પોસ્ટવાળા ચૂંટણી પંચના અધિકારીને સ્ટંટ કહી હટાવી દેવાયા, અધિકારીએ કહ્યું, "કંઈ ખોટું નથી કર્યું"


  • Published By :
  • Published Date : 2022-11-18 21:27:06

ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી અભિષેક સિંહે પોતાના ઈન્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો. ચૂંટણીના નિરીક્ષક તરીકે તેઓ ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે ઈન્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર અને સમાચારોમાં તેમની આલોચના થતાં તેમને નિરીક્ષકના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. 


IAS અધિકારી અભિષેક સિંહે કહ્યું કંઈ ખોટું નથી કર્યું

સમગ્ર મામલે અભિષેક સિંહે પોતાની વાત રાખી હતી અને ચૂંટણી પંચની કાર્યવાહીનો સ્વીકાર કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "હું માનનીય ECIના નિર્ણયને પૂરી નમ્રતા સાથે સ્વીકારું છું. જોકે હું માનું છું કે આ પોસ્ટમાં કંઈ ખોટું નથી. એક જાહેર સેવક, જનતાના પૈસાથી ખરીદેલી કારમાં, જાહેર ફરજ માટે, જાહેર અધિકારીઓ સાથે જાણ કરે છે, તેને લોકો સુધી પહોંચાડે છે. તે પબ્લિસિટી નથી કે સ્ટંટ નથી!"

Image

અમદાવાદના બાપુનગર અને અસારવામાં IAS અધિકારી અભિષેક સિંહને ચૂંટણી નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. અભિષેક સિંહે ડ્યૂટી દરમિયાનનો ફોટો ઈન્સ્ટાગ્રામમાં શેર કરતા ચૂંટણી પંચે કાર્યવાહી કરી હતી અને તેમને નિરીક્ષકના પદેથી હટાવી દીધા હતા. ત્યાર બાદ અભિષેક સિંહે ટ્વિટર પર ટ્વીટ કરીને પોતાની વાત રાખી હતી કે મેં કંઈ ખોટું નથી કર્યું, હું ચૂંટણી પંચના નિર્ણયને આવકારું છું. 






પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.