ આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ આવ્યો છે. વળી રિક્ષા ચાલક સહિત અન્ય નાના માણસોને તો ભાજપ ક્યારેય બોલાવતી પણ હોવાની ચર્ચા કરી હતી



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.