AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી આપ્યું રાજીનામું, BJPમાં જોડાવાની અટકળો વચ્ચે કહ્યું કે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-13 11:20:57

ગુજરાત વિધાનસભા માટે 182 બેઠકો માટે મતદાન યોજાયું હતું. 182 બેઠકોના ધારાસભ્ય હતા પરંતુ હવે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. માટે હવે સંખ્યા બળ 181 થઈ ગઈ છે અને સાથે જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પહેલા આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો હતા પરંતુ હવે ચાર ધારાસભ્યો થઈ ગયા છે. છેલ્લા એક વર્ષથી એવી અટકળો ચાલતી હતી કે ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. એવી અટકળો ચાલી રહી હતી પરંતુ આજે તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે.

Image

આમ આદમી પાર્ટીને મોટો ફટકો!

લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. એવી અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે સવારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપવા પહોંચ્યા હતા. શંકર ચૌધરીએ રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. ત્યારે ગમે ત્યારે તે કેસરિયો ધારણ કરી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. રાજીનામું આપ્યા બાદ તેમણે મીડિયાકર્મીઓને કહ્યું કે હું ભાજપનો જ કાર્યકર્તા હતો. ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યા બાદ વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાશે અને તે લોકસભાની સાથે યોજાય તેવી સંભાવના છે. આમ આદમી પાર્ટીમાંથી પણ તેમણે રાજીનામું આપી દીધું છે તેવી માહિતી સામે આવી છે.    

Aam Aadmi Party MLA Bhupat Bhayani resigns, joins BJP આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે




એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .