પોતાને દૂધથી ધોયેલો પક્ષ કહેનાર AAPનું ગુજરાતમાં કરોડોનું હવાલા કૌભાંડ સામે આવ્યું


  • Published By :
  • Published Date : 2022-11-05 22:26:48

ચૂંટણી લડવા AAP ગુજરાતને દિલ્લી-દુબઈથી મળતા કાળા નાણાનો ભાંડો ફૂટ્યો

12 ઓક્ટોબરે સુરતના બારડોલીની આંગળિયા પેઢીમાં 20 લાખની લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. આ ચોરીની તપાસ થતાં તપાસના તાર અમદાવાદ સુધી અને ત્યાંથી ગુજરાતના તમામ જીલ્લામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને કેવી રીતે ચૂંટણી લડવા કાળું નાણું મોકલાતું હતું ત્યાં પૂરા થાય છે..... 


ગુજરાત AAPના ઉમેદવારોને આવી રીતે દિલ્લીથી મળતું હતું કાળુંનાણું

12 ઓક્ટોબરે સુરતના બારડોલીની આંગળિયા પેઢીમાં 20 લાખની લૂંટનો પ્રયાસ થયો હતો. બે બુકાનીધારી ચોરોએ આપના રાજેન્દ્ર સોલંકીના ડ્રાઈવર સૌરભ પારશર પાસેથી બ્લેક બેગની ચોરી કરી હતી. બુકાની ધારીઓ 20 લાખ રોકડ રકમ ભરેલી બેગ લઈને ભાગી ગયા હતા, પરંતુ ત્યાં ઉભેલા આદિલ અઝીઝ મેમણ નામના વ્યક્તિને કંઈક ખોટું થતું હોવાનો અંદાજ આવતા બુકાની ધારી ચોરોનો પીછો કર્યો હતો. પકડાઈ જવાના ડરના કારણે બુકાનીધારી ચોરોએ 20 લાખની બેગ ફેંકી ફરાર થઈ જાય છે. આદિલ અઝીઝ મેમણ પૂરા રૂપિયા લઈને બારડોલી પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. અને અહીંથી બેનામી રૂપિયાના હવાલા કાંડની તપાસનો સીલસીલો શરૂ થાય છે......


બારડોલી પોલીસના નાકે કાળા નાણાની ગંધ ઝડપી લીધી 

જ્યારે બારડોલી પોલીસ પાસે રૂપિયા આવે છે ત્યારે આમ આદમી પાર્ટીનો રાજેન્દ્ર સોલંકી નામનો નેતા રૂપિયા લેવા પહોંચી જાય છે. તે જણાવે છે કે મારા ડ્રાઈવરના નામે દિલ્લીથી મારી માટે આંગળિયાથી રૂપિયા મોકલવામાં આવ્યા હતા. પોલીસને સમગ્ર બાબતમાં શંકા જાય છે અને પોલીસ આમ આદમી પાર્ટીના રાજેન્દ્ર સોલંકી અને તેના ડ્રાઈવર સૌરભ પારશરની પૂછપરછ કરે છે. પૂછપરછમાં આંગળિયા પેઢીના તાર દિલ્લી સુધી પહોંચે છે. પોલીસને અંદાજો આવે છે કે આ કેસમાં કંઈક કરબડ છે. સામાન્ય કાર ડ્રાઈવરના નામે તેના માલિકને રૂપિયા મોકલાવવામાં આવે છે આથી પોલીસનો શક વધે છે. પોલીસ આંગળિયા પેઢીમાં ક્યાંથી રૂપિયા આવ્યા તેની તપાસ કરે છે અને તપાસના તાર અમદાવાદ અને દિલ્લી સુધી પહોંચે છે. દિલ્લીની છગનલાલ જેંતિલાલ આંગળિયા પેઢીથી અશોક ગર્ગ નામનો વ્યક્તિ રૂપિયા મોકલાવતો હતો. પરંતુ આ રૂપિયા સુરક્ષિત રીતે ગુજરાતના આમ આદમી પાર્ટીના ઉમેદવારો સુધી પહોંચી જાય તેના માટે દિલ્લીનો આદિત્ય જૈન અને બિહારનો સુધીર ઠાકોર ધ્યાન રાખતા હતા. આવી રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અને કાર્યકર્તાઓને દિલ્લી અને પંજાબથી ગુજરાતભરમાં ચૂંટણી લડવા માટે બેનામી રૂપિયા પહોંચતા હતા. 


અમદાવાદ એસઓજીએ કરી કડક કાર્યવાહી 

સમગ્ર કૌભાંડના તાર જ્યારે અમદાવાદ પહોંચે છે ત્યારે અમદાવાદ એસઓજી હરકતમાં આવે છે. અમદાવાદ એસઓજીએ નાણાની હેરફેર અંગેની તપાસ કરી ત્યારે વિવિધ જગ્યા પર બેનામી રૂપિયાની લેવડ-દેવડનો પર્દાફાસ થાય છે. આ હવાલાકાંડમાં અમદાવાદ એસઓજીએ મૂકેશ તિવારી સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. મૂકેશ તિવારી સહિતના 4 આરોપીઓ પાસેથી અમદાવાદ SOGને 30-30 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવે છે. કિરીટ અંબાલાલ, મહેન્દ્ર સોમા, પીએમ એન્ટરપ્રાઈઝમાં મોકલાતા પૈસા મોકલાતા હતા તે પૈસા અમદાવાદમાં મૂકેશ તિવારીને મળતા હતા. પોલીસ તપાસમાં સામે આવે છે કે મૂકેશ તિવારી સ્ટીલની ફેક્ટરી ચલાવે છે અને તે પણ પોતાના ડ્રાઈવરોના નામે આંગળિયા પેઢીમાંથી રૂપિયા મેળવતો હતો.


દુબઈથી બુદ્ધી બુનિયા પણ મોકલાવતો હતો પૈસા

આ હવાલા કાંડના તાર છેક દુબઈ સુધી પહોંચે છે. દુબઈથી બુદ્ધી બુનિયા નામનો બુકી રૂપિયા મોકલાવતો હતો. બુદ્ધી બુનિયાના રૂપિયા વિશાલ અગ્રવાલ નામનો વ્યક્તિ રાજવીર બનીને મેળવતો હતો. દિલ્લીથી અશોક ગર્ગ નામનો વ્યક્તિ પણ રૂપિયા મોકલાવતો હતો તેવી વાત પોલીસ તપાસમાં ખૂલી છે. આંગળિયા પેઢી મારફતે ગુજરાતના તમામ જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતા સુધી પૈસા પહોંચતા હતા અને માત્ર 3 મહિનામાં 9 કરોડ 6 લાખ 29 હજાર 200 રૂપિયા મોકલવામાં આવ્યા હતા તેવો ખુલાસો થયો છે. હવે તપાસ વધશે તેમ મોટી રકમ સાવે આવી શકે તેવી સંભાવના છે. દિલ્લી અને પંજાબની આમ આદમી પાર્ટી આવી રીતે ગુજરાતમાં ચૂંટણી લડવા માટે પોતાના ઉમેદવારો સુધી રૂપિયા પહોંચાડતી હતી. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.