પોસ્ટવાળા ચૂંટણી પંચના અધિકારીને સ્ટંટ કહી હટાવી દેવાયા, અધિકારીએ કહ્યું, "કંઈ ખોટું નથી કર્યું"


  • Published By :
  • Published Date : 2022-11-18 21:27:06

ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી અભિષેક સિંહે પોતાના ઈન્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો. ચૂંટણીના નિરીક્ષક તરીકે તેઓ ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે ઈન્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર અને સમાચારોમાં તેમની આલોચના થતાં તેમને નિરીક્ષકના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. 


IAS અધિકારી અભિષેક સિંહે કહ્યું કંઈ ખોટું નથી કર્યું

સમગ્ર મામલે અભિષેક સિંહે પોતાની વાત રાખી હતી અને ચૂંટણી પંચની કાર્યવાહીનો સ્વીકાર કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "હું માનનીય ECIના નિર્ણયને પૂરી નમ્રતા સાથે સ્વીકારું છું. જોકે હું માનું છું કે આ પોસ્ટમાં કંઈ ખોટું નથી. એક જાહેર સેવક, જનતાના પૈસાથી ખરીદેલી કારમાં, જાહેર ફરજ માટે, જાહેર અધિકારીઓ સાથે જાણ કરે છે, તેને લોકો સુધી પહોંચાડે છે. તે પબ્લિસિટી નથી કે સ્ટંટ નથી!"

Image

અમદાવાદના બાપુનગર અને અસારવામાં IAS અધિકારી અભિષેક સિંહને ચૂંટણી નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. અભિષેક સિંહે ડ્યૂટી દરમિયાનનો ફોટો ઈન્સ્ટાગ્રામમાં શેર કરતા ચૂંટણી પંચે કાર્યવાહી કરી હતી અને તેમને નિરીક્ષકના પદેથી હટાવી દીધા હતા. ત્યાર બાદ અભિષેક સિંહે ટ્વિટર પર ટ્વીટ કરીને પોતાની વાત રાખી હતી કે મેં કંઈ ખોટું નથી કર્યું, હું ચૂંટણી પંચના નિર્ણયને આવકારું છું. 






રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.