AAPના મુખ્યમંત્રીના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ કર્યું મતદાન


  • Published By :
  • Published Date : 2022-12-05 13:09:47

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 93 બેઠકો માટે આ મતદાન થઈ રહ્યું છે. અનેક દિગ્ગજ નેતાઓએ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ સહિતના અનેક નેતાઓનો સમાવેશ થાય છે. ત્યારે આમ આદમી પાર્ટીએ જેને પોતાના ઉમેદવાર ચહેરો જાહેર કર્યો છે તેવા ઇસુદાન ગઢવી જ્યારે મત આપવા પહોંચ્યા હતા ત્યારે મોદી-મોદીના નારા લાગ્યા હતા.

 

ઈસુદાન ગઢવી સામે લાગ્યા મોદી-મોદીના નારા 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. ત્યારે બીજા તબક્કા માટેનું મતદાન 5 ડિસેમ્બરે યોજાઈ હતી. આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં પ્રથમ વખત ઝંપલાવી છે. આપે જોરશોરથી પ્રચાર કર્યો હતો. આપે ઈસુદાન ગઢવીને પોતાનો મુખ્યમંત્રીનો ચહેરો ઘોષિત કર્યો છે. પરંતુ જ્યારે ઈસુદાન ગઢવી મત આપવા પોલિંગ બુથ પર ગયા ત્યારે જય શ્રી રામ તેમજ મોદી-મોદીના નારા લાગ્યા હતા. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.