ગુજરાતના વધુ એક ક્રિકેટરની IPLમાં એન્ટ્રી, સુરતનો ઓલરાઉન્ડર આર્ય દેસાઈ KKR સાથે જોડાયો


  • Published By :
  • Published Date : 2023-04-14 20:50:44

ગુજરાતના વધુ એક ક્રિકેટરે IPLમાં એન્ટ્રી કરી છે, ઉર્વિલ પટેલ બાદ હવે સુરતના ઓલરાઉન્ડર આર્ય દેસાઈની IPLમાં પોતાની જગ્યા બનાવી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2023 માટે આર્ય દેસાઈને સામેલ કર્યો છે. 20 વર્ષીય આર્ય દેસાઈએ કોલકાતા નાઈટ રાઈડર્સમાં શ્રેયસ ઐયરની જગ્યાએ પસંદ કરવામાં આવ્યો છે. પીઠની ઈજાને કારણે અય્યર આ સિઝનમાં રમી શકશે નહીં.  આર્ય દેસાઈને KKRએ 20 લાખની બેઝ પ્રાઈઝ પર સાથે તેની સાથે જોડ્યો છે.


પહેલીવાર IPLનો ભાગ બન્યો


આર્ય દેસાઈએ અત્યાર સુધી ડોમેસ્ટિક ક્રિકેટમાં ત્રણ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને 151 રન બનાવ્યા છે. તેના નામે અડધી સદી છે જેમાં તેણે 88 રનની ઇનિંગ રમી હતી. તેણે સિનિયર લેવલ પર હજુ સુધી કોઈ ટી 20 કે વનડે રમ્યો નથી. તે ડાબોડી બેટ્સમેન છે અને ઓફ સ્પિન બોલિંગ કરે છે. તે પહેલીવાર IPLનો ભાગ બન્યો છે. તે  અંડર 25 તથા ગુજરાત તરફથી રણજી ટ્રોફી પણ રમ્યો હતો


દરેક ટીમને 10 મેચ રમવાની બાકી 


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મોટાભાગની ટીમો ચાર-ચાર મેચ રમી ચૂકી છે અને હજુ પણ 10 જેટલી મેચ દરેક ટીમોએ રમવાની બાકી છે ત્યારે કોલકતા નાઇટ રાઇડર્સે આર્ય દેસાઇને સાઇન કર્યો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.