અબ AAPકા કયા હોગા..... મહિપત સિંહ ? AAP કયા સિંહને આપશે માતર બેઠક ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-11 11:06:25

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે દરેક પક્ષએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે ભાજપએ કાલે 160 ઉમેદવાર જાહેર કર્યા જ્યારે aapએ 14 યાદિ જાહેર કરી દીધી છે હવે માત્ર ગણતરીના ઉમેદવાર જ બાકી છે અને હવે આપમાં ડખા જોવા મળી રહ્યા છે ક્યારેક કોઈ ઉમેદવારને ખબર નથી હોતી એને ટિકિટ મળવાની છે તો ક્યારેક કોઈ ઉમેદવાર ચૂંટણી લડવાની ના કહે છે . અને આ બધાની વચ્ચે હવે ભાજપના નેતા કેસરી સિંહ સોલંકી AAPમાં જોડાયા છે અને એ ચર્ચામાં એટલે છે કેમ કે એમને માતર જીતતા આવ્યા છે અને માતર બેઠક AAPએ મહિપત સિંહને આપી છે . અને હવે અનેક સવાલ થાય છે જો કેસરી સિંહ આવ્યા છે તો મહિપત સિંહ કયા થી લડશે ? અને મહિપત સિંહનું પત્તું કપાયું ? તો આ તમામ સવાલોનો જવાબ જમાવટ એ મહિપત સિંહ પાસે થીજ લઈ લીધા છે 


શું જવાબ આપ્યો મહિપત સિંહએ ??

મહિપત સિંહએ જમાવટ સાથે વાત ચિત કરતાં કહ્યું કે "મહિપત સિંહ AAP માટે હમેશા કોન્ફ્યુઝન જ છે " અને અમે જ્યારે એમને પૂછ્યું કે મહિપત સિંહ હવે કયાથી લડશે એમને એકદમ આત્મવિશ્વાસ સાથે કહ્યું " હું તો માતર થીજ લડીશ 100 ટકા ત્યાંથી લડીશ પાર્ટી ટિકિટનહીં આપે તો પણ ત્યાંથી લડીશ " અને જ્યારે મહિપત સિંહનું નામ જ્યારે જાહેર થયું ત્યારે એમના સાથે વાત કરી હતી ત્યારે પણ તેમણે કહ્યું હતું "મને એ ખબર જ નોહતી કે મારુ નામ આવવાનું છે મારી સાથે કોઈ ચર્ચા થઈ નથી" અને હવે તેમણે આ વાતમાં કઈક નવું ઉમેરતા કહ્યુંકે " આ પાર્ટીનો ભરોસો કરવા જેવો નથી, ક્યારે ટિકિટ આપે છે લઈ લે છે" એટલે જેમ કીધા વગર ટિકિટ આપી હતી એમ લઈ પણ લીધી. 


હજુ સતાવાર જાહેરાત નથી થઈ કે કેસરી સિંહ માતરથી AAPના ઉમેદવાર હશે પણ જો કેસરી સિંહ ભાજપથી આપમાં જોડાયા છે તો મહિપત સિંહનું પત્તું કાપવાની સંભાવના છે ગોપાલ ઇટાલિયાએ મહિપત સિંહને ફોન કરીને વાત ચિત પણ કરી છે પણ હવે સતાવાર જાહેરાત થાય ત્યારે આ તમામ સવાલોના જવાબ મળે 










પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.