પોસ્ટવાળા ચૂંટણી પંચના અધિકારીને સ્ટંટ કહી હટાવી દેવાયા, અધિકારીએ કહ્યું, "કંઈ ખોટું નથી કર્યું"


  • Published By :
  • Published Date : 2022-11-18 21:27:06

ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી અભિષેક સિંહે પોતાના ઈન્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો. ચૂંટણીના નિરીક્ષક તરીકે તેઓ ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે ઈન્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર અને સમાચારોમાં તેમની આલોચના થતાં તેમને નિરીક્ષકના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. 


IAS અધિકારી અભિષેક સિંહે કહ્યું કંઈ ખોટું નથી કર્યું

સમગ્ર મામલે અભિષેક સિંહે પોતાની વાત રાખી હતી અને ચૂંટણી પંચની કાર્યવાહીનો સ્વીકાર કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "હું માનનીય ECIના નિર્ણયને પૂરી નમ્રતા સાથે સ્વીકારું છું. જોકે હું માનું છું કે આ પોસ્ટમાં કંઈ ખોટું નથી. એક જાહેર સેવક, જનતાના પૈસાથી ખરીદેલી કારમાં, જાહેર ફરજ માટે, જાહેર અધિકારીઓ સાથે જાણ કરે છે, તેને લોકો સુધી પહોંચાડે છે. તે પબ્લિસિટી નથી કે સ્ટંટ નથી!"

Image

અમદાવાદના બાપુનગર અને અસારવામાં IAS અધિકારી અભિષેક સિંહને ચૂંટણી નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. અભિષેક સિંહે ડ્યૂટી દરમિયાનનો ફોટો ઈન્સ્ટાગ્રામમાં શેર કરતા ચૂંટણી પંચે કાર્યવાહી કરી હતી અને તેમને નિરીક્ષકના પદેથી હટાવી દીધા હતા. ત્યાર બાદ અભિષેક સિંહે ટ્વિટર પર ટ્વીટ કરીને પોતાની વાત રાખી હતી કે મેં કંઈ ખોટું નથી કર્યું, હું ચૂંટણી પંચના નિર્ણયને આવકારું છું. 






ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.