AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારી અધિકારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ, અનેક મુદ્દાને લઈ સરકારને ઘેરી


  • Published By :
  • Published Date : 2023-01-22 11:36:24

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો મેળવી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એક્ટીવ મોડમાં દેખાઈ રહ્યા છે. ડેડિયાપાડા બેઠકના આપના ધારાસભ્ય ચૈતર વસાવા એક્શન મોડમાં જોવા મળ્યા હતા. નર્મદા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી જેમાં તેમણે નર્મદા જિલ્લાના સરકારી કામકાજને લઈ અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા.

   

સરકારી અધિકારી પર લગાવ્યા ગંભીર આરોપ

આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય સતત ચર્ચામાં રહે છે. ધારાસભ્યો અલગ અલગ જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે. નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન થયું હતું જેમાં ચૈતર વસાવાએ અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. 


અનેક મુદ્દાઓને લઈને સરકારને ઘેરી 

સરકારી કામો મામલે આરોપ લગાવતા તેમણે કહ્યું કે ભૂતકાળમાં નર્મદા જિલ્લાના મદદનીશ આદિજાતી કમિશ્નરે આદિજાતિને ફાળવવામાં આવતું બજેટનો વહીવટ પોતાની લાગતી વળગતી એજન્સી સાથે મળીને કરી લીધો છે. બાળકો માટે આવેલા 7.50 કરોડ રૂપિયામાં વધારે એસ્ટીમેટ બનાવી ભ્રષ્ટાચાર આચર્યો છે. આવા આરોપો લાગતા ખડભળાટ મચી ગયો છે.    


નલ સે જલ યોજનાને લઈ સરકાર પર સાધ્યું નિશાન 

તે સિવાય નલ સે જલ યોજનાને લઈને પણ સરકારને તેમણે ઘેરી હતી. તેમણે કહ્યું કે નલ સે જલ યોજના પૂર્ણ બતાવેલી છે પણ કોઈ જગ્યાએ નળમાં પાણી આવ્યું નથી. ઉપરાંત શાળા અને આશ્રમ શાળા માટે ગુજરાત પેટર્નની દર વર્ષે આવતી 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટના રૂપિયા પણ પોતાની લાગે વળગતી એજન્સીએ બારોબાર ચૂકવી દીધા છે.  તે સિવાય વન વિભાગના અધિકારીઓ  પર પણ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.