Chaitar Vasava મુદ્દે AAPના ધારાસભ્ય Umesh Makvanaએ આપી પ્રતિક્રિયા, કહ્યું કે ભાજપ હવે...., જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-29 13:12:10

આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર જ્યારથી કેસ થયો છે ત્યારથી તે ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ચૈતર વસાવા ક્યાં છે તે માટે પોલીસ તપાસ કરી રહી છે. આ બધા વચ્ચે ગઈકાલે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચૈતર વસાવાના પત્ની આવ્યા હતા. તે ઉપરાંત આમ આદમીના ધારાસભ્ય ઉમેશ મકવાણા સહિત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ હાજર હતા. 

ચૈતર વસાવાની પત્નીએ કહ્યું કે...

આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપ MLA ચૈતર વસાવાની પત્નીનો વર્ષા વસાવાએ શાસક પક્ષ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, શાસક પક્ષ બીજેપી તેમના પતિ ચૈતર વસાવા પર બીજેપીમાં જોડાવા માટે ભારે દબાણ કરી રહ્યું છે. જે જે પ્રકારે તેમને લોકસભા ચૂંટણી ના લડવા દેવા માટે બીજેપી તરફથી દબાણ કરવામાં આવી રહ્યું છે, તેમને હેરાનગતિ કરીને બીજેપીમાં લઇ જવાના પ્રયાસો થઇ રહ્યાં છે. ચૈતર વસાવા સાથે કિન્નાખોરી રાખીને તેમની સામે ખોટી રીતે કેસ દાખલ કરીને હેરાન કરવામાં આવી રહ્યાં છે. 

ઉમેશ મકાવાણાએ આપી પ્રતિક્રિયા 

પ્રેસ કોન્ફરન્સ બાદ જમાવટની ટીમે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા સાથે પણ વાતચીત કરી હતી. જેમાં ધારાસભ્યએ કહ્યું હતું કે ભાજપ બોખલાઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલ ગુજરાત કેમ ન આવ્યા તે અંગે પણ તેમને પ્રશ્ન કરવામાં આવ્યો હતો. તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.