પાદરા તાલુકાની અભોર ગામની શાળાના આચાર્યએ વિદ્યાર્થિનીઓનો બનાવ્યો અશ્લીલ વીડિયો, લોકોએ કાઢ્યું સરઘસ


  • Published By :
  • Published Date : 2023-08-15 16:26:46

શાળા વિદ્યાનું મંદિર ગણાય છે પણ ઘણી વખત આ શાળારૂપી મંદિરમાં જ માથુ શરમથી ઝુકી જાય તેવી ઘટનાઓ બનતી હોય છે. વડોદરાના પાદરમાં આવી જ એક ઘટના સામે આવી છે, પાદરા તાલુકાના અભોર ગામની પ્રાથમિક શાળાના આચાર્યએ ત્રણ વિદ્યાર્થિનીનો અશ્લીલ વીડિયો બનાવતા હોબાળો મચી ગયો હતો. નરાધમ સ્કૂલ આચાર્યએ ત્રણ બાળકીઓને શાળાના શૌચાલયમાં લઇ જઇને અશ્લીલ વીડિયો બનાવ્યા હોવાની જાણ થતાં વાલીઓ શાળામાં પહોંચ્યા હતા. તેમણે શાળાના આચાર્યને આ મુદ્દે સવાલો કરતા મામલો વણસ્યો હતો બાદમાં વાલીઓએ આચાર્યની બરાબરની ધુલાઈ કરી હતી.


સમગ્ર મામલો શું છે?


વડોદરાના પાદરા તાલુકાના અભોર ગામની પ્રાથમિક શાળામાં પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ જાદવ દ્વારા શાળામાં જ અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીનીને શાળાના શૌચાલયમાં લઇ જઇને અશ્લીલ વીડિયો તેમજ ફોટો બતાવ્યા હતા. આચાર્યની આ હરકત જોઈને વિદ્યાર્થીની ઓ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક ગામમાં જઈને માતાપિતાને જાણ કરી હતી. શાળાના આચાર્યની આવી હરકતની જાણ થતાં જ વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગુસ્સો થયેલા ગામલોકો શાળામાં પહોંચ્યા હતા. તેમણે વડુ પોલીસને પણ આ ઘટના અંગે જાણ કરી હતી. વડુ પોલીસ પહોંચે તે પહેલાં જ રોષે ભરાયેલા ગ્રામજનોએ આચાર્યને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. ગામ લોકોએ શાળાના આચાર્યને ઢોર માર મારી તેનું આખા ગામમાં સરઘસ પણ કાઢ્યું હતું. બાદમાં પોલીસ આવી પહોંચતા આચાર્યને ટોળામાંથી બચાવી લઈને તેની અટકાયત કરી હતી.


શિક્ષિકાઓ સાથે પણ કરતો હતો ગેરવર્તન


અભોર ગામની પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રભાઈની ચાલ ચલગત અંગે શાળાના શિક્ષકો પણ વાકેફ હતા. વિફરેલા ગ્રામજનોએ શાળાના અન્ય સ્ટાફનો ઘેરાવો કરીને આચાર્યના આવા વર્તન માટે જવાબો માંગ્યા હતા. કેટલાક સ્ટાફે લંપટ આચાર્ય મહેન્દ્રભાઈના આવા વર્તનની સાક્ષી પુરી હતી મહિલા શિક્ષકો સાથે પણ તેમની સાતે ગેરવર્તન થતું હોવાનું જણાવ્યું હતું. ગામના લોકોએ જણાવ્યું હતું કે આચાર્ય મહેન્દ્ર દારૂ પીને સ્કૂલમાં આવે છે. શાળાના શૌચાલયમાંથી પણ દારૂની ખાલી કોથળીઓ મળી આવી હતી. મોટી સંખ્યામાં ગામના લોકો વડુ પોલીસ સ્ટેશન એકઠા થયા હતા અને શિક્ષક મહેન્દ્ર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.