પોતાને દૂધથી ધોયેલો પક્ષ કહેનાર AAPનું ગુજરાતમાં કરોડોનું હવાલા કૌભાંડ સામે આવ્યું


  • Published By :
  • Published Date : 2022-11-05 22:26:48

ચૂંટણી લડવા AAP ગુજરાતને દિલ્લી-દુબઈથી મળતા કાળા નાણાનો ભાંડો ફૂટ્યો

12 ઓક્ટોબરે સુરતના બારડોલીની આંગળિયા પેઢીમાં 20 લાખની લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. આ ચોરીની તપાસ થતાં તપાસના તાર અમદાવાદ સુધી અને ત્યાંથી ગુજરાતના તમામ જીલ્લામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને કેવી રીતે ચૂંટણી લડવા કાળું નાણું મોકલાતું હતું ત્યાં પૂરા થાય છે..... 


ગુજરાત AAPના ઉમેદવારોને આવી રીતે દિલ્લીથી મળતું હતું કાળુંનાણું

12 ઓક્ટોબરે સુરતના બારડોલીની આંગળિયા પેઢીમાં 20 લાખની લૂંટનો પ્રયાસ થયો હતો. બે બુકાનીધારી ચોરોએ આપના રાજેન્દ્ર સોલંકીના ડ્રાઈવર સૌરભ પારશર પાસેથી બ્લેક બેગની ચોરી કરી હતી. બુકાની ધારીઓ 20 લાખ રોકડ રકમ ભરેલી બેગ લઈને ભાગી ગયા હતા, પરંતુ ત્યાં ઉભેલા આદિલ અઝીઝ મેમણ નામના વ્યક્તિને કંઈક ખોટું થતું હોવાનો અંદાજ આવતા બુકાની ધારી ચોરોનો પીછો કર્યો હતો. પકડાઈ જવાના ડરના કારણે બુકાનીધારી ચોરોએ 20 લાખની બેગ ફેંકી ફરાર થઈ જાય છે. આદિલ અઝીઝ મેમણ પૂરા રૂપિયા લઈને બારડોલી પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. અને અહીંથી બેનામી રૂપિયાના હવાલા કાંડની તપાસનો સીલસીલો શરૂ થાય છે......


બારડોલી પોલીસના નાકે કાળા નાણાની ગંધ ઝડપી લીધી 

જ્યારે બારડોલી પોલીસ પાસે રૂપિયા આવે છે ત્યારે આમ આદમી પાર્ટીનો રાજેન્દ્ર સોલંકી નામનો નેતા રૂપિયા લેવા પહોંચી જાય છે. તે જણાવે છે કે મારા ડ્રાઈવરના નામે દિલ્લીથી મારી માટે આંગળિયાથી રૂપિયા મોકલવામાં આવ્યા હતા. પોલીસને સમગ્ર બાબતમાં શંકા જાય છે અને પોલીસ આમ આદમી પાર્ટીના રાજેન્દ્ર સોલંકી અને તેના ડ્રાઈવર સૌરભ પારશરની પૂછપરછ કરે છે. પૂછપરછમાં આંગળિયા પેઢીના તાર દિલ્લી સુધી પહોંચે છે. પોલીસને અંદાજો આવે છે કે આ કેસમાં કંઈક કરબડ છે. સામાન્ય કાર ડ્રાઈવરના નામે તેના માલિકને રૂપિયા મોકલાવવામાં આવે છે આથી પોલીસનો શક વધે છે. પોલીસ આંગળિયા પેઢીમાં ક્યાંથી રૂપિયા આવ્યા તેની તપાસ કરે છે અને તપાસના તાર અમદાવાદ અને દિલ્લી સુધી પહોંચે છે. દિલ્લીની છગનલાલ જેંતિલાલ આંગળિયા પેઢીથી અશોક ગર્ગ નામનો વ્યક્તિ રૂપિયા મોકલાવતો હતો. પરંતુ આ રૂપિયા સુરક્ષિત રીતે ગુજરાતના આમ આદમી પાર્ટીના ઉમેદવારો સુધી પહોંચી જાય તેના માટે દિલ્લીનો આદિત્ય જૈન અને બિહારનો સુધીર ઠાકોર ધ્યાન રાખતા હતા. આવી રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અને કાર્યકર્તાઓને દિલ્લી અને પંજાબથી ગુજરાતભરમાં ચૂંટણી લડવા માટે બેનામી રૂપિયા પહોંચતા હતા. 


અમદાવાદ એસઓજીએ કરી કડક કાર્યવાહી 

સમગ્ર કૌભાંડના તાર જ્યારે અમદાવાદ પહોંચે છે ત્યારે અમદાવાદ એસઓજી હરકતમાં આવે છે. અમદાવાદ એસઓજીએ નાણાની હેરફેર અંગેની તપાસ કરી ત્યારે વિવિધ જગ્યા પર બેનામી રૂપિયાની લેવડ-દેવડનો પર્દાફાસ થાય છે. આ હવાલાકાંડમાં અમદાવાદ એસઓજીએ મૂકેશ તિવારી સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. મૂકેશ તિવારી સહિતના 4 આરોપીઓ પાસેથી અમદાવાદ SOGને 30-30 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવે છે. કિરીટ અંબાલાલ, મહેન્દ્ર સોમા, પીએમ એન્ટરપ્રાઈઝમાં મોકલાતા પૈસા મોકલાતા હતા તે પૈસા અમદાવાદમાં મૂકેશ તિવારીને મળતા હતા. પોલીસ તપાસમાં સામે આવે છે કે મૂકેશ તિવારી સ્ટીલની ફેક્ટરી ચલાવે છે અને તે પણ પોતાના ડ્રાઈવરોના નામે આંગળિયા પેઢીમાંથી રૂપિયા મેળવતો હતો.


દુબઈથી બુદ્ધી બુનિયા પણ મોકલાવતો હતો પૈસા

આ હવાલા કાંડના તાર છેક દુબઈ સુધી પહોંચે છે. દુબઈથી બુદ્ધી બુનિયા નામનો બુકી રૂપિયા મોકલાવતો હતો. બુદ્ધી બુનિયાના રૂપિયા વિશાલ અગ્રવાલ નામનો વ્યક્તિ રાજવીર બનીને મેળવતો હતો. દિલ્લીથી અશોક ગર્ગ નામનો વ્યક્તિ પણ રૂપિયા મોકલાવતો હતો તેવી વાત પોલીસ તપાસમાં ખૂલી છે. આંગળિયા પેઢી મારફતે ગુજરાતના તમામ જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતા સુધી પૈસા પહોંચતા હતા અને માત્ર 3 મહિનામાં 9 કરોડ 6 લાખ 29 હજાર 200 રૂપિયા મોકલવામાં આવ્યા હતા તેવો ખુલાસો થયો છે. હવે તપાસ વધશે તેમ મોટી રકમ સાવે આવી શકે તેવી સંભાવના છે. દિલ્લી અને પંજાબની આમ આદમી પાર્ટી આવી રીતે ગુજરાતમાં ચૂંટણી લડવા માટે પોતાના ઉમેદવારો સુધી રૂપિયા પહોંચાડતી હતી. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.