અબ AAPકા કયા હોગા..... મહિપત સિંહ ? AAP કયા સિંહને આપશે માતર બેઠક ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-11 11:06:25

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે દરેક પક્ષએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે ભાજપએ કાલે 160 ઉમેદવાર જાહેર કર્યા જ્યારે aapએ 14 યાદિ જાહેર કરી દીધી છે હવે માત્ર ગણતરીના ઉમેદવાર જ બાકી છે અને હવે આપમાં ડખા જોવા મળી રહ્યા છે ક્યારેક કોઈ ઉમેદવારને ખબર નથી હોતી એને ટિકિટ મળવાની છે તો ક્યારેક કોઈ ઉમેદવાર ચૂંટણી લડવાની ના કહે છે . અને આ બધાની વચ્ચે હવે ભાજપના નેતા કેસરી સિંહ સોલંકી AAPમાં જોડાયા છે અને એ ચર્ચામાં એટલે છે કેમ કે એમને માતર જીતતા આવ્યા છે અને માતર બેઠક AAPએ મહિપત સિંહને આપી છે . અને હવે અનેક સવાલ થાય છે જો કેસરી સિંહ આવ્યા છે તો મહિપત સિંહ કયા થી લડશે ? અને મહિપત સિંહનું પત્તું કપાયું ? તો આ તમામ સવાલોનો જવાબ જમાવટ એ મહિપત સિંહ પાસે થીજ લઈ લીધા છે 


શું જવાબ આપ્યો મહિપત સિંહએ ??

મહિપત સિંહએ જમાવટ સાથે વાત ચિત કરતાં કહ્યું કે "મહિપત સિંહ AAP માટે હમેશા કોન્ફ્યુઝન જ છે " અને અમે જ્યારે એમને પૂછ્યું કે મહિપત સિંહ હવે કયાથી લડશે એમને એકદમ આત્મવિશ્વાસ સાથે કહ્યું " હું તો માતર થીજ લડીશ 100 ટકા ત્યાંથી લડીશ પાર્ટી ટિકિટનહીં આપે તો પણ ત્યાંથી લડીશ " અને જ્યારે મહિપત સિંહનું નામ જ્યારે જાહેર થયું ત્યારે એમના સાથે વાત કરી હતી ત્યારે પણ તેમણે કહ્યું હતું "મને એ ખબર જ નોહતી કે મારુ નામ આવવાનું છે મારી સાથે કોઈ ચર્ચા થઈ નથી" અને હવે તેમણે આ વાતમાં કઈક નવું ઉમેરતા કહ્યુંકે " આ પાર્ટીનો ભરોસો કરવા જેવો નથી, ક્યારે ટિકિટ આપે છે લઈ લે છે" એટલે જેમ કીધા વગર ટિકિટ આપી હતી એમ લઈ પણ લીધી. 


હજુ સતાવાર જાહેરાત નથી થઈ કે કેસરી સિંહ માતરથી AAPના ઉમેદવાર હશે પણ જો કેસરી સિંહ ભાજપથી આપમાં જોડાયા છે તો મહિપત સિંહનું પત્તું કાપવાની સંભાવના છે ગોપાલ ઇટાલિયાએ મહિપત સિંહને ફોન કરીને વાત ચિત પણ કરી છે પણ હવે સતાવાર જાહેરાત થાય ત્યારે આ તમામ સવાલોના જવાબ મળે 










જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.