પાદરા તાલુકાની અભોર ગામની શાળાના આચાર્યએ વિદ્યાર્થિનીઓનો બનાવ્યો અશ્લીલ વીડિયો, લોકોએ કાઢ્યું સરઘસ


  • Published By :
  • Published Date : 2023-08-15 16:26:46

શાળા વિદ્યાનું મંદિર ગણાય છે પણ ઘણી વખત આ શાળારૂપી મંદિરમાં જ માથુ શરમથી ઝુકી જાય તેવી ઘટનાઓ બનતી હોય છે. વડોદરાના પાદરમાં આવી જ એક ઘટના સામે આવી છે, પાદરા તાલુકાના અભોર ગામની પ્રાથમિક શાળાના આચાર્યએ ત્રણ વિદ્યાર્થિનીનો અશ્લીલ વીડિયો બનાવતા હોબાળો મચી ગયો હતો. નરાધમ સ્કૂલ આચાર્યએ ત્રણ બાળકીઓને શાળાના શૌચાલયમાં લઇ જઇને અશ્લીલ વીડિયો બનાવ્યા હોવાની જાણ થતાં વાલીઓ શાળામાં પહોંચ્યા હતા. તેમણે શાળાના આચાર્યને આ મુદ્દે સવાલો કરતા મામલો વણસ્યો હતો બાદમાં વાલીઓએ આચાર્યની બરાબરની ધુલાઈ કરી હતી.


સમગ્ર મામલો શું છે?


વડોદરાના પાદરા તાલુકાના અભોર ગામની પ્રાથમિક શાળામાં પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ જાદવ દ્વારા શાળામાં જ અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીનીને શાળાના શૌચાલયમાં લઇ જઇને અશ્લીલ વીડિયો તેમજ ફોટો બતાવ્યા હતા. આચાર્યની આ હરકત જોઈને વિદ્યાર્થીની ઓ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક ગામમાં જઈને માતાપિતાને જાણ કરી હતી. શાળાના આચાર્યની આવી હરકતની જાણ થતાં જ વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગુસ્સો થયેલા ગામલોકો શાળામાં પહોંચ્યા હતા. તેમણે વડુ પોલીસને પણ આ ઘટના અંગે જાણ કરી હતી. વડુ પોલીસ પહોંચે તે પહેલાં જ રોષે ભરાયેલા ગ્રામજનોએ આચાર્યને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. ગામ લોકોએ શાળાના આચાર્યને ઢોર માર મારી તેનું આખા ગામમાં સરઘસ પણ કાઢ્યું હતું. બાદમાં પોલીસ આવી પહોંચતા આચાર્યને ટોળામાંથી બચાવી લઈને તેની અટકાયત કરી હતી.


શિક્ષિકાઓ સાથે પણ કરતો હતો ગેરવર્તન


અભોર ગામની પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રભાઈની ચાલ ચલગત અંગે શાળાના શિક્ષકો પણ વાકેફ હતા. વિફરેલા ગ્રામજનોએ શાળાના અન્ય સ્ટાફનો ઘેરાવો કરીને આચાર્યના આવા વર્તન માટે જવાબો માંગ્યા હતા. કેટલાક સ્ટાફે લંપટ આચાર્ય મહેન્દ્રભાઈના આવા વર્તનની સાક્ષી પુરી હતી મહિલા શિક્ષકો સાથે પણ તેમની સાતે ગેરવર્તન થતું હોવાનું જણાવ્યું હતું. ગામના લોકોએ જણાવ્યું હતું કે આચાર્ય મહેન્દ્ર દારૂ પીને સ્કૂલમાં આવે છે. શાળાના શૌચાલયમાંથી પણ દારૂની ખાલી કોથળીઓ મળી આવી હતી. મોટી સંખ્યામાં ગામના લોકો વડુ પોલીસ સ્ટેશન એકઠા થયા હતા અને શિક્ષક મહેન્દ્ર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.