Gujaratમાં AAPએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર, Arvind Kejriwal તેમજ ભગવંત માન આવ્યા ગુજરાત, ભાજપ પર પ્રહાર કરતા શું કહ્યું સાંભળો...


  • Published By :
  • Published Date : 2024-03-15 17:43:54

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં અમિત શાહે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો તો આમ આદમી પાર્ટી દ્વારા પણ ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવી ગયો છે. ચૂંટણી પ્રચારના ભાગ રૂપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે અને વડોદરા ખાતે તેમણે જનસભાને સંબોધી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા તેમજ ભાવનગર લોકસભા સીટના ઉમેદવાર ઉમેશ મકવાણા પણ હાજર હતા. તે ઉપરાંત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયા પણ હાજર હતા. અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.    

અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર 

ચૂંટણી જેમ જેમ નજીક આવતી રહેશે તેમ તેમ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ જશે. અલગ અલગ પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમા સભાને સંબોધશે ત્યારે વડોદરા ખાતેથી આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે અને તેના ભાગરૂપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવ્યા છે. પોતાના ભાષણ દરમિયાન બંને નેતાઓએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. ભાજપ પર પ્રહાર કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે પાછલી વિધાનસભામાં ભાજપના ગઢ ગુજરાતમાંથી અમે 14 ટકા મતો મેળવ્યા છે. ગુજરાતમાં કહેવત હતી જે અહી માત્ર બે પાર્ટી ચાલે પણ અમે ત્રીજી પાર્ટીએ પગ પેસારો કરી કહેવત બદલી નાખી. 

એક દિવસ કેન્દ્રમાં અમારી સરકાર બનશે - અરવિંદ કેજરીવાલ 

વધુમાં તેમણે કહ્યું કે 156 બેઠક મેળવ્યા પછી પણ ભાજપે વિકાસ કાર્યો કરવાના સ્થાને એમ.એલ.એ તોડવાનું કાર્ય કર્યું છે. એ દિવસ દૂર નથી જ્યારે અમે કેન્દ્રમાં સરકાર બનાવીશું.  અત્યાર સુધી ભાજપનો માલ ટ્રાય કર્યો હવે અમારો માલ ટ્રાય કરો. તાજેતરમાં અહીંના સરપંચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ને શાળા બાબતે ટકોર કરી હતી. ગુજરાતમાં ભાજપના ફાઇવ સ્ટાર કાર્યાલય બની રહ્યા છે પરંતુ શાળા નજરે ચડતી નથી.  ચૈતરભાઈને જેલમાં નાખી અને ઉમેશ મકવાણા ઉપર જીવલેણ હુમલો કરાવી તેમને તોડવાનો ભાજપે ઘણો પ્રયાસ કર્યો છે. તેમ છતાં તેઓ અડીખમ ઊભા રહેતા તેમની હિંમતની દાદ આપવી પડે તેમ છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.