ગુજરાતના વધુ એક ક્રિકેટરની IPLમાં એન્ટ્રી, સુરતનો ઓલરાઉન્ડર આર્ય દેસાઈ KKR સાથે જોડાયો


  • Published By :
  • Published Date : 2023-04-14 20:50:44

ગુજરાતના વધુ એક ક્રિકેટરે IPLમાં એન્ટ્રી કરી છે, ઉર્વિલ પટેલ બાદ હવે સુરતના ઓલરાઉન્ડર આર્ય દેસાઈની IPLમાં પોતાની જગ્યા બનાવી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2023 માટે આર્ય દેસાઈને સામેલ કર્યો છે. 20 વર્ષીય આર્ય દેસાઈએ કોલકાતા નાઈટ રાઈડર્સમાં શ્રેયસ ઐયરની જગ્યાએ પસંદ કરવામાં આવ્યો છે. પીઠની ઈજાને કારણે અય્યર આ સિઝનમાં રમી શકશે નહીં.  આર્ય દેસાઈને KKRએ 20 લાખની બેઝ પ્રાઈઝ પર સાથે તેની સાથે જોડ્યો છે.


પહેલીવાર IPLનો ભાગ બન્યો


આર્ય દેસાઈએ અત્યાર સુધી ડોમેસ્ટિક ક્રિકેટમાં ત્રણ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને 151 રન બનાવ્યા છે. તેના નામે અડધી સદી છે જેમાં તેણે 88 રનની ઇનિંગ રમી હતી. તેણે સિનિયર લેવલ પર હજુ સુધી કોઈ ટી 20 કે વનડે રમ્યો નથી. તે ડાબોડી બેટ્સમેન છે અને ઓફ સ્પિન બોલિંગ કરે છે. તે પહેલીવાર IPLનો ભાગ બન્યો છે. તે  અંડર 25 તથા ગુજરાત તરફથી રણજી ટ્રોફી પણ રમ્યો હતો


દરેક ટીમને 10 મેચ રમવાની બાકી 


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મોટાભાગની ટીમો ચાર-ચાર મેચ રમી ચૂકી છે અને હજુ પણ 10 જેટલી મેચ દરેક ટીમોએ રમવાની બાકી છે ત્યારે કોલકતા નાઇટ રાઇડર્સે આર્ય દેસાઇને સાઇન કર્યો છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.