AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ધરપકડ, ટ્વિટ કરીને આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2022-12-20 16:01:43


ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર પોલીસે ઈટાલિયાની અટકાયત કરી છે. ગોપાલ ઈટાલિયાએ જ ટ્વિટ કરીને આ મામલે જાણકારી આપી હતી. લોકોની ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં ગોપાલ ઇટાલીયાની પોલીસે  Ipc295ના કેસમાં અટકાયત હતી. જોકે અટકાયત બાદ ગોપાલ ઇટાલીયાનો જામીન પર છુટકારો પણ થયો હતો.


ગોપાલ ઈટાલિયાની અટકાયત શા માટે?


આપના નેતા ગોપાલ ઈટાલિયાની ઉમરાળા પોલીસે અટકાયત કરી હતી. ગોપાલ ઈટાલિયા બે મહિના પહેલા દ્વારકામાં એક ભાષણ આપ્યું હતું આ ભાષણમાં તેમણે કૃષ્ણ ભગવાન વિશે વાંધાજનક ટિપ્પણી કરતા રંઘોળાના આહીર સમાજની એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ ભાવનગર પોલીસે ત્વરીત કાર્યવાહી કરતા ઉમરાળા પોલીસે તેમની અટકાયત કરી હતી. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.