પોસ્ટવાળા ચૂંટણી પંચના અધિકારીને સ્ટંટ કહી હટાવી દેવાયા, અધિકારીએ કહ્યું, "કંઈ ખોટું નથી કર્યું"


  • Published By :
  • Published Date : 2022-11-18 21:27:06

ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી અભિષેક સિંહે પોતાના ઈન્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો. ચૂંટણીના નિરીક્ષક તરીકે તેઓ ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે ઈન્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર અને સમાચારોમાં તેમની આલોચના થતાં તેમને નિરીક્ષકના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. 


IAS અધિકારી અભિષેક સિંહે કહ્યું કંઈ ખોટું નથી કર્યું

સમગ્ર મામલે અભિષેક સિંહે પોતાની વાત રાખી હતી અને ચૂંટણી પંચની કાર્યવાહીનો સ્વીકાર કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "હું માનનીય ECIના નિર્ણયને પૂરી નમ્રતા સાથે સ્વીકારું છું. જોકે હું માનું છું કે આ પોસ્ટમાં કંઈ ખોટું નથી. એક જાહેર સેવક, જનતાના પૈસાથી ખરીદેલી કારમાં, જાહેર ફરજ માટે, જાહેર અધિકારીઓ સાથે જાણ કરે છે, તેને લોકો સુધી પહોંચાડે છે. તે પબ્લિસિટી નથી કે સ્ટંટ નથી!"

Image

અમદાવાદના બાપુનગર અને અસારવામાં IAS અધિકારી અભિષેક સિંહને ચૂંટણી નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. અભિષેક સિંહે ડ્યૂટી દરમિયાનનો ફોટો ઈન્સ્ટાગ્રામમાં શેર કરતા ચૂંટણી પંચે કાર્યવાહી કરી હતી અને તેમને નિરીક્ષકના પદેથી હટાવી દીધા હતા. ત્યાર બાદ અભિષેક સિંહે ટ્વિટર પર ટ્વીટ કરીને પોતાની વાત રાખી હતી કે મેં કંઈ ખોટું નથી કર્યું, હું ચૂંટણી પંચના નિર્ણયને આવકારું છું. 






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.