અબ AAPકા કયા હોગા..... મહિપત સિંહ ? AAP કયા સિંહને આપશે માતર બેઠક ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-11 11:06:25

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે દરેક પક્ષએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે ભાજપએ કાલે 160 ઉમેદવાર જાહેર કર્યા જ્યારે aapએ 14 યાદિ જાહેર કરી દીધી છે હવે માત્ર ગણતરીના ઉમેદવાર જ બાકી છે અને હવે આપમાં ડખા જોવા મળી રહ્યા છે ક્યારેક કોઈ ઉમેદવારને ખબર નથી હોતી એને ટિકિટ મળવાની છે તો ક્યારેક કોઈ ઉમેદવાર ચૂંટણી લડવાની ના કહે છે . અને આ બધાની વચ્ચે હવે ભાજપના નેતા કેસરી સિંહ સોલંકી AAPમાં જોડાયા છે અને એ ચર્ચામાં એટલે છે કેમ કે એમને માતર જીતતા આવ્યા છે અને માતર બેઠક AAPએ મહિપત સિંહને આપી છે . અને હવે અનેક સવાલ થાય છે જો કેસરી સિંહ આવ્યા છે તો મહિપત સિંહ કયા થી લડશે ? અને મહિપત સિંહનું પત્તું કપાયું ? તો આ તમામ સવાલોનો જવાબ જમાવટ એ મહિપત સિંહ પાસે થીજ લઈ લીધા છે 


શું જવાબ આપ્યો મહિપત સિંહએ ??

મહિપત સિંહએ જમાવટ સાથે વાત ચિત કરતાં કહ્યું કે "મહિપત સિંહ AAP માટે હમેશા કોન્ફ્યુઝન જ છે " અને અમે જ્યારે એમને પૂછ્યું કે મહિપત સિંહ હવે કયાથી લડશે એમને એકદમ આત્મવિશ્વાસ સાથે કહ્યું " હું તો માતર થીજ લડીશ 100 ટકા ત્યાંથી લડીશ પાર્ટી ટિકિટનહીં આપે તો પણ ત્યાંથી લડીશ " અને જ્યારે મહિપત સિંહનું નામ જ્યારે જાહેર થયું ત્યારે એમના સાથે વાત કરી હતી ત્યારે પણ તેમણે કહ્યું હતું "મને એ ખબર જ નોહતી કે મારુ નામ આવવાનું છે મારી સાથે કોઈ ચર્ચા થઈ નથી" અને હવે તેમણે આ વાતમાં કઈક નવું ઉમેરતા કહ્યુંકે " આ પાર્ટીનો ભરોસો કરવા જેવો નથી, ક્યારે ટિકિટ આપે છે લઈ લે છે" એટલે જેમ કીધા વગર ટિકિટ આપી હતી એમ લઈ પણ લીધી. 


હજુ સતાવાર જાહેરાત નથી થઈ કે કેસરી સિંહ માતરથી AAPના ઉમેદવાર હશે પણ જો કેસરી સિંહ ભાજપથી આપમાં જોડાયા છે તો મહિપત સિંહનું પત્તું કાપવાની સંભાવના છે ગોપાલ ઇટાલિયાએ મહિપત સિંહને ફોન કરીને વાત ચિત પણ કરી છે પણ હવે સતાવાર જાહેરાત થાય ત્યારે આ તમામ સવાલોના જવાબ મળે 










રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.