આપના નેતાએ વિક્રમ દંતાણીવાળા મુદ્દા પર પ્રતિક્રિયા આપી !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:51:56

શું કહ્યું આપના નેતાએ ?

થોડા દિવસ પહેલા અરવિંદ કેજરીવાલ જે રિક્ષાચાલકના ઘરે જમવા ગયા હતા તે આજે ભાજપની સભામાં ભાજપનો ખેસ અને ટોપી પહેરી જોવા મળ્યો. અને તે મુદ્દે આપના નેતા મનોજ સોરઠિયાએ પ્રતિક્રિયા આપી અને કહ્યું, ઓટો ચાલક ભાજપની સભામાં જોવા મળતા વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે અમારા પર જે આરોપો લગાવાઈ રહ્યા હતા ખોટા હતા. તે દિવસે આને પ્લાનિંગ આધારિત ડિનર તરીકે અટકળો લગાવાઈ રહી હતી ખોટી હતી સાબિત થઈ ગયું છે. અરવિંદ કેજરીવાલે સંબોધન દરમિયાન ભાવુક થઈને ઓટો ચાલકના આમંત્રણને સ્વીકાર્યું હતું અને પછી તેમના ઘરે ભોજન લેવાનો નિર્ણય કર્યો હતો.”

 

ભાજપ પર પ્રહાર !!!!

મનોજ સોરઠિયાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું ભાજપ અત્યારે છબી બગાડવાનો પ્રયાસ કરી રહી છે. આની સાથે તેમણે કેજરીવાલે આપેલી ગેરન્ટીનો મુદ્દો ઉઠાવ્યો હતો. મનોજ સોરઠિયાના મત મુજબ જનતાને પણ આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ આવ્યો છે. વળી રિક્ષા ચાલક સહિત અન્ય નાના માણસોને તો ભાજપ ક્યારેય બોલાવતી પણ હોવાની ચર્ચા કરી હતી



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .