AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારી અધિકારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ, અનેક મુદ્દાને લઈ સરકારને ઘેરી


  • Published By :
  • Published Date : 2023-01-22 11:36:24

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો મેળવી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એક્ટીવ મોડમાં દેખાઈ રહ્યા છે. ડેડિયાપાડા બેઠકના આપના ધારાસભ્ય ચૈતર વસાવા એક્શન મોડમાં જોવા મળ્યા હતા. નર્મદા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી જેમાં તેમણે નર્મદા જિલ્લાના સરકારી કામકાજને લઈ અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા.

   

સરકારી અધિકારી પર લગાવ્યા ગંભીર આરોપ

આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય સતત ચર્ચામાં રહે છે. ધારાસભ્યો અલગ અલગ જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે. નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન થયું હતું જેમાં ચૈતર વસાવાએ અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. 


અનેક મુદ્દાઓને લઈને સરકારને ઘેરી 

સરકારી કામો મામલે આરોપ લગાવતા તેમણે કહ્યું કે ભૂતકાળમાં નર્મદા જિલ્લાના મદદનીશ આદિજાતી કમિશ્નરે આદિજાતિને ફાળવવામાં આવતું બજેટનો વહીવટ પોતાની લાગતી વળગતી એજન્સી સાથે મળીને કરી લીધો છે. બાળકો માટે આવેલા 7.50 કરોડ રૂપિયામાં વધારે એસ્ટીમેટ બનાવી ભ્રષ્ટાચાર આચર્યો છે. આવા આરોપો લાગતા ખડભળાટ મચી ગયો છે.    


નલ સે જલ યોજનાને લઈ સરકાર પર સાધ્યું નિશાન 

તે સિવાય નલ સે જલ યોજનાને લઈને પણ સરકારને તેમણે ઘેરી હતી. તેમણે કહ્યું કે નલ સે જલ યોજના પૂર્ણ બતાવેલી છે પણ કોઈ જગ્યાએ નળમાં પાણી આવ્યું નથી. ઉપરાંત શાળા અને આશ્રમ શાળા માટે ગુજરાત પેટર્નની દર વર્ષે આવતી 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટના રૂપિયા પણ પોતાની લાગે વળગતી એજન્સીએ બારોબાર ચૂકવી દીધા છે.  તે સિવાય વન વિભાગના અધિકારીઓ  પર પણ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.