આપના નેતાએ વિક્રમ દંતાણીવાળા મુદ્દા પર પ્રતિક્રિયા આપી !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:51:56

શું કહ્યું આપના નેતાએ ?

થોડા દિવસ પહેલા અરવિંદ કેજરીવાલ જે રિક્ષાચાલકના ઘરે જમવા ગયા હતા તે આજે ભાજપની સભામાં ભાજપનો ખેસ અને ટોપી પહેરી જોવા મળ્યો. અને તે મુદ્દે આપના નેતા મનોજ સોરઠિયાએ પ્રતિક્રિયા આપી અને કહ્યું, ઓટો ચાલક ભાજપની સભામાં જોવા મળતા વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે અમારા પર જે આરોપો લગાવાઈ રહ્યા હતા ખોટા હતા. તે દિવસે આને પ્લાનિંગ આધારિત ડિનર તરીકે અટકળો લગાવાઈ રહી હતી ખોટી હતી સાબિત થઈ ગયું છે. અરવિંદ કેજરીવાલે સંબોધન દરમિયાન ભાવુક થઈને ઓટો ચાલકના આમંત્રણને સ્વીકાર્યું હતું અને પછી તેમના ઘરે ભોજન લેવાનો નિર્ણય કર્યો હતો.”

 

ભાજપ પર પ્રહાર !!!!

મનોજ સોરઠિયાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું ભાજપ અત્યારે છબી બગાડવાનો પ્રયાસ કરી રહી છે. આની સાથે તેમણે કેજરીવાલે આપેલી ગેરન્ટીનો મુદ્દો ઉઠાવ્યો હતો. મનોજ સોરઠિયાના મત મુજબ જનતાને પણ આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ આવ્યો છે. વળી રિક્ષા ચાલક સહિત અન્ય નાના માણસોને તો ભાજપ ક્યારેય બોલાવતી પણ હોવાની ચર્ચા કરી હતી



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.