AAPના મુખ્યમંત્રીના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ કર્યું મતદાન


  • Published By :
  • Published Date : 2022-12-05 13:09:47

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 93 બેઠકો માટે આ મતદાન થઈ રહ્યું છે. અનેક દિગ્ગજ નેતાઓએ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ સહિતના અનેક નેતાઓનો સમાવેશ થાય છે. ત્યારે આમ આદમી પાર્ટીએ જેને પોતાના ઉમેદવાર ચહેરો જાહેર કર્યો છે તેવા ઇસુદાન ગઢવી જ્યારે મત આપવા પહોંચ્યા હતા ત્યારે મોદી-મોદીના નારા લાગ્યા હતા.

 

ઈસુદાન ગઢવી સામે લાગ્યા મોદી-મોદીના નારા 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. ત્યારે બીજા તબક્કા માટેનું મતદાન 5 ડિસેમ્બરે યોજાઈ હતી. આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં પ્રથમ વખત ઝંપલાવી છે. આપે જોરશોરથી પ્રચાર કર્યો હતો. આપે ઈસુદાન ગઢવીને પોતાનો મુખ્યમંત્રીનો ચહેરો ઘોષિત કર્યો છે. પરંતુ જ્યારે ઈસુદાન ગઢવી મત આપવા પોલિંગ બુથ પર ગયા ત્યારે જય શ્રી રામ તેમજ મોદી-મોદીના નારા લાગ્યા હતા. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.